________________
આપ્તવાણી-૮
૧૧૩
૧૧૪
આપ્તવાણી-૮
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : મને અદ્વૈતવાળા પૂછે છે કે, ‘તો આત્મા કેવો છે ?” ત્યારે મેં કહ્યું, ‘આત્મા અદ્વૈત સ્વરૂપ છે જ નહિ અને આત્મા દ્વતે ય નથી. આત્મા વૈતાદ્વૈત છે !'
દ્વૈતાદ્વૈતનો અર્થ શું ? કે ‘બાય રિલેટિવ વ્યુ પોઇન્ટ’ આત્મા દ્વૈત છે. જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી ‘રિલેટિવ વ્યુ પોઈન્ટ’ હોય જ. સંડાસ ના જવું પડે ? ખાવું ના પડે ? એ ‘રિલેટિવ વ્યુ પોઇન્ટ’થી છે, એટલે આત્મા દ્વત છે. અને ‘રિયલ વ્યુ પોઇન્ટ'થી આત્મા અદ્વૈત છે. અને પછી અહીંથી જ્યારે મોક્ષે જાય છે ત્યારે ત્યાં વિશેષણ હોતું જ નથી. ‘બોડી” છે ત્યાં સુધી જ વિશેષણ છે. ‘બોડી’ના આધારે જ આ બધાં દ્વતનાં ને અદ્વૈતનાં વિશેષણ છે.
ત્યાં મોક્ષે ગયા પછી વિશેષણ નથી હોતું. ‘બાય રિલેટિવ વ્યુ પોઇન્ટ’ ‘હું” દ્વત છું અને ‘બાય રિયલ વ્યુ પોઇન્ટ’ ‘હું' અદ્વૈત છું. એટલે ‘હું વૈતા-દ્વૈત છું ! જયાં સુધી બોડી હોય ત્યાં સુધી અદ્વૈત એકલો રહી શકે નહિ.
આ અદ્વૈત કહેવાનો શું ભાવાર્થ છે ? કે ‘ફોરેન ડીપાર્ટમેન્ટમાં ઉપયોગ ના મૂકો. એવું આ કહેવાને માટે હતું, એને બદલે આ ઊંધું થઇ ગયું, ‘ફોરેન'માં ઉપયોગ ના મૂકવો અને ‘હોમ’માં જ રહો. ‘હોમ” એ અદ્વૈત છે અને ‘ફોરેન’ એ દ્વત છે. અત્યારે ‘તમે’ ‘ફોરેન’ને જ ‘હોમ' માનો છો. ‘હું જ આ ચંદુભાઈ છું’ કહો છો. હજુ ‘હોમ'ને તો જોયું જ નથી. ‘હોમ'ને જુઓ ત્યારે ચિંતા ના હોય, અકળામણ ના હોય, ઉપાધિમાં ય સમાધિ રહે !
દ્વૈત-અદ્વૈત, બંને હૃદ્ધ !! એક ભાઈ આવેલો, મને કહે છે, ‘હું અદ્વૈત થઇ ગયો છું'. મેં કહ્યું, ‘એ વળી શબ્દ પાછો ક્યાંથી લાવ્યો ? શેને અદ્વૈત કહે છે ?” ત્યારે એ કહે, ‘હું દૈતમાં ના રહું.’ ત્યારે મેં કહ્યું, ‘શામાં રહે છે ત્યારે ?” ત્યારે એ કહે, ‘આત્મામાં જ રહું છું.” અલ્યા, આવો ક્યાંથી થઇ ગયો ? અદ્વૈત એકલો રહી શકે જ નહિ. અદ્વૈત તો આધારિત છે. એને શેનો આધાર છે ? એ દૈતના આધારે છે. દૈતનો આધાર છે, નહિ તો અદ્વૈત પડી જાય. એટલે અદ્વૈત એ
દ્વતના આધારે ટકી રહ્યું છે. આ તો તમે અદ્વૈત થયા કહો છો, એટલે તમે દ્વૈત ઉપર ટૅપ કરો છો. એટલે શું થશે ? તમે બેઉ લઢી પડશો. ત્યારે કહે, ‘હા, બરોબર છે. પણ અમે તો અદ્વૈતને નિરપેક્ષ માનતા હતા.” અરે, આધારિત વસ્તુને નિરપેક્ષ કહેવાય કેમ કરીને ? અદ્વૈત એ તો સાપેક્ષ છે.
કેટલાંક શબ્દો એવાં છે કે કંકોથી પર છે. આ ‘કરુણા’ એવાં જે અમુક અમુક શબ્દો છે એ કંકોથી પર છે. ત્યારે અદ્વૈત શબ્દ તો, દૈત છે તો અદ્વૈત છે, એટલે એ દ્વન્દ્ર કહેવાય. જેમ નફો ને ખોટ, એ બધું સામસામે બે શબ્દો હોય ને તે બધા દ્વન્દ્ર કહેવાય. એટલે દૈત છે તો અદ્વૈત છે. માટે દ્વન્દ્રની પાર ગયો નથી, એ હજુ દ્વન્દ્રમાં જ છે. અદ્વૈત એ પણ દન્દ્ર કહેવાય, એવું તમને સમજાયું ? જેમ નફો-ખોટ એ દ્વન્દ્ર કહેવાય, સારું-ખોટું, સુખદુ:ખ એ દ્વન્દ્ર કહેવાય, એવી આ દૈત-અદ્વૈતની જોડી પણ દ્વન્દ્ર કહેવાય. જેમ દયા જ્યાં હોય ત્યાં નિર્દયતા અવશ્ય હોય ! એટલે કોઈ દયાળુ માણસ હોય તો તમારે જાણવું કે ઓહોહો, આની મહીં નિર્દયતા પણ છે! એવું બૈત ને અદ્વૈત એ દ્વન્દ્રમાં છે. એ દ્વન્દાતીત દશા નથી. એટલે ‘હું અદ્વૈત છું' કહે છે એ તો હજુ દ્વન્દ્રમાં જ છે. તે દ્વન્દ્રમાં તો પાછી કેટલી બધી ઉપાધિ ?! અદ્વૈતવાળાને રાત-દહાડો દ્વતની જ કલ્પના આવ્યા કરે કે ‘આ દ્વત, આ દ્વૈત, આ દ્વત’ એમ આખો દહાડો કર્યા કરશે. જાણે ત એને કરડી ખાવાનું ના હોય ?! એટલે આ વૈત અને અદ્વૈત એ તો દ્વન્દ્ર છે. એનાથી પણ પર જવાનું છે.
દૈત એને કહેવાય કે ‘હું ને કર્મ, બંને છીએ.’ એને દ્વૈત કહેવાય. ત્યારે અદ્વૈતવાળા શું કહે છે કે ‘હું જ છું, કર્મ જેવી વસ્તુ જ નથી.” માટે ત્યાં તો દૈત અને અદ્વૈત એકલું હોય નહિ. કારણ કે આત્મા દ્વૈતાદ્વૈત છે. આત્મા એકલો અદ્વૈત નથી હોઈ શકતો અને એકલો દૈત પણ નથી હોઈ શકતો. એ સંસારની અપેક્ષાએ, આ વ્યવહારમાં ‘કનેક્શનમાં આવે ત્યારે દ્વૈત છે અને ‘પોતે’ ‘મૂળ સ્વરૂપ'માં રહે તો અત છે. એટલે ‘અમે” અમારા ‘પોતાનામાં રહીએ ત્યારે અમે સંપૂર્ણ અદ્વૈત હોઇએ !
અદ્વૈતતી અનુભૂતિ ક્યારે ? પ્રશ્નકર્તા : અદ્વૈતની અનુભૂતિ થાય ? કોને થાય ?