SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૧ રકમ જ ખોટી છે ત્યાં આગળ. ૧૩ ભગવાન મહાવીરે કહ્યું કે ‘ભઈ, ભગવાન વગર તો દુનિયા છે જ નહિ. ભગવાન જ છે બધું. પણ તે ભગવાન સૃષ્ટિનો કર્તા નથી.’ ભગવાનની ડિક્ષનરીમાં ‘હું કરું છું', ‘તું કરું છું’ અને ‘તેઓ કરે છે’, તે હતું જ નહીં. એની સાથે બહુ ઝઘડા ચાલ્યા. લોકોને તો બુદ્ધિ જ્યાં સુધી છે, ત્યાં સુધી બુદ્ધિ શું કહે છે કે ‘કર્યા વગર કેવી રીતે થાય આ બધું ?” તે આ મુશ્કેલી છે ને ?! પણ તે ભગવાન મહાવીરને છૂટકો જ નહિ બોલ્યા વગર. કારણ કે જો સત્ય ના બોલે તો પેલા મૂંઝાય. ‘ભગવાન આમાં હાથ ઘાલતા જ નથી.’ એવું આ જગત છે, એ જ સાયન્સ છે. ફક્ત ભગવાનની રિલેટીવ શક્તિ વપરાય છે. રિલેટીવ એટલે હાજરીની શક્તિ. ભગવાનની ખાલી હાજરી જ છે. એ હાજરીની શક્તિથી આ જગત ઊભું રહ્યું છે. અને ભગવાને ય ખરી રીતે બંધાયા નથી. ખરેખર રિયલી રીતે બંધાયેલા નથી, પણ આ રિલેટીવની રીતે આ હકીકતમાં આવ્યા છે. છતાં પોતાની જાતને પોતે બંધનરૂપ જાણતા નથી. બંધનરૂપ જાણે તો તો પછી ભગવાન જ ના કહેવાય ને ! એ તો આમાં વીતરાગ જ રહી શકે છે. આ જ સાયન્સ જાણવાનું છે. ભગવાન તે અંદર રહ્યા રહ્યા જોયા જ કરે છે. ‘આ બધી લીલા કેવી રીતે ચાલ્યા કરે છે' તે જોયા જ કરે છે. અમુક બાબતો ‘હું ચલાવું છું' ને અમુક બાબતો મારી શક્તિ બહારની ‘ભગવાન ચલાવે છે', એવું લોકો જાણે છે. પણ ભગવાન આમાં કંઈ કશું કરતાં જ નથી. ભગવાન તો, કંઈ ના કરે એનું નામ ભગવાન. અને કરે તો બંધાય, એ બંધનમાં આવે. ભગવાન તો ભગવાત જ છે ! ‘ભગવાન આમાં હાથ ઘાલતા જ નથી', પણ આ ભ્રાંતિ ઉકેલાઈ નથી. લોકોથી ભ્રાંતિ ઓળખી શકાતી નથી, એનું કારણ છે. એ એમ જ ૧૪ આપ્તવાણી-૧૧ જાણે છે કે ભગવાન સિવાય બીજી કઈ શક્તિ આ કરી શકે ? પણ આ બીજી શક્તિ છે અને એ તો એટલી બધી મોટી છે કે ભગવાનને હઉ ફસાવ્યા છે. આ તો પોતાની સંડાસ જવાની ય શક્તિ નથી. જીવવાની ય શક્તિ નથી ને મરવાની ય શક્તિ નથી. જો મરવાની શક્તિ હોય ને તો મરત જ નહિ પણ એવી કોઈ શક્તિ જ નથી. પ્રશ્નકર્તા : એ શક્તિ કોની પાસે છે ? દાદાશ્રી : એ શક્તિ જ આ હું તમને બતાવું છું ને એ શક્તિથી જ આ જગત ચાલી રહ્યું છે. પ્રશ્નકર્તા : એ શક્તિને અમે ભગવાન કહીએ છીએ. દાદાશ્રી : તમે નહીં, પણ આખું જગત એ શક્તિને ભગવાન કહે છે. પણ તે લૌકિક વાત છે એટલે જે શક્તિ ભગવાન નથી તેને ભગવાન કહે છે ! કારણ કે કરે છે માટે. પણ તે ભગવાનને પહોંચતું નથી, અને મૂળ ભગવાનની વિરાધના થાય છે. મૂળ ભગવાનને નહીં ઓળખવાથી આ જે નથી ભગવાન એને ભગવાન માનવામાં આવે છે. એટલી જ ભાંજગડ છે આ બધી. એટલે ભગવાનને ભગવાન માનો અને બીજી શક્તિને શક્તિ માનો તો આનો ફોડ પડશે, નહીં તો ફોડ કેવી રીતે પડશે તે? પ્રશ્નકર્તા : જ્ઞાનીઓ કેમ એને ‘ભગવાન’ નથી કહેતાં ? દાદાશ્રી : એ શાને માટે કહે ? શક્તિને ભગવાન શા માટે કહીએ ? આપણે આ ઈન્જીન ચાલતું હોય, ધમ્મ, ધમ્મ, ધમ્મ...' તે એને ભગવાન કહીએ ને બેસી રહીએ તો મૂરખ બનીએ. એ મશીન શું કહે છે ? તારું બનાવ્યો, હું બન્યો. આ જડ શક્તિ તો આપણે બનાવેલું બનેલું છે. એને ભગવાન કહેવાય શી રીતે ? ભગવાન તો ભગવાન છે, ક્યારે ય પણ ‘ના ભગવાન’ ના થાય, એનું નામ ભગવાન કહેવાય. બ્રહ્માંડતી બે મહાશક્તિઓ ! ભગવાનની શક્તિ ચેતન શક્તિ છે. આ બીજી તો જડ શક્તિ છે
SR No.008834
Book TitleAptavani 11 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1996
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy