________________
૧૯૦
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : ના, ભોગવવામાં નહીં, બાંધતી વખતે જ વિશેષ ભાવ. પ્રશ્નકર્તા : અને ભોગવતી વખતે ?
દાદાશ્રી : ભોગવતી વખતે કશું નહિ. એટલે બાંધ્યું માટે એનું ફળ આવ્યું આ.
પ્રશ્નકર્તા ઃ હા, પણ એ વિશેષ ભાવવાળાને સહન કરવું પડે ને ?
દાદાશ્રી : ના, પણ અહીં વિશેષ ભાવ ના કહેવાય વિશેષ ભાવ તો ત્યાં છે, જ્યાં પોતાનો ભાવ નથી. પણ વિશેષભાવ એટલે બે વસ્તુ ભેગી થવાથી તીસરો ગુણધર્મ ઉત્પન્ન થયો. તે બન્નેમાં છે નહીં, તે ગુણધર્મ ઉત્પન્ન થયો અને એ ગુણધર્મથી આખું જગત ઊભું થયું.
પ્રશ્નકર્તા : હવે એ જગતમાં જ ફળ આવ્યું ને ભોગવવાનું ?
દાદાશ્રી : એ ફળ તો જગતમાં આવ્યું. પણ ફળને વિશેષ ભાવ ના કહેવાય. ભાવ જ્યાં હોય ત્યાં કોઝ હોય. જ્યાં ભાવ શબ્દ હોય ત્યાં કોઝ જ ગણાય.
પ્રશ્નકર્તા : પણ એ ફળ તો વિશેષ પરિણામમાં આવ્યું એમ કહેવાય
આપ્તવાણી-૧૧
૧૯૧ વૃત્તિ પોતાના ભાવમાં વહે, ત્યાં અકર્તા થયો, કહે છે. પછી કર્મનો કર્તા રહ્યો નહીં, અને તો ભોક્તા ય ના રહ્યો.
હવે માણસને ભ્રાંતિ કેમ ઉત્પન્ન થઈ ? બે વસ્તુ સાથે મૂકવાથી, જડ અને ચેતન બેનો સંયોગ થવાથી એમાંથી વિશેષ પરિણામ ઊભાં થાય છે. બન્ને ય પોતાના ગુણધર્મ છોડતાં નથી અને નવા જ ગુણધર્મ ઉત્પન્ન થાય છે. એ વિશેષ પરિણામનો આ સંસાર ઊભો થયો છે. એ વિશેષ પરિણામ ઉડી જાય, તો છૂટી જાય પછી વિશેષ પરિણામ ઊભાં થાય નહીં. જે સિદ્ધક્ષેત્ર છે ત્યાં બે ભેગાં થતાં જ નથી એટલે ત્યાં વિશેષ પરિણામ ઉત્પન્ન થતાં જ નથી. અહીં બે ભેગાં થાય છે ને આ બધું ઊભું થઈ જાય છે.
હવે વિશેષ પરિણામ એટલે શું ? આપણે કોઈ દરિયા કિનારાથી એક માઈલ છેટે લોખંડની બે લારીઓ ખાલી કરી, તદ્દન નવું લોખંડ અને વર્ષ દહાડા પછી આપણે ત્યાં જોઈએ, ત્યારે લોખંડને કશી અસર થયેલી હોય ખરી ? શું અસર થયેલી હોય ?
પ્રશ્નકર્તા : કાટ ચઢે.
દાદાશ્રી : હા, હવે આપણે પૂછીએ લોખંડની ઈચ્છા છે આ કાટ ચઢવાની ? ત્યારે કહે, ના. લોખંડની ઈચ્છા નથી. ત્યારે દરિયાની ઈચ્છા છે ? ત્યારે કહે, એની ય ઈચ્છા નથી. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, કોઈની ઈચ્છા નહીં હોવા છતાં કાટ ચઢે છે. એવી રીતે કોઈની ઈચ્છા નહીં હોવા છતાં આ બધું જગત ઊભું થયું છે ! હું આ જાતે જોઈને બોલું છું, એમ ને એમ નથી બોલતો આ, ગપ્યું નથી. આ શાસ્ત્રની વાત નથી !
ભગવાન, એ પોતે જ વિશેષભાવમાં આવી ગયા છે. પોતાનો જે સ્વભાવ હતો તેના કરતાં વિશેષ જાણવાના ભાવ થયો, તેની આ ગૂંચામણ થઈ ગઈ.
પ્રશ્નકર્તા: તો એનાં પછી છૂટકારો ક્યારે થઈ શકે ? દાદાશ્રી : પછી જ્યારે એને પોતાને સમજાય કે ‘હું કોણ છું? કરે
દાદાશ્રી : ના. ફળને દ્રવ્ય જ ગણે છે. અને ભાવ કોઝ છે. જ્યાં જ્યાં ભાવ હોય એ કોઝ છે.
વિભાવમાં કર્તા તે સ્વભાવમાં અકર્તા !
‘કર્તા-ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય, વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય’ -શ્રીમદ્ રાજચંદ્ર
કર્મનો કર્તા ક્યાં સુધી ? કર્મનો ભોક્તા ક્યાં સુધી ? ત્યારે કહે, ‘વિભાવ વર્તે જ્યાંય, જ્યાં સુધી ‘હું ચંદુભાઈ છું', જ્યાં સુધી ‘આ બાઈનો ધણી છું, આ છોકરાનો ફાધર છું', આવા જે વિશેષ ભાવ છે, વિભાવ એટલે વિશેષ ભાવ, વિરુદ્ધ ભાવ નહીં, તે ત્યાં સુધી કહે છે કે કર્તા-ભોક્તા છે. અને જ્યાં નિજભાવ એટલે ‘હું શુદ્ધાત્મ સ્વરૂપ છું', ત્યાં