SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ ૧૧૫ ૧૧૬ આપ્તવાણી-૮ ‘સત્' પમાડવા, કેવી કાપ્યતા દાદાશ્રી : અદ્વૈતની અનુભૂતિ થઈ શકે. દ્વતની અનુભૂતિ થાય ત્યાર પછી અદ્વૈતની અનુભૂતિ થાય. આ જે સંસાર છે એ દૈત સ્વભાવનો છે. એની અનુભૂતિ થઈ જાય પછી અદ્વૈતની અનુભૂતિ થાય. વાઈફ જોડે વઢવાડ થાય નહિ, બાપા જોડે વઢવાડ થાય નહિ, કોઈની જોડે ડખળામણ ના થાય, એવી જે અનુભૂતિ થાય પછી અદ્વૈતની અનુભૂતિ થાય. અને દ્વિતની અનુભૂતિ જેને થઈ, એને જ અદ્વૈતની અનુભૂતિ થાય. અદ્વૈત એટલે શું? એ એણે જાણવું જોઈએ ! આત્મા જાણવા માટે છે આ બધું. આત્મા ના જાણ્યો તો રખડી મર્યા ! અને જેને દ્વન્દ્ર છે એ બધા રખડી મર્યા! જેને દ્વન્દ્ર છે એ અદ્વૈત કહેવાય નહિ. દ્વન્દ્ર એટલે શું? કે સારું-ખોટું, નફો-ખોટ, એવું જેને દ્વન્દ્ર હોય એ અદ્વૈત કહેવાય નહીં. દ્વદ્વાતીત થયે અદ્વૈત ! અદ્વૈત તો એનું નામ કહેવાય કે દ્વન્દાતીત થયેલો હોય. અદ્વૈત એ ગમ્યું નથી. દૈતના આધારે અદ્વૈત રહેલું છે. શેના આધારે રહેલું છે ? પ્રશ્નકર્તા દ્વૈતના આધારે. દાદાશ્રી : હા, માટે એ ‘રિલેટિવ' વસ્તુ છે અને ‘રિલેટિવ’ વસ્તુ ‘રિયલ’ ક્યારેય પણ ન થઈ શકે. તેના આધારે અદ્વૈત રહેલું છે, છે એ ‘રિલેટિવ' વસ્તુ છે. અને ‘રિલેટિવ' વસ્તુ ‘રિયલ’ થાય નહિ. અને આત્મા ‘રિયલ’ છે. એટલે એ જે અદ્વૈત બોલે છે, તે બધી મોટી મોટી વાતો કરે છે, પણ વાતમાં કશો સાર નથી. અદ્વૈત હોય તો આપણે એને પુરવાર કરવું જોઈએ કે ‘ભાઈ, તમે દ્વન્દાતીત છો કે નહિ, એ અમને કહો. એ કહે કે, ‘અમે દુન્દાતીત છીએ.' તો આપણે ‘કરેક્ટ’ માની લઈએ. દ્વન્દાતીત તો થવો જ જોઇએ. આ દ્વન્દો છે, નફો-નુકસાન, સુખ-દુ:ખ, બધાથી પર થવો જોઇએ, એની અસર જ ના થવી જોઇએ. એટલે અદ્વૈત કોને કહેવાય ? ધ્રુન્દાતીત થયેલા હોય તેને ! અને પછી નફો કે ખોટ એવું કશું સ્પર્શે જ નહીં. એને ગજવું કાપે તો ય સરખું ને ફૂલો ચઢાવે તો ય સરખું. ગાળો ભાંડે તો ય સરખું, ધોલ મારે તો ય સરખું, તો અદ્વૈત કહેવાય. એટલે તમારે અદ્વૈતને સમજવું છે ને ? “એક્કેક્ટ’ સમજવું હોય તો પદ્ધતિસર સમજો, ને તમારી જે સ્થિરતા છે એ ખોઈ ના નાખશો. પદ્ધતિસર એટલે અમે જે વાત કરીએ છીએ એ ત્રિકાળ સત્ય વાત છે. એમાં ફેરફાર ના થાય. અમે છેલ્લી વાત કરીએ કે જેનાથી લોકો સાચી હકીકત પામે. આ અદ્વૈતનું બહુ પેસી ગયું છે આખું ! એ તો કહેવું પડશે કે “અદ્વૈત કોઇ સમજવા માગતું હોય તો અહીં આ ‘દાદા' પાસે આવો. આ ખોટું શા માટે ઝાલી પડ્યા છો ?” અને વખતે કોઈ સામાવળિયો થઈને આવે તો મને વાંધો નથી. એ ગાળો ભાંડે તો ય મને વાંધો નથી. એમને જમાડી દઈએ; એમ ટાઢા પાડીને પછી એને વાતની સમજણ પાડી દઉં. એ ગાળો ભાડે તો ય મને ઊંઘ આવે ને હું ગાળ ભાંડું તો એને ઊંઘ ના આવે. એટલે મારાથી એને દુ:ખ કરાય નહિ અને મને તો ઊંઘ આવશે ! એટલે પાંસરું તો કરવું પડશે ને ? ક્યાં સુધી આ ચાલશે ? આમાં મારે કરવું નથી. હું તો નિમિત્ત છું અને મને આવો આદેશ બધો મળ્યો છે. પ્રશ્નકર્તા : કોનો આદેશ મળ્યો છે ? દાદાશ્રી : દેશકાળનો આદેશ મળ્યો છે ! પ્રશ્નકર્તા : આ વાત તમારી ‘સાયન્ટિફિક' છે ! દાદાશ્રી : હા. “સાયન્ટિફિક’ વાત છે. કારણ કે કોઈ બાપો ય ઉપરી નથી કે મને આદેશ કરે. પણ દેશકાળનો આ આદેશ મળ્યો છે. આવું આદેશ કહેતાંની સાથે કોઈકને એમ જ થાય કે આપનો કોઈક ઉપરી છે ! ના, અમારો કોઈ ઉપરી જ નથી. હું જ છું જે છું તે ! અને વ્યવહારમાં હું લઘુતમ છું અને ‘રિયલી’ ‘સ્પીકિંગ’ હું ગુસ્તમ છું. પછી ભાંજગડ જ ક્યાં છે ? મારે વ્યવહારમાં ગુરુતમ થવું નથી. કારણ કે વ્યવહારમાં જે ગુરુતમ થયેલા ને, એ બધાયનાં બે પગમાંથી ચાર પગ થયેલા. એ નિયમ જ એવો છે ! કે વ્યવહારમાં ગુરુતમ એ ચાર પગ થયેલાં જ અને વ્યવહારમાં લઘુત્તમ ભાવે છે તો જ ઊકેલ આવશે.
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy