SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા: માણસને સંજોગો સામે જો એનું પોતાનું આત્મબળ હોય, વિલપાવર હોય તો એ ધારેલું કરી શકે છે. મને બધા બહુ સંજોગો એવા આવ્યા કે મને માંસ ને બીડી, બધું ખાવા માટે ફોર્સ કર્યા. પણ મેં ના ખાધું, અહીંયા પણ હું નથી ખાતો. એટલે વિલપાવર હોય તો માણસ ધારે તે કરી શકે. 0 આપ્તવાણી-૧૧ છે લોકોની, જે પાંચ વર્ષે ય ઠેકાણું નહોતું પડતું, તે દશ દહાડામાં વિવાહ બેસી જાય ને કામ થઈ જાય બધું. પાછાં મને કહી જાય આવીને, એવું આ વિજ્ઞાન. સહજ કરે એટલે દરેક કામ સીધાં થઈ જાય. અને સહજ ના કરે ને કઠોર કરે તો બગડ્યું ! પોતાનાં અહંકારનું દહીં નાખે દૂધમાં એટલે દૂધપાક ના થાય. અહંકાર પણ સમાય સંજોગોમાં... દાદાશ્રી : એ વિલપાવર જ્યારે મહીં બહુ કપરા સંજોગ આવે ને, ખાવાનું કશું જ ના મળે ત્યારે પાછો ખાતો થઈ જાય. એટલે આ વિલપાવર ક્યાં સુધી રહે, સંજોગો બધા બુરા, ખરાબ નથી આવ્યા ત્યાં સુધી. પણ વિલપાવર હોય તો સારું ખરું, સારું કહેવાય એ ! આપણો ભાવ તે બાકીનું કુદરત પ્રશ્નકર્તા : આ જ સાયકોલોજીકલ જે ઇફેક્ટ આવે છે તે આ સરકમસ્ટેન્શિયલથી થાય કે અહંકારથી થાય ? તમારે તો લગ્ન કરવાનો ભાવ એકલો જ છે, અને પછી છે તે કુદરત એટલી બધી ગોઠવણી કરે કે એક બાજુ સ્ત્રી ક્યાં આગળ જન્મશે ? આને કેટલા વાગે પૈણવાનું, એવી બધી ગોઠવણી ‘વ્યવસ્થિત' કરવી પડે. તમારે તો ભાવ એકલો કરવાનો કે પૈણવું છે. હવે એકલાં ભાવ ઉપરથી, એ સંજોગ એકલો જ આપણો, બીજું બધું કુદરતનું છે. એક ભાવ એકલો જ આપણો છે, પછી સંજોગો ભળવાથી આખું કુદરતી ઊભું થઈ જાય છે અને તે ‘વ્યવસ્થિત’ રૂપે, ‘વ્યવસ્થિત રીતે ફળ આપે છે. સ્ત્રી ત્યાં આગળ જન્મી હોય, આ અહીં જન્મ્યો હોય, હિસાબ બધો, ગોઠવણી બધીએ થઈ ગયેલી હોય. બાકી વિવાહ કરવા આવે ત્યારે પેલો ભેગો કરી આપે ! કર્મ કુદરતના હાથમાં જાય છે. એટલે કુદરત પોતાનાં બધાં સંજોગોને સ્વભાવિક રીતે બનાવી અને પછી ભોગવડાવે છે. એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ચલાવે છે આ જગતને, ઈટ હેપન્સ છે આ તો બધું ! તમારે જ્ઞાન લીધા પછી ઈટ હેપન્સ. જ્ઞાન ના લીધું હોય તો ઈટ હેપન્સ ના કહેવાય. જ્ઞાન લીધા પછી વ્યવસ્થિત ! બાકી આ તો બધું થયા જ કરે છે ! આ છોડીઓ સરસ રીતે પૈણે દાદાશ્રી : સરકમસ્ટેન્શિયલ વગર તો ના થાય. અહંકારે સરકમસ્ટેન્શિયલનો ભાગ છે. અહંકાર ને સંજોગો, બધા ભેગા થાય એટલે સાયકોલોજીકલ ઈફેક્ટ થઈ જાય. સાયકોલોજીકલ ઈફેક્ટ એટલે એવા પ્રકારની માન્યતા થવી. ‘મારી વહુ' બોલે. અને માન્યતા ના થાય એવું જો વલણ હોય તો તો જુદી જ જાતનું કહેવાય, એ ડ્રામેટિક કહેવાય છે. ધી વર્લ્ડ ઈઝ ધી કમ્પ્લીટ ડ્રામા ઈટસેલ્ફ. (જગત સ્વયં સંપૂર્ણ નાટક છે.) ડ્રામાની ગોઠવણી પણ એની મેળે ઇટસેલ્ફ (સ્વયં) થયેલી છે અને તે પાછી ‘વ્યવસ્થિત’ને વશ છે. પરિભ્રમણતાં કારણો : સાધારણ-અસાધારણ એટલે આ બંધાયેલો મુક્તિ ખોળે છે. અને બંધનમાં આવેલો છે ને, તેને તો હજુ કેટલાય અવતાર લેવા પડશે. છૂટકો જ નહીં ને ! એના હાથમાં સત્તા જ નથી ને કોઈ જાતની. પ્રશ્નકર્તા : પણ એ વ્યવસ્થિત શક્તિ નથી કરાવતી આ બધાના અવતારો ? દાદાશ્રી : વ્યવસ્થિત શક્તિ શું કરે ? વ્યવસ્થિત શક્તિ તો શું કહે
SR No.008834
Book TitleAptavani 11 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1996
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy