________________
આપ્તવાણી-૧૧
૨૦૭
તત્ત્વજ્ઞાત સાંભળતારા, સમજતારા
તે મેળવનારા કેટલા ?
૨૦૬
આપ્તવાણી-૧૧ એવું નથી. એટલે તીર્થકરોને એવી ભાષામાં બોલવું પડે ને ? નહીં તો, તમે પાછા કહેશો, મિશ્રચેતન હોય તો વાંધો નહીં. એટલે ભેગું છે ને મહીં. એ પેલું અરધું તો છે જ.
પ્રશ્નકર્તા : થોડું ઘણું તો છે ને એમાં ચેતન !
દાદાશ્રી : થોડું ઘણું તો છે જ કહેશે. હવે આમાં આટલું ય નથી ચેતન. તેથી અમે નિશ્ચેતન ચેતન કહ્યું.
પ્રશ્નકર્તા : નિશ્ચેતન ચેતન, પણ ત્યાં ચેતનની હાજરી છે એટલે
પ્રશ્નકર્તા ઃ એ ફન્ડામેન્ટલ, મૂળ નિયમો જે છે ને, એ નિયમો પ્રગટ કરવા જોઈએ ને. તો પછી બધાંને સમજ પડે ને વધારે.
દાદાશ્રી : શેના મૂળ નિયમો ?
પ્રશ્નકર્તા : આ ક્રીએશનના, પછી આ માણસના સ્વભાવના. તો પછી માણસ જેમ એક્કેક્ટ નિયમ જાણે આમ કરવાથી આમ થાય છે તો એ ખોટું કરતો બીજે દહાડેથી અટકી જાય ને ? જેમ જેમ નિયમોનું જ્ઞાન થાય, એમ એમ માણસ અટકે ને !
દાદાશ્રી : હા, ચેતનની હાજરી છે એટલે, નહીં તો કામ જ થાય
નહીં,
દાદાશ્રી : એ અમુક જ માણસો અટકે. બધા ના અટકે. ૧૪ લાખ થર છે મનુષ્યોનાં, ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર.. લેયર શેનાં છે? કે વિચાર ભેદે. આ પાંચ હજાર માણસ ભેગાં થાય ને, વિચારો કંઈક સાધારણ મળતા હોય, સંપૂર્ણ વિચાર તો એક માણસના ભેગા જ ના થાય, પણ થોડા થોડા એડજસ્ટમેન્ટ થતા હોય તો ભેગા થાય, પાંચપચાસ-સો. એને એક લેયર કહેવાય. એવાં ૧૪ લાખ લેયર છે.
પ્રશ્નકર્તા : આ એક મોટી વાત છે !
દાદાશ્રી : મોટામાં મોટી વાત. એ હાજરી હોય તો જ એ ચાલે. નહીં તો ચાલે નહીં. એમાં પેલું ચેતન કશું કરતું નથી. હાજરી જ, બસ. બીજું કશું કરતું નથી. હવે આને ચેતન માની અને લોક આને સ્થિર કરવા જાય છે ‘સ્થિર કરીએ તો જ એ સ્થિર થાય. અસ્થિર થઈ ગયો છે આત્મા, તેને સ્થિર કરીએ.’ એટલે સમજવા જેવું સાયન્સ છે બહુ. આ તો ગૂઢ સાયન્સ છે.
પ્રશ્નકર્તા : એ ગૂઢતા જ આપની પાસે શોધીએ છીએ અમે.
દાદાશ્રી : કહ્યું કે, બધી ગૂઢતા દેખાડી દીધી ને તમને દેખાવું જોઈએ પછી આગળનું બુદ્ધિથી સમજાય આમ.
પ્રશ્નકર્તા : હા, દેખાય.
દાદાશ્રી : એ તો ક્લીયરન્સ આવતું જાય તેમ તેમ દેખાતું જાય ! દેખાવું જોઈશે ને !
પ્રશ્નકર્તા : હાસ્તો.
તેમાં પ૦ હજાર થર. મારી વાતને સાંભળવાને લાયક છે. સાંભળવા માટે, સમજવાને માટે નહીં. બીજા તો સાંભળવાને માટે ય લાયક નથી. સમજવાને માટે પાંચ-દસ હજાર. પ્રાપ્તિ કરનારા પાછા ઓછાં !