________________
ના ગમતા વિચારો સામે..
૨૯૧
૨૯૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ભરેલો ને, એટલે એ તો દેખાય જ નહીં ને ! નર્યો કચરો ભરેલો છે. એ તો નીકળશે, એ કેટલાં વર્ષો થાય ત્યારે એ ઠેકાણે પડશે.
એ હોય આત્મશક્તિ ! પ્રશ્નકર્તા: ક્યારેક એમ થાય છે કે વિચાર એ આત્માની શક્તિ
વિહ્વળતા કહેવાય. મન સહેજ વિહવળ થાય, એને ક્લેશ ના કહેવાય. એટલે એને જોયા કરવાનું. તમારે મનમાં પેસવાનું નથી, તન્મયાકાર નહીં થવાનું. એ તો આમાં પછી હવે એડવાનું જ ક્યાં રહ્યું ? એ તો જરાક ભૂલ થાય, તો પછી પાછું બટન ના જાણતા હોય તો પછી શિયાળાને દહાડે પંખો ચાલવા માંડે. પણ એ જાણી રહ્યા પછી કશુંય નહીં પાછું.
પ્રશ્નકર્તા : એટલે આપણે જ્ઞાન પછી એની સામે જોયા કરીએ એટલે એ વિચાર બંધ થઈ ગયા કહેવાય ?
છે.
દાદાશ્રી : ના, એ મનનો સ્વભાવ છે અને મન પૌદ્ગલિક વસ્તુ છે. બીજું શું પૂછવાનું છે ?
પ્રશ્નકર્તા : આત્માને જો વિચાર શક્તિ ન હોય, તો આપણને જે દોરવું છે એ મન-બુદ્ધિ દોરવે છે, તો આપણે દોરવાવું એનાથી ? તે કેવી રીતે કરવું ? શું કરવું ?
દાદાશ્રી : આપણે દોરવાવાનું નહીં. એ બધું જોયા કરવાનું. મન શું વિચાર કરે છે. મન ખરાબ વિચાર કરે, સારા વિચાર કરે તોય બસ, જોયા કરવાનું. બહાર ભેગા થાય તે સ્થળ સંયોગો. અને મન જે દેખાડે, કો'કનું ખરાબ ચિંતવન કરતું હોય એ સુક્ષ્મ સંયોગ કહેવાય. એની પર નિરીક્ષણ કરવાનું છે ફક્ત. બીજું કંઈ આપણે નથી કરવાનું. વિચાર એ આપણી શક્તિ નથી. એ શક્તિને પોતાની માનવાથી જ આ સંસાર ઊભો થયો છે. પછી મન આપણને બીવડાવે કે રસ્તામાં ગાડી અથડાશે તો શું થશે ? ત્યારે કહીએ, “શું થશે તે આપણે જોઈ લઈશું. આપણે તો જોનાર-જાણનાર છીએ. બીજું શું થવાનું ? અને જે થશે તે વ્યવસ્થિત છે. “વ્યવસ્થિત'ની બહાર કંઈ થવાનું નથી. એવું ‘વ્યવસ્થિત ગોઠવાયેલું છે કે જરાય અવ્યવસ્થિત ના થાય.
મત ક્લેશિત જ્ઞાત પછીય ! પ્રશ્નકર્તા (મહાત્મા) : જ્ઞાન હોવા છતાં, જ્ઞાન લીધું છે છતાં કોઈક વાર મન ક્લેશવાળું થઈ જાય છે, એનું શું કારણ ?
દાદાશ્રી : આ ક્લેશ જ ના કહેવાય. એ તો જરા મનની
દાદાશ્રી : બંધ થયા કે ના બંધ થયા તે આપણે જોવાનું નથી. જે જોયું તે અડે નહીં. જેમ આ હોળી છે તે હોળી સળગતી હોય, પણ આપણે જોઈએ તો આંખ દાઝે ખરી ? કેમ જોઈએ એટલે દાઝે નહીં ? જોવાથી કશું ના થાય, તમે આંગળી ઘાલો તો થાય. આ ખરાબ વિચાર આવ્યો, એમ કરીને આંગળી ઘાલો તો થાય. | મન જ્યારે વિચાર કરે સારા-ખોટા, ગમે તેવા, તો એ મન છે એ વાત ખાતરી થઈ ગઈ. ખરાબ વિચાર ને ખોટા વિચાર સામાજિક અપેક્ષાએ છે, ભગવાનની અપેક્ષાએ નથી. ભગવાનની અપેક્ષાએ તો મન સ્વભાવમાં છે.
મોંકાણ, દોઢ ડહાપણની પ્રશ્નકર્તા (મહાત્મા) : વિચાર આવે છે તે એવી રીતે તરત જ જતો રહે છે અગર તો નવકાર મંત્ર બોલાઈ જાય છે તરત.
દાદાશ્રી : હા, પણ તે શું થાય છે તે જોયા કરવાનું. તમે વચ્ચે કોણ છો ? મારું એમ કહેવાનું કે તમને આ જ્ઞાન આપ્યા પછી તમે શુદ્ધાત્મા છો, વ્યવહારથી ચંદુભાઈ છો.
પ્રશ્નકર્તા : તમારા જેવું જો પચતું હોય અને નિરંતર ચોવીસ કલાક....