________________
આપ્તવાણી-૮
૧૨૯
૧૩૦
આપ્તવાણી-૮
એવી આ આત્માની દશાઓ છે. જ્યાં સુધી “એને' સંસારના સુખોની ઇચ્છા છે ત્યાં સુધી ‘એ’ મૂઢાત્મા કહેવાય છે, બહિર્મુખી આત્મા કહેવાય છે.
પ્રશ્નકર્તા : અને આવરણ દૂર થાય તો એ પરમાત્મા થાય ?
દાદાશ્રી પણ આવરણ દૂર એમ ને એમ થાય નહિ ને ! પહેલી એની દ્રષ્ટિ ફરે. અત્યારે દ્રષ્ટિ કેવી છે ? કે તમારી દ્રષ્ટિ આ “સાઇડમાં છે, એટલે આ બાજુનું જ દેખાય છે. હું ચંદુભાઈ છું' એ જ દ્રષ્ટિ છે ને તમારી ? કે બીજું કશું છું એવી દ્રષ્ટિ છે ?
દાદાશ્રી : તમે તો શિવ જ છો ! પણ તમને ‘હું શિવ નથી’ એવી ખાતરી થઈ ગઈ છે, ભ્રાંતિ પડી ગઈ છે તમને. ‘ચંદુભાઈ છું' એવું તમે માનો છો. આ લોકોએ નામ આપ્યું એટલે આપણે માની લેવાનું ? તમે શિવ જ છો, પણ જીવ-શિવનો જો ભેદ સમજોને તો !
પ્રશ્નકર્તા : પછી તો અદ્વૈત થયું ને ?
દાદાશ્રી : જીવ-શિવનો ભેદ ના રહ્યો એટલે પછી અદ્વૈત થાય. જીવ-શિવ એક રૂપે ભાસ્યા એ અદ્વૈત ! જીવ જુદો ને શિવ જુદો એ ભ્રાંતિ છે !
પ્રશ્નકર્તા : આત્મા પણ છું ને !
પ્રશ્નકર્તા : પણ આત્મા તો શિવ હતો, તે જીવ કઇ રીતે થઇ ગયો ?
દાદાશ્રી : આ ઊંધી માન્યતાથી, “રોંગ બિલિફથી જીવ થઈ ગયો છે. ‘જ્ઞાનીપુરુષ” આ ‘રોંગ બિલિફો’ ‘ફેક્ટર’ કરી આપે અને પછી “રાઇટ બિલીફ બેસાડી આપે એટલે “પોતે’ ‘આત્મા’ જ થઈ જાય પાછો, શિવસ્વરૂપે થઇ જાય.
જીવનો શિવ થવામાં વાર નથી લાગતી. છે જ પોતે શિવ ! પણ એને આ ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે, એટલે ‘રોંગ બિલિફો’ બધી બેસી ગઈ છે. એ ‘બિલિફ’ બદલાય અને “રાઈટ બિલિફ’ બેઠી કે ‘પઝલ’ ‘સોલ્વ” થઇ જાય.
દાદાશ્રી : ના, પણ અત્યારે કાગળ તો ‘ચંદુભાઈના નામનો ‘તમે' જ લઇ લો ને ? અત્યારે કોઈ ગાળ ભાંડે તો તમને અસર થાય ?
પ્રશ્નકર્તા : થાય.
દાદાશ્રી: જો તમે આત્મા હો તો તમને અસર ના થાય. માટે ‘તમે” ચંદુભાઈ” છો. હવે ‘હું ચંદુભાઈ છું' બોલવામાં વાંધો નથી, એ તો હું ય કબૂલ કરું છું કે એ. એમ. પટેલ છું.’ પણ મને ‘હું એ. એમ. પટેલ છું’ એવી ‘બીલિફ નથી. અને તમને ‘હું ચંદુભાઈ છું' એવી ‘બીલિફ છે.
મને એક ભઈ એમ કહેતા હતા કે, ‘જીવ અને બ્રહ્મ એક જ છે, એવું તો વેદાંત એકલાએ જ કહ્યું છે. બીજા કોઈ જાણતા જ નથી.’ કહ્યું, ‘જીવ અને બ્રહ્મ એકનો એક જ છે, એ તો બધાય જાણે છે.” આ વૈડ્યિા માણસ કહે છે ને કે, “હું મરી જઇશ, મરી જઇશ ડૉક્ટર સાહેબ. મને બચાવજો ?’ એને મનમાં એમ લાગે છે કે હું મરી જઇશ ત્યારે એ જીવ છે. જેને મારવાનો ભો લાગે છે એ બધા જીવ. અને મરવાનો ભો લાગતો બંધ થયો એટલે એનો એ જ જીવ પછી બ્રહ્મ થઇ ગયો !
જાણકાર' જ “જÉપાડે !
પ્રશ્નકર્તા : પણ ભૌતિક જગત, જીવ અને આત્મા - એ ત્રણેયની વ્યાખ્યામાં શું ફેર છે ? એ ભેદ છે એ શા માટે ?
દાદાશ્રી : જીવ એ જ ભૌતિક જગત છે. એમાં ભૌતિક જગત જાણવાની જરૂર જ નથી. એમાં કેમ ફેર પાડ્યો ? તમે કહો.
પ્રશ્નકર્તા: જીવ અને અજીવ તરીકે.
દાદાશ્રી : પણ જીવ એ જ ભૌતિક છે. જીવાત્મા કેમ કહેવાય ? ત્યારે કહે, ‘ભૌતિક તરફ એની દ્રષ્ટિ છે અને ભૌતિકમાં જ એનો મુકામ છે, માટે એને જીવાત્મા કહ્યો.” ભૌતિક સુખમાં જ એની રાચના છે, રમણતા
પોતે' શિવ, પણ ભ્રાંતિથી જીવ ! પ્રશ્નકર્તા : બ્રહ્મને જીવ કેમ થવું પડ્યું ?