SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) અહંકારનું સ્વરૂપ ૩૬૧ ૩૬૨ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : અહંકાર કોને કહેવામાં આવે છે ? એની રીતે હોય. આ ભાગને પવન ઊડાડી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, એ તો પોતાનું વર્ણન કરે છે. એમાં અહંકાર નથી. અહંકાર તો કોને કહેવાય ? તમે કહો છો ને કે મેં આને દવા આપી, જે તમે નથી કરતા, કરે છે બીજો કોઈ, તેને તમે કહો છો, હું કરું છું. એનું નામ અહંકાર. અને તે પાછી પ્રકૃતિ નચાવે છે. આ પ્રકૃતિ નચાવે છે અને પાછો કહે છે કે હું નાચ્યો. પાછો ડબલ આરોપ. નચાવે કોણ ? આ ઊઠાડે છે, ઊંઘાડે છે, કરે છે કોણ બધું ? તમને કોણ લાગે છે ? ને આ લોકો કહે છે ને, “ઊઠ્યો !” ઓહોહો ! મોટા ઊઠવાવાળા આવ્યા.” એ સતા કોની ? રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે ક્યા કર રહા હૈ ? પ્રશ્નકર્તા : અહમ્પણું અને પોતાપણું બે એક જ કે અલગ અલગ ? દાદાશ્રી : બહુ ફેર. અહમ્ તો માનેલું જ રહ્યું અને પોતાપણું વર્તનમાં રહ્યું. વર્તનમાં હોય એને એ રહે અને માનેલું તો જતું રહે. ‘'પણું માનેલું એ જતું રહે પણ પછી વર્તનમાં રહે ને ? પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓને પોતાપણું હોય ? દાદાશ્રી : પોતાપણું તો જબરજસ્ત હોય. ભોળો હોય ને, તેને ઓછું હોય. પ્રશ્નકર્તા : આપે કહેલું કે, અહંકાર તો આખી દુનિયામાં વ્યાપી જાય એટલો મોટો છે ? દાદાશ્રી : હા, એવડો મોટો હોય. જેમ જાડો માણસને તેમ અહંકાર ઓછો હોય. પાતળા માણસને બહુ અહંકાર હોય. અહમ્ કાઢવાનો નથી, અહંકાર કાઢવાનો છે. હું તો છે જ પણ તે અહંકાર કાઢવાનો છે. આઈ વિધાઉટ માય ઈઝ ગોડ (મારાપણું વિનાનો ‘હું’ એ જ ભગવાન) એટલે માય કાઢવાનો છે. માયને લીધે અહંકાર કહેવાય છે. માય ન હોય તો અહમ્, ‘હું આત્મા છું' બોલવામાં કંઈ વાંધો નથી. કારણ કે પોતાની વસ્તુ છે આ. ‘હું દેહ છું એ અહંકાર છે. એટલે અહંકાર કાઢવાનો છે. ઉદ્ભવ્યા પ્રશ્નો, ગીતામાંથી.. પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું હતું કે, “મારાં હજારો જુદી જુદી જાતનાં સ્વરૂપ છે.” તો એ પણ અહંકાર કહેવાય ? સાથે સાથે એ પણ કહે છે કે, “પવન મને ઉડાડી શકતો નથી કે અગ્નિ મને બાળી શકતો નથી કે બીજી કોઈ રીતે મારો નાશ થઈ શકતો નથી.” ત્યારે પોતે ભગવાન થઈને મનુષ્યને કહે તો એ એક જાતનો અહંકાર કહેવાય કે નહીં ? પ્રશ્નકર્તા : જાતે ઊંઘી જઉં છું. દાદાશ્રી : જાતે, નહીં ? કો'ક ફેરો ના ઊંઘ આવે ત્યારે ? પ્રશ્નકર્તા : ત્યારે પાસાં ફેરવીએ, બીજું શું કરીએ ? દાદાશ્રી : હા, પાસાં ફેરવવા પડે. એટલે આપણા હાથમાં સત્તા નથી ને, ઊંઘવાની ? ઊંઘવાની સત્તા આપણા હાથમાં ખરી ? પ્રશ્નકર્તા : નથી. ગોળીઓ લે તો ઊંઘ આવે.. દાદાશ્રી : હા, ગોળીઓ લેવી પડે. હવે જ્યારે ઊંઘવાની સત્તા નથી તો ઊઠવાની સત્તા છે તમારામાં ? પ્રશ્નકર્તા: નથી. દાદાશ્રી : “સવારમાં વહેલો ઊઠ્યો’ કહેશે. એ સાચી વાત છે ? આપણે કહીએ, ‘ઊંઘી જવું છે ને ?” ત્યારે કહે, ‘હા, મારે જ્યારે જોઈએ ત્યારે ઊંઘ આવે.” પછી પાછો બીજે દહાડે કહેય ખરો કે “આજે ઊંઘ ના આવી.’ ‘અલ્યા, તું ઊંઘી જઉં છું ને તને ઊંઘ ના આવી,
SR No.008833
Book TitleAptavani 10 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2005
Total Pages319
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy