________________
મન કા ચલતા તન ચલે...
૪૩૧
૪૩૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) તો એને બધું સર્વસ્વ જતું રહેશે. મન વડગાદી જવાનું નક્કી કરે, તો આપણે એને જવા દઈએ. કારણ કે આપણે વડગાદી જવું છે. પણ મન દાદર સ્ટેશને ઉતરી માટુંગા ચાલવા માંડે તો ?
પ્રશ્નકર્તા : તો ત્યાં મનનું નહીં સાંભળવાનું.
દાદાશ્રી : જ્યાં સુધી આપણા ધાર્યા પ્રમાણે આવે ત્યાં સુધી કરેક્ટ. પછી એનું સાંભળવાનું નહીં અને બુદ્ધિમાં તો આપણું ચાલે નહીં ને !
પ્રશ્નકર્તા ઃ જેવી રીતે મનનું સાંભળવાનું નહીં, એવું અહંકારનું નહીં સાંભળવાનું એવું હોય છે ખરું ?
દાદાશ્રી : અહંકારનું સાંભળવાનું નહીં એ ખરું ને પણ એ તો મૂળ અહંકારની વાત જ નહીં ને ! મૂળ અહંકારનું સાંભળ્યા વગર છૂટકો જ ન થાય ને ! આ તો ડિસ્ચાર્જ અહંકારનું નહીં સાંભળવાનું.
પ્રશ્નકર્તા : મનથી માણસ ચાલે છે, એ સિવાય બીજા શેનાથી ચાલે ?
દાદાશ્રી : બીજાને અહંકારથી ચલાવે છે. આ બુદ્ધિજીવીઓ બધા એ મનને ગાંઠતા જ નથી. એ તો પોતાને કામમાં આવે એટલું જ મન લે. બીજું ગાંઠે નહીં. પોતાના ધ્યેય પ્રમાણે ચાલે. બુદ્ધિજીવીઓ બહુ સરસ કામ કાઢી લે. આ બધા મનના કારખાનાઓ ન હોય. એમાં ધ્યેય પ્રમાણે પોતાને ચાલવું. તોય અહીં આવ્યા વગર તો છૂટકો નથી. પેલો મેળ પડે નહીં ને !
પ્રશ્નકર્તા : મન કા ચલતા તન ચલે કહ્યું છે પણ આ વાણી પણ મોટે ભાગે વિચાર ફૂટે ને તરત બોલાઈ જાય છે એ બધું મનનું કહ્યું કહેવાય ?
દાદાશ્રી : બોલાઈ જવાય છે, એ વસ્તુ જુદી છે. અમુક બાબતમાં મન પ્રમાણે થાય છે.
પ્રશ્નકર્તા : અમુક બાબત એટલે ?
દાદાશ્રી : અત્યારે કો' કે ગાળ ભાંડી, તો મહીંથી મન કહેશે, મારો બે ધોલ તો ?” આ તો પ્રતિક્રમણ કરવું જોઈએ કે આ ભૂલ થઈ. આવું ના હોવું જોઈએ.
બધે ચોખ્ખું રાખવું જોઈએ, નહીં તો મનમાં રીસ ચઢતી જાય દહાડે દહાડે ને મન એક દહાડો કૂદાકૂદ કરી મેલે.
ધ્યેય એટલું જ ઉતરે “ચંદુ’ ! મનમાં તો ઉતરવાનું જ નથી. આ મનને તો જોયા જ કરવાનું છે. મનમાં જો ઉતરે તો ફરી બગડી જાય.
પ્રશ્નકર્તા: આપણું ધ્યેય હોય એટલું તો એને ઉતરવું પડે ને? દાદાશ્રી : આપણે ઉતરવાનું નહીં. પ્રશ્નકર્તા : મનને ઉતરવાનું ? દાદાશ્રી : એ તો ઉતરે છે. ચંદુભાઈ ઉતરે, આપણે શું ? પ્રશ્નકર્તા : ચંદુભાઈને એટલું ઉતરવાનું ને ?
દાદાશ્રી : એ તો ચંદુભાઈ ઉતરે છે, એ પોતાના ધ્યેય પ્રમાણે અને તે અવળું ચાલે તો પાછા હાંકે એને, કે એય એ બાજુ નહીં જવાનું.
પ્રશ્નકર્તા : મન વિચાર કરે અને પછી આપણા ધ્યેય પ્રમાણે હોય તો ચંદુભાઈ એટલે એમાં ઉતરે ?
દાદાશ્રી : ધ્યેય પ્રમાણે હોય તો જવા દેવાનું. અને ધ્યેયની વિરુદ્ધ હોય, આપણે જવું હોય ઉત્તરમાં ને એ આમ આ બાજુ ફરે, તો આપણે હાંકીને લઈ જવાનું એ બાજુ. આપણા ધ્યેય પ્રમાણે મનને વાળવું. મન આપણા ધ્યેયને અનુસરીને હોય તેટલો વખત એને અનુસરવું.