________________
આપ્તવાણી-૮
૧૪૩
૧૪૪
આપ્તવાણી-૮
ધરાવે છે પણ અત્યારે મૂઢાત્મા દશામાં છે, બહિર્મુખી આત્મા છે.
બહિર્મુખી આત્મા એટલે જ મૂઢાત્મા ! બહિર્મુખી એટલે ‘ટેમ્પરરી’ વસ્તુમાં સુખ ખોળે છે કે આ મારું, આમાં મને સુખ આવશે, આમ સુખ આવશે’ ને અનંત અવતારથી ભટક ભટક કરે છે; પણ કશામાં સુખ આવતું નથી. એટલે પાછો કંટાળે છે. તો ય પાછો કહેશે, આમાંથી સુખ આવશે. પણ એવી કેટલી ચીજ છે, બધી અનંત ચીજો છે, એમાં એકને ખસેડે છે ને પાછી બીજી લે છે, આને ખસેડે ને પાછી બીજી ! એમ કરતો કરતો કાળ વહી રહ્યો છે; પણ કોઈ જગ્યાએ સુખ આવતું નથી.
ભૌતિક સુખો બધા વિનાશી છે અને એ કલ્પિત સુખો છે, એ સાચા સુખો નથી. કલ્પિત એટલે તમને જો દૂધપાક ભાવતો હોય, બીજાને એ ખાવાનો કંટાળો આવે, એવું બને ખરું ?
પ્રશ્નકર્તા : બને.
દાદાશ્રી : એવું છે, કેટલાક લોકોની માન્યતા આવી હોય છે કે આવરણસહિત એને જીવ કહો અને નિરાવરણને આત્મા કહો. પણ હું શું કહેવા માગું છું ? કે આવરણસહિત હોવા છતાં આત્મા પ્રાપ્ત થાય છે, ત્યારે કઈ નવી વસ્તુ હશે એ ?!
પ્રશ્નકર્તા : આ તો નવું કહેવાય. નહિ તો અમને જે સમજાવવામાં આવ્યું છે કે સમુદ્રનું પાણી છે, એમાં પવનથી જ્યારે મોજાં થાય, ત્યારે એ મોજાં એ આત્મા અને સમુદ્ર એ પરમાત્મા.
દાદાશ્રી : આ તો બધા વિકલ્પો કહેવાય, ગાંડા વિકલ્પો ! હા, આવરણવાળો એને જીવ કહેવો જોઇએ અને નિરાવરણ હોય એને આત્મા કહેવો જોઇએ, એ વિકલ્પને આપણે ચલાવી લઈએ. બાકી, બીજા આવાં વિકલ્પ તો કામના જ નહિ. આત્મા જાણી શકાય એવી વસ્તુ નથી. આત્મજ્ઞાની વર્લ્ડમાં કોઇક ફેરો હજારો વરસે, કોઇ એકાદ માણસ જ હોય, બીજો માણસ જ ના હોય, એવી એ અજોડ વસ્તુ છે. અજોડ એટલે બિનહરીફ હોય.
ભ્રાંતિતી, કેટલી બધી અસરો !! પ્રશ્નકર્તા: જીવ એ શિવ અને આત્મા એ જ પરમાત્મા તો પછી આ એકબીજાને મારી નાખે છે, ખૂન કરી નાખે છે, દુઃખ થાય એવું કરે છે, એવું શા માટે ?
દાદાશ્રી : એ તો પ્રકૃતિની લઢાલઢ છે, આત્માની લઢાલઢ નથી. પ્રકૃતિ લઢે છે. જેમ આ પૂતળાં લઢેને એવું છે. તે જયાં સુધી આ ભ્રાંતિ છે ત્યાં સુધી ‘આ મારા બાબાનો બાબો મરી ગયો !” પણ ઓહોહો ! આત્મા તો એનો એ જ રહ્યો છે. પણ ખોખાં મરી જાય છે અને પછી રડારોળ કરે છે ! કે “મારા બાબાનો બાબો, એકનો એક જ બાબો હતો !” જાણે એ પોતે મરવાનો ના હોય, એવું એ રડે છે !
‘વસ્તુ' એક, દશાઓ અનેક ! અનંત આત્માઓ છે અને તે બધા ય ભગવાન થવાની લાયકાત
દાદાશ્રી : ત્યારે સાચું સુખ તો બધાને ગમે. જે સનાતન સુખ, સાચું સુખ હોયને તે બધાને ગમે. આ તો કલ્પિત સુખ છે. દરેકનું જુદે જુદું હોય. આ હિન્દુઓ ‘વેજીટેરિયન ખાય અને મુસલમાનોને પેલું જ ફાવે. એટલે દરેકની જુદે જુદી કલ્પેલી વસ્તુ છે. આ એટલે જ્યાં સુધી કલ્પિત સુખો ભોગવવાની ઇચ્છા છે, જયાં સુધી એમાં તમન્ના છે, ત્યાં સુધી જીવાત્મા તરીકે રહે છે. ત્યાં સુધી જીવાત્મા કહેવાય. પછી ‘જ્ઞાની પુરુષ' મળે ત્યારે અંતરાત્મા થાય. અહીં અંતરાત્મા થવા તો સંતપુરુષે ય ના ચાલે. સંતપુરુષ તો એને આગળ લઇ જાય. પછી અંતરાત્મા થયો એટલે આ ભૌતિક સુખોની ઇચ્છા એને છૂટી જાય અને પોતાના આત્માનું સુખ સનાતન સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છા થઈ જાય. અને જ્ઞાની પુરુષ’ થોડુંક સુખ એને ચખાડે એટલે પછી પેલું સુખ એને ગમે નહીં. જેમ ચા સવારમાં તમે પીવો છો. પણ આ ચા પીતી વખતે કોઈકે જલેબી લાવીને મૂકી તો તમે શું વિવેક કરો ? પહેલું શું ખાવ ? જલેબી ખાવ કે ચા પીવો ?
પ્રશ્નકર્તા : ચા. દાદાશ્રી : ચા પહેલી પીવો. શાથી ? કે જલેબી ખાવ તો ચા મોળી