SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ ૧પપ ૧૫૬ આપ્તવાણી-૮ તો ત્યાં કેવું સુખ હશે ?! સિદ્ધગતિમાં સુખનો સ્વાનુભવ ! પ્રશ્નકર્તા : જે સિદ્ધગતિમાં છે, મોક્ષે ગયા છે, એ લોકો દેહ વગરનું જે સુખ અનુભવ કરે છે, તો એ સુખ કોણ અનુભવ કરે છે ? દાદાશ્રી : પોતે જ, પોતે પોતાનો અનુભવ કરે છે. પોતે પોતાનું સ્વાનુભવ સુખ ભોગવ્યા જ કરે છે અને નિરંતર ગતિમાન છે પાછાં. એમને કાર્ય શું છે ? કે જ્ઞાનક્રિયા અને દર્શનક્રિયા, નિરંતર ચાલુ જ રહે આ વિચાર્યા વગરની વાતો છે બધી ! સનાતન સુખમાં રાચવું, એ જ મોક્ષ ! પ્રશ્નકર્તા : તો તમારી ગણતરીમાં મોક્ષ કઈ જાતનો ગણાય ? દાદાશ્રી : મોક્ષ એટલે ‘નો બોસ', ‘નો અંડરહેન્ડ’ અને ‘પરમેનન્ટ' પોતાના સ્વાભાવિક સુખમાં જ રહે. અને તે સ્વતંત્ર, પોતપોતાની રીતે સુખ ભોગવે. દરેક સિદ્ધ પોતપોતાની સ્થિતિમાં હોય ! પ્રશ્નકર્તા તો ત્યાં આટલા બધાં સિદ્ધાત્માઓ જુદી જુદી રીતે વર્તે ? દાદાશ્રી : જુદી જુદી રીતે નહીં. બધા એક જ સ્વભાવના છે, ને તે એક જ રીતે છે. એમને જ્ઞાન, દર્શન ને સુખ હોય છે, ચારિત્ર એમને નથી. અહીં તીર્થકર ભગવાન હોય, તો એ જ્ઞાન, દર્શન, ચારિત્ર સાથે છે, ને દેહ સાથે છે. ત્યાં સિદ્ધોને ચારિત્ર નથી કહેવાતું. ત્યાં આગળ તો પોતાનાં સ્વાભાવિક સુખમાં જ નિરંતર હોય ! એટલે ત્યાં એકાકાર થઈ જવાનું નથી. ત્યાં તમારું સુખ તમે સ્વતંત્ર રીતે જ ભોગવી શકો છો. સિદ્ધગતિમાં બધા સિદ્ધો સ્વતંત્ર રીતે જ છે. અને પોતાના સુખને જ અનુભવે છે ! નિરંતર પરમાનંદને અનુભવે છે !! એમનું એક મિનિટનું સુખ એ જો દુનિયા પર પડે, વખતે લપસી પડે, તો આખી દુનિયા હજારો વર્ષ સુધી આનંદમાં રહે, એવાં સુખને ભોગવી રહ્યા છે. અને એવાં સુખને માટે આ લોકો તલપાપડ થઇ રહ્યાં છે, ને તમારું પોતાનું સુખ પણ એવું જ છે. મને આ દેહનો અંતરાય હોવા છતાં ય પણ જે સુખ છે, એના ઉપરથી સમજાય છે કે આ દેહના અંતરાય ના હોય તો કેવું સુખ હોય ! અમારી જોડે બેઠાં છો, તો ય તમને બધાને સુખ અત્યારે મળે છે ને ! તેમાં અમારું સુખ તો ઉભરાય છે ને તે તમને સ્વાદ આપે છે ! પ્રશ્નકર્તા ઃ દેહ વગરના સુખનો અનુભવ કેવી રીતે થાય ? દાદાશ્રી : દેહ વગરના સુખનો અનુભવ પોતે ચિંતવન કરે તો એ પણ દેહ તો છે જ જોડે, એટલે એ સુખ પેલા જેવું ના થાય. એ તો આના ઉપરથી આપણે હિસાબ કાઢવાનો કે અહીં જો કદી આટલું બધું સુખ છે પ્રશ્નકર્તા : પછી એને શું જરૂર છે ત્યાં, આ જ્ઞાનક્રિયા, દર્શનક્રિયાની ?!. દાદાશ્રી : એ તો સ્વભાવ છે એમનો ! આ લાઇટ છે, એ નિરંતર આપણને જોયા કરતું હશે ને ? આ લાઇટ જો ચેતન હોય તો આપણને નિરંતર જોયા જ કરે કે ના કરે ? એવું એ ચેતન જોયા કરે છે. એ હવે ત્યાં રહીને શું જોતાં હશે ? હવે એમની પાસે જ્ઞાન-દર્શન છે ને, એ જ એમનું અનંતજ્ઞાન ને અનંતદર્શન એ વપરાય, એના પરિણામમાં આનંદ હોય. એટલે પહેલાં આનંદ ના હોય. આનંદ પહેલાં ને પછી જ્ઞાન અને દર્શન, એવું ના હોય. જ્ઞાન અને દર્શન વપરાય એમનું એટલે આનંદ રહે જ ! તે એમને જ્ઞાન-દર્શન સિવાય બીજું કશું છે નહીં. એ સ્વરૂપ જ આખું જ્ઞાન સ્વરૂપ છે, દર્શન સ્વરૂપ છે. એટલે આપણે હાથ ઊંચો કર્યો, તે દેખાયો એમને. તે એમને ય પાછું શું થાય કે જોવાનું, તે ય છે તે હાનિ-વૃદ્ધિ થયા કરે. રાત પડે એટલે આ ભાગમાં હાનિ થાય અને બીજા ભાગમાં વૃદ્ધિ થાય. એવું હાનિ-વૃદ્ધિ થાય. અને આપણે ત્યાં સવારના પાંચ વાગ્યા ત્યારથી આ લોકો એમને દેખાય. પણ ખરેખરું વૃદ્ધિ થયેલું ક્યારે દેખાય ? દશ, અગિયાર, બાર વાગે, ખૂબ બધું દેખાય, હોય લોક બધાં ફરતાં હોય, આમ ફરતાં હોય, તેમ ફરતાં હોય, બધું દેખાય. એમને જોવું છે ને જાણવું
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy