SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૧ ૩ દાદાશ્રી : હા, પણ કેટલા ? આ સ્ટીમરો દસ-બાર માઈલની સ્પીડે ચાલે છે. તમારું ઘર કેટલા માઈલની સ્પીડે ચાલે છે ? પ્રશ્નકર્તા : એ ત્યાંનું ત્યાં જ રહ્યું છે. દાદાશ્રી : તો પછી ચાલ્યું શું કહો છો તે ? તમે બીજું કશું કરેલું ? પ્રશ્નકર્તા : આ કન્સ્ટ્રક્શન કર્યું ને ! દાદાશ્રી : એ તો પેલા કોન્ટ્રાકટર કહે, મેં કર્યું'તું. પછી એમના મોટાં મોટાં આસિસ્ટન્ટ હતા, એમને પૂછ્યું. ત્યારે કહે, ‘અમે કરેલું.’ આ તો પછી મુકાદમોને પૂછ્યું, ત્યારે કહે, ‘અમે કરેલું.’ મજૂરોને પૂછીએ, ત્યારે કહે, ‘અમે કરેલું.’ અલ્યા મૂઆ, આ સાચું કોણ છે આમાંથી ? ઈન્જીનિયરને પૂછ્યું ત્યારે કહે, ‘મેં કરેલું.’ અને ચીફ ઈન્જીનિયર કહે, ‘મેં જ કરેલું આ બધું’. ગવર્નમેન્ટ કહે, ‘અમે કર્યું.’ આમાં કોણ સાચું તે ?! પ્રશ્નકર્તા : બધાનો ય સાથ મળીને થાયને ! દાદાશ્રી : તો પછી કરનાર કોણ ? ‘મેં કર્યું’ એવું કહેવાય કેમ કરીને આપણાંથી ? પ્રશ્નકર્તા : પણ આપોઆપ તો ન થાયને ? બધાએ પરિશ્રમ તો કરવો જ રહ્યો ને ? દાદાશ્રી : હા, એ બરોબર છે. પણ આપણે જે એમ કહીએ છીએ કે મેં આમ કર્યું ને તેમ કર્યું.' એ સાચી વાત છે ? પ્રશ્નકર્તા : કહે છે તો ખરાં અને ન કરે તો કેવી રીતનાં થાય ? દાદાશ્રી : નહીં, પણ મારું કહેવાનું, પોતે નથી કરતો કશું ય. તમે કરો છો કે થઈ જાય છે ? પ્રશ્નકર્તા : થઈ જાય છે. દાદાશ્રી : એ તો થઈ જાય છે. તો પછી હવે તમે કરો છો શું ? એ મને કહો. આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : એ રીતે તો હું કંઈ કરતો નથી. દાદાશ્રી : જો કર્તા નથી એવું જાણો છો, તો પછી શા માટે અમથા ઈગોઈઝમને ચઢાય ચઢાય કરો છો ? મેં આમ કર્યું ને તેમ કર્યું ને...... કર્તા નથી એવું જાણો છો તમે ? મત-વચત-કાયા, પરાધીત ! પ્રશ્નકર્તા : જે થઈ રહ્યું છે તે બહારનું થઈ રહ્યું છે અને જે કરવાનું છે તે અંદરનું કરવાનું છે. અંદરનું કરી શકતા હોય તો તે કરવાનું છે. દાદાશ્રી : એ હાથમાં છે ? ઊધરસ એની મેળે આવે છે કે આપણે ખાવી પડે છે ? પ્રશ્નકર્તા : એ તો ક્યારે આવે એ આપણે કહી શકતાં નથી. ક્યારે હાંફ ચઢે એ પણ કહી શકતાં નથી. દાદાશ્રી : માટે શરીરના કાર્ય બધા આપણા હાથમાં છે નહીં. એમ કહી દોને ! ત્યારે વાણીનાં કાર્ય ક્યાં આપણા હાથમાં છે, તે કહો. પ્રશ્નકર્તા : વાણી આપણા હાથમાં કેવી રીતે ? દાદાશ્રી : એટલે છે તે દેહનું કરવાપણું છૂટી ગયું, હવે વાણીનું કરવાપણું છૂટી ગયું. હવે મનમાં તમારે કરવું પડે છે કે એની મેળે મન કૂદાકૂદ કરે છે ? પ્રશ્નકર્તા : એ તો એની મેળે વિચારો આવે છે. દાદાશ્રી : તમારામાં શું કરવાની શક્તિ છે, એ મને એકું ય દેખાડશો ? એક પણ શક્તિ એવી દેખાડશો કે તમારી પોતાની સ્વતંત્ર શક્તિ છે ? પ્રશ્નકર્તા : એટલે આ દેહ કરે છે. આત્મા કંઈ કરતો નથી.
SR No.008834
Book TitleAptavani 11 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1996
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy