________________
૫૫૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
મૂળ કારણ, અહંકારતું !
પ્રશ્નકર્તા : અહંકાર જો દેહમાં પણ ન હોય અને આત્મામાં પણ
ન હોય તો અહંકારની જગ્યા ક્યાં ?
દાદાશ્રી : અહંકાર એટલે અજ્ઞાનતા.
પ્રશ્નકર્તા : આપણે કહીએ છીએ ને કે આત્મા અને દેહ બન્ને જુદા છે ?
દાદાશ્રી : જુદા છે જ, કાયમને માટે. બધાને જ છે, જીવમાત્રને છે. પ્રશ્નકર્તા : આ બન્ને અલગ હોવાની માન્યતા હોવા છતાં ‘હું કરું છું' એમ ભાવ થાય છે એ ?
દાદાશ્રી : એ ઇગોઇઝમ છે.
પ્રશ્નકર્તા : આ ઇગોઇઝમને છૂટો કેવી રીતે કરવો ? દાદાશ્રી : એને છૂટો કરવાની જરૂર જ નથી. ઇગોઇઝમનું રૂટ કૉઝ (મૂળ કારણ) કાઢી નાખવાનું છે.
પ્રશ્નકર્તા ઃ એનું રૂટ કૉઝ શું ?
દાદાશ્રી : અજ્ઞાનતા.
પ્રશ્નકર્તા : શેની અજ્ઞાનતા ?
દાદાશ્રી : આ શું છે ? આ કોણ કરે છે ? હું કરું છું કે આ
કોણ કરે છે ? એ અજ્ઞાનતા કાઢી નાખવાની. આ તો અજ્ઞાનતાની ફાચર છે. બીજું કશી ફાચર નથી. આત્મા અજ્ઞાની છે નહીં, આત્મા જ્ઞાની છે. પ્રશ્નકર્તા : આ રોંગ બિલીફ ઊભી થઈ, પણ આ વિજ્ઞાનમાં એની જગ્યા ક્યાં છે ?
દાદાશ્રી : અહંકારમાં. અને રોંગ બિલીફથી અહંકાર ઊભો થયો અને અહંકારથી રોંગ બિલીફ ઊભી થઈ.
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
પ્રશ્નકર્તા : તો આમાં પહેલું કયું, રોંગ બિલીફ કે અહંકાર ? દાદાશ્રી : ગોળમાં પહેલું કશું હોય નહીં. ગોળમાં પહેલું કશું હોતું હશે ? પહેલું બધું બુદ્ધિ ખોળે. ‘ઉસમેં પહેલા કૌન ? ત્યારે કહી દે, કયું પહેલાં ખોળવા નીકળ્યા ? ઝાડ પહેલું કે બીજ પહેલું ?
૫૫૩
પ્રશ્નકર્તા : પહેલું નહીં તો છેલ્લું કયું એ કહો.
દાદાશ્રી : પહેલુંય ના હોય ને છેલ્લુંય ના હોય. એ વસ્તુ જ નથી. માન્યતા જ છે ખાલી. રોંગ બિલીફો જ છે. જ્ઞાનમાં એવું કશું હોતું જ નથી. બિલીફમાં જ ખોટું છે. જ્ઞાનમાં ખોટું હોતું નથી. નહીં તો આત્મા જુદો થઈ જાય !
આપણે આ જે શબ્દ બોલ્યા, રોંગ બિલીફ, નહીં તો તો આ એનું ઊઘાડું જ ના પડત, કે આ મિથ્યાદર્શન શું છે તે ! મિથ્યાત્વ શું છે એ ઊઘાડું જ ના પડત. લોકોને એ શબ્દ સમજાય જ નહીં. આ તો આપણે રોંગ બિલીફ કહીને, તે બધું ઊડી ગયું. હા, એ ખાલી બિલીફ જ છે, બીજું કંઈ નહીં ? કશું ચોંટ્યુંય નથી ને વળગ્યુંય નથી અને તે માની લીધું કે મને વળગ્યું. ત્યારે કહે, ‘જા, કાઢ સ્વાદ !'
પ્રશ્નકર્તા : એટલે આ બિલીફના સંસ્કાર અહંકાર ઉપર પડતા હશે કે આ મારો ભાઈ થાય, મારી બેન થાય, આ મારો સગો થાય.
દાદાશ્રી : બળ્યું, એ તો લોકોનું જોઈને શીખ્યો બધું. એ લોકસંજ્ઞા છે બધી. દેખીને શીખે છે. પેલો કહેશે, ‘દેખો, હમારા સાલા આયા.’ એટલે આ નાનો હોય તે કહેશે, ‘હું હઉ પૈણીશ ત્યારે મારેય સાળો આવશે.' એ લોકસંજ્ઞા બધી.
પ્રશ્નકર્તા : એ લોકસંજ્ઞા ગ્રહણ કોણ કરે છે ?
દાદાશ્રી : અહંકાર જ બધું કરે. અહંકાર આંધળો છે, દેખતો જ નથી બિચારો, બુદ્ધિની આંખે ચાલે એ. હવે બુદ્ધિ કહેશે, ‘એ તો આપણા મામા સસરા થાય'. ત્યારે કહે, ‘સારું.’