________________
૨૨૫
૨૨૪
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : તમે વ્યવસ્થિત કર્યા છે એવું જ માનો છો ? સો ટકા એવું માનો છો ? તો વ્યવસ્થિત કર્તા એ જ પુદ્ગલ કર્તા. વ્યવસ્થિતમાં ચેતન કોઈ સત્તા નથી, બધા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય છે. એમાં કોઈ ચેતન સત્તા નથી હોતી. એ જ માનો છે ને તમે ?
આપ્તવાણી-૧૧ આ આવું કેમ બને તો પછી તમને પોતાને જ સોલ્યુશન થાય.
‘વ્યવસ્થિત એ જ નિશ્ચયથી પુદ્ગલ કર્તા છે', એવું જો જગતને સમજમાં હોતને તો આજ જગતની તો દશા બહુ ઊંચી હોય. પણ એ સમજમાં બેસે એવી વસ્તુ નથી. અને તે એ જ્ઞાન ખુલ્લું ય થયું નથી. અત્યાર સુધી એક જ પ્રકારનું જ્ઞાન ચાલ્યું આવે છે કે આત્મા વ્યવહારથી કર્તા છે. બસ, નિશ્ચયથી કોણ કર્તા છે ? એવું તપાસ જ નથી કરવામાં આવેલી અને તે બધું કોઈએ ખુલ્લું ય નથી કર્યું. તેથી કરીને તીર્થકરોના જ્ઞાનમાં બધું હતું. પણ તમે પૂછો તો જવાબ નીકળે ને ? પૂછો જ નહીં તો શેનો જવાબ મળે ?!
પુદ્ગલ કર્તા ક્યારે કહેવાય ? જ્ઞાની થયા પછી. એ પહેલાં ના કહેવાય. તે તો સાધુ-આચાર્યો બોલે કે પુદ્ગલ કર્તા છે, એટલે ઊંધે રસ્તે ચાલે બધાં. જ્ઞાન થયા પછી આજ્ઞામાં રહે, પછી બધું પુદ્ગલ કર્તા. પછી તમારી જોખમદારી નથી, એમ કહીએ છીએ.
પ્રશ્નકર્તા : પુદ્ગલ તો વ્યવસ્થિતની પ્રેરણાથી પુદ્ગલ કર્તા બને છે ને ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આત્મા કર્તા માનતા નથીને ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એટલે પુદ્ગલ કર્તા માનો છે એ કરેક્ટ થઈ ગયું ને ? આ તો બધું જગત આખું ય આત્માને કર્તા માની બેઠા છે, ‘હું કર્તા છું જ, હું કરું છું તો જ થાય છે'. વ્યવસ્થિત એ જ છે તે પુદ્ગલ કર્તા છે. ભેગું થવું અને વિખરાઈ જવું એનું નામ વ્યવસ્થિત, અને તે જ પુદ્ગલ છે.
પ્રશ્નકર્તા : પુદ્ગલ છે. એટલે નિશ્ચેતન-ચેતનને ?
દાદાશ્રી : હા, નિશ્ચતન-ચેતનની જ વાત હોય આ બધું. પુદ્ગલ એટલે આ જે પરમાણુ છે ને એ પરમાણુ જુદા છે. અને આ પુદ્ગલ એ તો વિભાવિક પુદ્ગલ છે. પેલા પરમાણુ સ્વભાવિક પુદ્ગલ છે. તો આ આંખે જેટલું દેખાય છે, આ કાને સંભળાય છે, આ જેટલું અનુભવાય છે. એ બધું વિભાવિક પુદ્ગલ છે. આમાં સ્વભાવિક પુદ્ગલ તો તમને જોવામાં ય નથી આવતું. એટલે વિભાવિક પુદ્ગલની વાત છે. એ જ નિશ્ચેતન-ચેતન છે.
આપણું પહેલાં પાનાનું વાક્ય હોયને, તે આઠસો પાનમાં એનું એ જ વાક્ય એને હેલ્પ કરતું હોય, એ વિરોધાભાસ ના હોય. એક અક્ષરે ય કોઈ જગ્યાએ, એનું નામ વિજ્ઞાન કહેવાય. એને એમ લાગે ખરું કે આ આજે દાદાએ એમ કેમ કહ્યું, “આ પુદ્ગલ નિશ્ચયથી કર્તા છે ?” પણ જો એ વાત આમ સમજવા જાય તો તરત સમજી જાય, પછી ફીટ થઈ જાય. એટલે પ્રશ્ન ઊભા થાયને તે આપણે પોતે પોતાની મેળે મૂકવા કે
દાદાશ્રી : હા, વ્યવસ્થિતની પ્રેરણાથી. આમ દેખીતું આપણને પુદ્ગલ કર્તા લાગે. પણ વ્યવસ્થિતના એવીડન્સથી છે.
પ્રશ્નકર્તા આત્માની હાજરી હોય તો જ બને, નહીં તો બને નહીં. દાદાશ્રી : આત્માની હાજરી ના હોય તો કશું થાય નહીં.
પ્રશ્નકર્તા : આત્માની હાજરી વગર સ્વયં પુદ્ગલ એકલું કર્તા બની શકે નહીં ?
દાદાશ્રી : નહીં. પ્રશ્નકર્તા : આત્માની હાજરીની જરૂર છે.
દાદાશ્રી : આત્માની હાજરી હોય તો જ. અને પુદ્ગલ કર્તા એટલે શું ? પરિણામ, આપણે પરિણામ કહીએ છીએ, આપણે પુગલ કર્તા