SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ ૭૯ આપ્તવાણી-૮ નર્કગતિમાં જઇ આવે અગર તો ‘ક્રેડિટ’ હોય તો લાખ્ખો વર્ષ દેવગતિમાં જઇ આવે, પણ ત્યાંથી ભોગવટો પુરો થયો કે પાછો અહીંનો અહીં જ. અહીંથી જયારે મોક્ષની તૈયારી કરશે ત્યારે મોક્ષે જશે, ત્યાં સુધી આ ભટક ભટક કરવાનું છે. પ્રશ્નકર્તા : મનુષ્યમાં આવે છે ત્યારે એનું મન પણ ‘ડેવલપ થયેલું હોય છે, તો એ પાછો જાનવરમાં જાય છે તો પાછું મનનું ‘ડેવલપમેન્ટ’ ગુમાવે છે ? થાય છે, આટલી મધુર કેરીઓ હોય તો ય પોતે કેરી ના ખાય ને ? એવી કેરી લોકોને આપીને કર્મમુક્ત થાય છે. એટલે આ બધું ‘સાયન્ટિફિક” છે. એમાં કોઇનું ચાલે એમ નથી ! ...ત્યારે મોક્ષે જશે ! પ્રશ્નકર્તા : ‘થીયરી ઓફ ઇવોલ્યુશન’ની વાતમાં, ઉત્ક્રાંતિવાદમાં જીવ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય એમ ‘ડેવલપ’ થતો થતો મનુષ્યમાં આવે છે. અને મનુષ્યમાંથી ફરી પાછો પશુમાં જાય છે. તો આ ‘ઈવોલ્યુશન'ની થીયરી’માં જરા વિરોધાભાસ લાગે છે. એ જરા સ્પષ્ટ કરી આપો. દાદાશ્રી : ના. એમાં વિરોધાભાસ જેવું નથી. ‘ઇવોલ્યુશન’ની ‘થીયરી’ બધી બરોબર છે. ફક્ત મનુષ્ય સુધી જ ‘ઇવોલ્યુશન'ની થીયરી ‘કરેક્ટ' છે, પછી એની આગળ એ લોકો જાણતાં જ નથી. પ્રશ્નકર્તા મનુષ્યમાંથી પશુમાં પાછો જાય છે ખરો ? એમ પ્રશ્ન છે. દાદાશ્રી : એવું છે, પહેલાં ડાર્વિનની ‘થીયરી'થી આમ ઉત્ક્રાંતિવાદ પ્રમાણે ‘ડેવલપ’ થતો થતો મનુષ્ય સુધી આવે છે, અને મનુષ્યમાં આવ્યો એટલે ‘ઈગોઇઝમ' સાથે હોવાથી કર્તા થાય છે. કર્મનો કર્તા થાય છે એટલે પછી કર્મ પ્રમાણે એને ભોગવવા જવું પડે છે. “ડેબિટ' કરે ત્યારે જાનવરમાં જવું પડે અગર તો નર્કગતિમાં જવું પડે. અને ‘ક્રેડિટ’ કરે ત્યારે દેવગતિમાં જવું પડે અગર તો મનુષ્યમાં રાજાપણું મળે. એટલે મનુષ્યમાં આવ્યા પછી ‘કેડિટ’ અને ‘ડેબિટ’ ઉપર આધાર રાખે છે. એટલે અહીં ‘ક્રેડિટ’–‘ડેબિટ’ કરનારા લોકો ખરાં કે નહિ ? અત્યારે લોકો ‘ડેબિટ’ વધારે કરે છે ને ? એમને ખબર નથી કે કયે ગામ જવાશે, પણ “ડેબિટ’ કરી નાખે છે ને ? એટલે પછી બે પગના ચાર પગ અને પૂંછડું મળે ! પણ ફરી પાછું અહીં મનુષ્યમાં આવવાનું. પછી વધારે નીચે નહીં ઊતરવાનું. મનુષ્યમાં એક ફેરો આવ્યા પછી સો વર્ષ-બસ્સો વર્ષ ભોગવીને પછી પાછો અહીં મનુષ્યમાં જ આવે. પછી આ સ્થાન, મનુષ્યપણું છોડે નહિ. અહીંથી પછી મોક્ષે જતાં સુધી મનુષ્યપણું એનું જાય નહિ. ‘ડેબિટ’ હોય તો સો-બસ્સો વર્ષ જાનવરમાં જઇ આવે, લાખ્ખો વર્ષ દાદાશ્રી : ના. પણ એ મનની ઉપર આવરણ આવી જાય છે. ત્યાં જાનવરગતિમાં એને મન હોય છે, પણ એ ‘લિમિટેડ’ રહે છે પછી ત્યાં એનો ખોરાકે ય એવો છે, બ્લડ બધું એવું જાનવરનું જ આવે છે. પણ એ ગતિમાં બધું ભોગવવા જવું પડે છે. એવું ના હોત ને તો તો લોક નોકરી કરવા જાત જ નહિ ને ચોરી કરીને જ ખાત ! પણ આનું તરત જ ફળ મળે છે. બીજા અવતારમાં. હવે અહીં અણહક્કનું ખઇ જાય છે. ભેળસેળ કરીને વેચે છે, અણહક્કનું ભોગવે છે, એ બધા પાશવતાના વિચારો છે, એ જાનવરમાં જવાની તૈયારી થઈ રહી છે. આપણે સમજી જવાનું કે આવાં વિચારો છે એને જાનવરમાં લઈ જશે અને અહીં સજ્જનતાના વિચારો અને ફરી મનુષ્યમાં લાવશે. અને પોતાની હક્કની ચીજ હોય તે બીજાને આપી દે એવા ‘સુપરહ્યુમન’ના વિચારો હોય તો એ દેવગતિમાં જશે. પ્રશ્નકર્તા : પશુયોનિમાં એને સારા-ખોટાં વિચાર આવે ખરાં ? દાદાશ્રી : ના. ત્યાં તો એવા વિચારો કશું જ ના હોય. એ પશુયોનિ એટલે તો એકલું ભોગવવાની યોનિ. દેવગતિ ય ભોગવવાની ને નર્કગતિ એ ય ભોગવવાની. અને એકલું મનુષ્યમાં જ, કર્મ બાંધવાનાં અને કર્મ ભોગવવાનાં બંને સાથે હોય. પ્રશ્નકર્તા: ‘ક્રેડિટ’ અને ‘ડેબિટ’ બંને બંધ થઇ જાય તો ? દાદાશ્રી : ‘ક્રેડિટ’ અને ‘ડેબિટ’, પુણ્ય ને પાપ બંને બંધ થઈ જાય
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy