SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) મન કા ચલતા તન ચલે.. ૩૪૭ બોલવું, “મને નથી ગમતું એવું ના બોલાય. તમે તો એવું સીધું બોલો છો કે “મને નથી ગમતું !” પછી જો ડીપ્રેશન આવે ને ! ભય લાગે ! એક માણસ તો મને કહે છે, “આ ભાઈએ મને સાક્ષીમાં મૂક્યો છે. સમન્સ આવ્યો છે.” મેં કહ્યું. “મને શું કરવા કહેવા આવ્યો ? એમાં વાંધો શો ? વકીલ તો એણે કરેલો છે. એ વકીલ કહે એ તારે કરવાનું.” ત્યારે એ કહે, ‘પણ મને તો ન્યાયમંદિરમાં પગ મૂકતાં જ ભય લાગે છે.’ મેં એને કહ્યું, ‘અલ્યા, ન્યાયમંદિર તો મોટું બિલ્ડીંગ છે. એમાં કંઈ પડી જવાય એવું નથી કે એવું તેવું તો છે નહિ, કે એ લોકોએ કુતરા રાખ્યા છે મોટા મોટા ? ત્યાં શાની બીક લાગે ? અને એ તો મંદિર છે. શાથી બીક લાગતી હશે ?” પ્રશ્નકર્તા : ભય પેસી ગયેલો. આપી છે ! અને બીજું પાણી. તેય ‘ફ્રી ઑફ કૉસ્ટ’ આપ્યું છે. પાણી માટે બહુ ત્યારે અમુક જગ્યાએ જોઈએ ને પાછું વગર મહેનતે જ જોઈએ, એવું હોય તો પૈસા આપજે. તો તને તારે ત્યાં પાણી મળશે. પછી ‘ફૂડ' (અન્ન) પણ સસ્તું. ચોથું આવશ્યક છે સૂઈ રહેવાનું. જરાક ઠંડક જોઈએ. નાનું છાપરું જોઈએ, ઘાસનું કે ગમે ત્યાં. અને એકાદ પાથરવાની જરાક ચટ્ટાઈ અને એકાદ ઓઢવાનું જોઈએ. બસ, આટલું જ. બીજું શું જોઈએ ? કપડાં બે જોઈએ. તેમાં કેટલાં તોફાન કાઢયાં ! પહેલાં તો માથામાં તેલ નાખવાનું જ ન હતું. માથામાં તો વેરાન જ કરી નાખતા. અહીંથી મૂંડાવી દેતા. હૂડ હૂડ સીધું ! લે, કલઈ કરી નાખ એની ! કલઈ કર્યા જેવું જ દેખાય !! ‘તા ગમતા'થી ભય ! ‘નથી ગમતું” એવું બોલ્યા કે સાયકોલોજીકલ ઇફેક્ટ પડે છે. કારણ કે આત્માનો સ્વભાવ કેવો છે ? જેવું બોલે એવો થઈ જાય. જેવું ચિંતવે તેવો થઈ જાય. એટલે અમને ‘ગમે છે' એવું કહે તો એવું થઈ જાય. તમને એવું ભૂત પેસી ગયેલું કે “આ નથી ગમતું, આ નથી ગમતું'. હા, તે અજ્ઞાનદશામાં તો બધા એવું કરે જ. પણ આ જ્ઞાનદશામાં ના હોવું જોઈએ. નહીં તો એવું ચિંતવે એવો થઈ જાય એવું જાણતો થયો ને તમે જાણી જોઈને આવું કરો છો બધું. પણે જાણતો જ નથી બિચારો. પ્રશ્નકર્તા : જ્ઞાન પછી જાણીને કરે. દાદાશ્રી : જ્ઞાન પછી જાણતો થયો કે જેવું ચિંતવે એવો થઈ જાય આત્મા. એટલે અમને તાવ ચઢ્યો હોય, તો કોઈ કહે, ‘તાવ ચઢ્યો છે?” ત્યારે હું કહું કે ‘ના, કશુંય નથી થયું.” બહુ કહે ત્યારે કહું કે ‘અંબાલાલભાઈને તાવ ચઢ્યો છે. મને ચઢયો છે એવું હું ના બોલું.’ તમારે બહુ ત્યારે બોલવું જ હોય તો ‘મનને નથી ગમતું એવું દાદાશ્રી : “નથી ગમતું, નથી ગમતું' કહ્યું, તેથી આ ભય પેસી જાય તો પછી ન્યાયમંદિર ના જાય. એટલે ‘બહુ સરસ, બહુ સરસ’ કહીને મહીં પેસીને બેસીએ નિરાંતે. સ્મશાત કોતે ગમે ? દાદાશ્રી : કોઈના સ્મશાનમાં ગયેલા નહીં ? પ્રશ્નકર્તા : એક જ વાર ગયેલો. દાદાશ્રી : તો તને નથી ગમતું ? પ્રશ્નકર્તા : ત્યાં ના ગમતું એવું ના લાગે. દાદાશ્રી : એટલે ત્યાં ગમે ? | પ્રશ્નકર્તા : આવું ઊભું ના થાય કે નથી ગમતું. દાદાશ્રી : એટલે તારે મન તો ગમ્યું ને ? પ્રશ્નકર્તા : એમાં કશો વાંધો ના હોય.
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy