________________
આપ્તવાણી-૮
૧પપ
૧૫૬
આપ્તવાણી-૮
તો ત્યાં કેવું સુખ હશે ?!
સિદ્ધગતિમાં સુખનો સ્વાનુભવ ! પ્રશ્નકર્તા : જે સિદ્ધગતિમાં છે, મોક્ષે ગયા છે, એ લોકો દેહ વગરનું જે સુખ અનુભવ કરે છે, તો એ સુખ કોણ અનુભવ કરે છે ?
દાદાશ્રી : પોતે જ, પોતે પોતાનો અનુભવ કરે છે. પોતે પોતાનું સ્વાનુભવ સુખ ભોગવ્યા જ કરે છે અને નિરંતર ગતિમાન છે પાછાં. એમને કાર્ય શું છે ? કે જ્ઞાનક્રિયા અને દર્શનક્રિયા, નિરંતર ચાલુ જ રહે
આ વિચાર્યા વગરની વાતો છે બધી !
સનાતન સુખમાં રાચવું, એ જ મોક્ષ ! પ્રશ્નકર્તા : તો તમારી ગણતરીમાં મોક્ષ કઈ જાતનો ગણાય ?
દાદાશ્રી : મોક્ષ એટલે ‘નો બોસ', ‘નો અંડરહેન્ડ’ અને ‘પરમેનન્ટ' પોતાના સ્વાભાવિક સુખમાં જ રહે. અને તે સ્વતંત્ર, પોતપોતાની રીતે સુખ ભોગવે. દરેક સિદ્ધ પોતપોતાની સ્થિતિમાં હોય !
પ્રશ્નકર્તા તો ત્યાં આટલા બધાં સિદ્ધાત્માઓ જુદી જુદી રીતે વર્તે ?
દાદાશ્રી : જુદી જુદી રીતે નહીં. બધા એક જ સ્વભાવના છે, ને તે એક જ રીતે છે. એમને જ્ઞાન, દર્શન ને સુખ હોય છે, ચારિત્ર એમને નથી. અહીં તીર્થકર ભગવાન હોય, તો એ જ્ઞાન, દર્શન, ચારિત્ર સાથે છે, ને દેહ સાથે છે. ત્યાં સિદ્ધોને ચારિત્ર નથી કહેવાતું. ત્યાં આગળ તો પોતાનાં સ્વાભાવિક સુખમાં જ નિરંતર હોય !
એટલે ત્યાં એકાકાર થઈ જવાનું નથી. ત્યાં તમારું સુખ તમે સ્વતંત્ર રીતે જ ભોગવી શકો છો. સિદ્ધગતિમાં બધા સિદ્ધો સ્વતંત્ર રીતે જ છે. અને પોતાના સુખને જ અનુભવે છે ! નિરંતર પરમાનંદને અનુભવે છે !! એમનું એક મિનિટનું સુખ એ જો દુનિયા પર પડે, વખતે લપસી પડે, તો આખી દુનિયા હજારો વર્ષ સુધી આનંદમાં રહે, એવાં સુખને ભોગવી રહ્યા છે. અને એવાં સુખને માટે આ લોકો તલપાપડ થઇ રહ્યાં છે, ને તમારું પોતાનું સુખ પણ એવું જ છે. મને આ દેહનો અંતરાય હોવા છતાં ય પણ જે સુખ છે, એના ઉપરથી સમજાય છે કે આ દેહના અંતરાય ના હોય તો કેવું સુખ હોય ! અમારી જોડે બેઠાં છો, તો ય તમને બધાને સુખ અત્યારે મળે છે ને ! તેમાં અમારું સુખ તો ઉભરાય છે ને તે તમને સ્વાદ આપે છે !
પ્રશ્નકર્તા ઃ દેહ વગરના સુખનો અનુભવ કેવી રીતે થાય ?
દાદાશ્રી : દેહ વગરના સુખનો અનુભવ પોતે ચિંતવન કરે તો એ પણ દેહ તો છે જ જોડે, એટલે એ સુખ પેલા જેવું ના થાય. એ તો આના ઉપરથી આપણે હિસાબ કાઢવાનો કે અહીં જો કદી આટલું બધું સુખ છે
પ્રશ્નકર્તા : પછી એને શું જરૂર છે ત્યાં, આ જ્ઞાનક્રિયા, દર્શનક્રિયાની ?!.
દાદાશ્રી : એ તો સ્વભાવ છે એમનો ! આ લાઇટ છે, એ નિરંતર આપણને જોયા કરતું હશે ને ? આ લાઇટ જો ચેતન હોય તો આપણને નિરંતર જોયા જ કરે કે ના કરે ? એવું એ ચેતન જોયા કરે છે.
એ હવે ત્યાં રહીને શું જોતાં હશે ? હવે એમની પાસે જ્ઞાન-દર્શન છે ને, એ જ એમનું અનંતજ્ઞાન ને અનંતદર્શન એ વપરાય, એના પરિણામમાં આનંદ હોય. એટલે પહેલાં આનંદ ના હોય. આનંદ પહેલાં ને પછી જ્ઞાન અને દર્શન, એવું ના હોય. જ્ઞાન અને દર્શન વપરાય એમનું એટલે આનંદ રહે જ ! તે એમને જ્ઞાન-દર્શન સિવાય બીજું કશું છે નહીં. એ સ્વરૂપ જ આખું જ્ઞાન સ્વરૂપ છે, દર્શન સ્વરૂપ છે. એટલે આપણે હાથ ઊંચો કર્યો, તે દેખાયો એમને.
તે એમને ય પાછું શું થાય કે જોવાનું, તે ય છે તે હાનિ-વૃદ્ધિ થયા કરે. રાત પડે એટલે આ ભાગમાં હાનિ થાય અને બીજા ભાગમાં વૃદ્ધિ થાય. એવું હાનિ-વૃદ્ધિ થાય. અને આપણે ત્યાં સવારના પાંચ વાગ્યા ત્યારથી આ લોકો એમને દેખાય. પણ ખરેખરું વૃદ્ધિ થયેલું ક્યારે દેખાય ? દશ, અગિયાર, બાર વાગે, ખૂબ બધું દેખાય, હોય લોક બધાં ફરતાં હોય, આમ ફરતાં હોય, તેમ ફરતાં હોય, બધું દેખાય. એમને જોવું છે ને જાણવું