SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ પછી શું કહે છે કે, ‘કર્તા મીટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ.’ મહાભજનનો મર્મ ક્યો ? કર્મ છૂટે નહીં તો કર્મના આધીન કર્તા ને કર્તાના આધીન કર્મ, કર્મના આધીન કર્તા ને કર્તાના આધીન કર્મ. કેવી ઘટમાળ છે ? ‘કોઝીઝ એન્ડ ઈફેક્ટ, ઈફેક્ટ એન્ડ કોઝીઝ, કોઝીઝ એન્ડ ઈફેક્ટ, ઈફેક્ટ એન્ડ કોઝીઝ.’ એમાં આ બધા લોકો કર્તાપણું શીખવાડે છે, કર્તા કરાવડાવે છે. ‘આ છોડો, સારું કરો.’ હવે એક બાજુ કર્મ છોડવા છે અને એક બાજુ આ કરવું છે. પ્રશ્નકર્તા : વિરોધાભાસ. ૧૪૧ દાદાશ્રી : હા, એટલે આ ગાડી કાશીએ પહોંચે નહીં. તે કેટલાંય અવતારથી લોકોની ગાડીઓ પહોંચતી જ નથી. હે ય... નિરાંતે ક્યા ગામમાં ય પડી હોય, તે કાશીએ કોઈની પહોંચી જ નથી. તેથી હું તમને કાશીનો પાસપોર્ટ કાઢી આપું છું ને ! એ પાસપોર્ટ જ તમને કાશીએ લઈ જશે. ગાડીનાં પૈડાં નહીં લઈ જાય, પણ આ પાસપોર્ટ જ લઈ જશે. કારણ કે ‘કર્તાપણું’ છૂટી જાય. એટલે પછી રહ્યું જ શું આ દુનિયામાં ? અવળી માન્યતાઓ, ‘જ્ઞાતી’ જ છોડાવે ! પ્રશ્નકર્તા : મારું એવું માનવું છે કે આ બધું જે કરાવે છે, તે જીવ કરાવે છે. દાદાશ્રી : પણ કરનાર કોણ ? જીવ કરાવે તો કરનાર કોણ ? ખરી રીતે તો આ જીવે ય નથી કરાવતો. પ્રશ્નકર્તા : ના, જીવ જ કરાવે છે. દાદાશ્રી : એ તો તમને લાગે એવું કે આ જીવ કરાવે છે. પ્રશ્નકર્તા : એટલે થાય કે જીવને પહેલાં કંટ્રોલમાં લો, તો પછી આગળ જવાય. દાદાશ્રી : અરે, જીવ કરાવતો જ નથી ને બિચારો ! જીવમાં સંડાસ જવાની શક્તિ ય નથી. એ તો અટકે ત્યારે ખબર પડે કે આ મારી શક્તિ નથી. પછી ડૉક્ટર દવા આપે ત્યારે સંડાસ જવાનું ચાલુ થાય. આપ્તવાણી-૮ પ્રશ્નકર્તા : પણ આપણને અંદરથી કહે છે ને સંડાસ જવાનું પછી સંડાસ જાય છે ને ? ૧૪૨ દાદાશ્રી : એ તો વાત ખરી છે. પ્રેરણા તો અંદરથી જ થાય છે. પણ જીવને સંડાસ જવાની સત્તા પોતાની નથી. જીવ બીજી સત્તાથી ચાલે છે. આમાં આત્માની ય સત્તા નથી. અંદરથી કહે છે એ બરોબર છે. એનો અર્થ શું કહેવા માંગે છે ? મહીં જે પ્રેરણા થાય છે ને, એ પ્રેરણા થાય એટલે મન તરત જ ઇન્દ્રિયોને કહી દે કે આમ કરવું છે. એટલે બધી ઇન્દ્રિયો તૈયાર થઈ જાય. એટલે અંદરની પ્રેરણા શક્તિથી બધું ચાલ્યા કરે છે. પ્રશ્નકર્તા : પણ જીવને ‘કંટ્રોલ’માં લો તો જ આગળ જઈ શકાય ને ? દાદાશ્રી : આ જીવને ‘કંટ્રોલ’માં લઈ તો જુઓને ! આ તો સંડાસ જવાની ય શક્તિ નથી. જીવવાની ય શક્તિ નથી ને મરવાની ય શક્તિ નથી. જો મરવાની શક્તિ હોતને તો મરત જ નહિ. પણ એવી કોઈ શક્તિ જ નથી. પ્રશ્નકર્તા : એ શક્તિ કોની પાસે છે ? દાદાશ્રી : એ શક્તિ જ આ હું તમને બતાવું છું ને એ શક્તિથી જ આ જગત ચાલી રહ્યું છે. પ્રશ્નકર્તા : એ શક્તિને અમે ભગવાન કહીએ છીએ. દાદાશ્રી : હા, એને જગત ભગવાન કહે છે. પણ એ શક્તિ તો જડશક્તિ છે. એ જડશક્તિ છે એટલે આપણે એને ભગવાન નથી કહેતા. જગતનાં લોકોને તો સમજણ નથી ને ? એટલે એને જ ભગવાન માને છે, ભગવાન સિવાય બીજું કરે જ કોણ ? પણ એ બીજી શક્તિ કરે છે. એ હું તમને દેખાડી દઈશ ! પ્રશ્નકર્તા : હું તો બીજું એમ પણ સમજતો હતો કે જીવ એટલે બધા આવરણવાળો જે છે એને જીવ કહેવાય. અને આવરણો જેમ જેમ તૂટતાં જાય એટલે જીવાત્મામાંથી આત્મા બને.
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy