SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ ૧૦૭ ૧૦૮ આપ્તવાણી-૮ દાદાશ્રી : ના, બુદ્ધિ જ. હૃદય તો અબુધને પણ હોય છે. પ્રશ્નકર્તા : બુદ્ધિને શાસ્ત્રોએ નિશ્ચયાત્મિકા કહ્યું છે ને, નિશ્ચય કરનારી ? - દાદાશ્રી : હા. બુદ્ધિ એ નિર્ણય કરનારી છે, છતાં એ ‘ઈમોશનલ’ કરે છે. પ્રશ્નકર્તા: જે ‘વિજ્ઞાન સ્વરૂપ' છે તેમનું વર્ણન કરતાં કરતાં વેદ પણ થાકી ગયા !! - દાદાશ્રી : હા, થાકી ગયા ! કારણ કે વેદ વેત્તાને કેમ કરીને સમજી શકે ? વેત્તા વેદને સમજી શકે, પણ વેદ વેત્તાને સમજે એ ‘પોસીબલ’ શી રીતે બને ? વેત્તા એટલે શું ? જાણનાર ! એ જ્ઞાતા-દ્રા છે. વેત્તા એ શબ્દ આમ દેખાવમાં નાનો દેખાય ને ! ‘સ-ઈતિ' તો ભેદવિજ્ઞાનથી જ વેદમાં આત્મા સમાઈ શકે એવી વસ્તુ જ નથી. વેદમાં જે શબ્દો છે, એ સ્થળ ભાષાના છે અને આત્મા સૂક્ષ્મતમ છે. બેનો મેળ શી રીતે પડે ? એક સ્થળ અને એક સૂક્ષ્મતમ, વેદ શી રીતે વર્ણન કરી શકે ? આત્મા અવક્તવ્ય છે ને અવર્ણનીય છે, નિઃશબ્દ છે, એટલે વેદમાં કોઈ દહાડો ય ઊતરે નહીં. ત્યારે કહે છે, “વેદ જ આ જગતની બધી વસ્તુ જાણનાર છે ને ? તો પછી એ વેદની પાર કોણ જાણે ?” ત્યારે કહે, ‘વેદની નીચેના તો કોઈ જાણે નહીં. વેદ પણ જાણે નહીં. પણ વેદની ઉપરના જે હોય એ જ્ઞાની પુરુષ એકલાં જ જાણે કે આત્મા શું છે તે !' “જ્ઞાની પુરુષ' એમે ય કહે કે “ધીસ ઈઝ ધેટ, ધીસ ઇઝ ધેટ.’ પ્રશ્નકર્તા: “ધીસ ઈઝ નોટ ધેટ' માંથી ‘ધીસ ઇઝ ધેટ’માં શી રીતે જવાય ? દાદાશ્રી : “ધીસ ઇઝ નોટ ધેટ’ માંથી “ધીસ ઈઝ ઘેટ’માં જવા માટે ભેદ વિજ્ઞાનની જરૂર પડે છે કે આત્મા આ હોય, આ હોય, આ ન્હોય, આ હોય. અને એ ભેદ વિજ્ઞાન ‘જ્ઞાની’ સિવાય કોઇની પાસે હોય નહિ. જ્યારે જ્યારે ‘જ્ઞાની’ પાકે છે ત્યારે અમુક માણસોને લઈ જાય છે. પણ આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. ‘વિજ્ઞાન’ એટલે ચેતન છે આ. એટલે તમારે કશું કરવું ના પડે. એ જ્ઞાન જ ચેતવે તમને. આ જ્ઞાન જ ‘ઇટસેલ્ફ’ કામ કર્યા કરે. એટલે આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. વેદ એ જ્ઞાન સ્વરૂપ છે અને વેત્તા એ વિજ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન એ ક્રિયાકારી ના હોય અને વિજ્ઞાન એ ક્રિયાકારી હોય. આત્મપ્રાતિ, કોની પાસેથી શક્ય ? અહીં બધું પૂછાય, ચાર વેદની વાત પૂછાય અને ચાર અનુયોગની વાત પણ પૂછાય. જૈનની, વેદાંતની, કુરાનની બધી વાત અહીં પૂછાય. કારણ કે વેદની ઉપર ગયેલા હોય ત્યાં વેદની વાત પૂછાય ! પ્રશ્નકર્તા : વેદની ઉપર કેવી રીતે જઈ શકાય ? દાદાશ્રી : એ તો જ્યારે ‘જ્ઞાન-પ્રકાશ’ થાય, ત્યારે વેદની ઉપર જાય. પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિગમ્ય વસ્તુ નથી એ ? દાદાશ્રી : ના. આ બુદ્ધિગમ્ય વસ્તુ નથી. જેટલી બુદ્ધિગમ્ય વસ્તુ હતી, એટલી વેદમાં છે. અને બુદ્ધિગમ્યથી આગળ જવા માટે ‘ગો ટુ જ્ઞાની કે જેને બુદ્ધિ બિલકુલ છે જ નહિ. જે અબુધ કહેવાય છે એવાં ‘જ્ઞાની પુષ' પાસે જા તો તને આત્મા પ્રાપ્ત થશે. નહિ તો આત્મા પ્રાપ્ત નહીં થાય. બુદ્ધિવાળા પાસે આત્મા હોય નહિ. આત્મા છે તો બુદ્ધિ નથી અને બુદ્ધિ હોય તો આત્મા હોય જ નહિ ને ! પ્રશ્નકર્તા : જૈન ધર્મનાં અભ્યાસથી આત્મજ્ઞાન થાય એવું આપનું કહેવું છે ? દાદાશ્રી : ના. અને વેદાંતના ચાર વેદ છે એના અભ્યાસથી ય આત્મજ્ઞાન થાય એવું નથી. ચાર વેદ છે, તે બધાં પૂરા થાય છે ત્યારે ઇટસેલ્ફ બોલે છે કે “ધીસ ઈઝ નોટ ધેટ. તું જે આત્મા ખોળે છે તે આમાં
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy