SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ ભીંતે રહીને ઉપર જાય અને પછી નીચે ઊતરે અને પછી ઘી ચાટે. કારણ કે આ નાકની ઈન્દ્રિય ફૂટી કે એની પાછળ જ આખો દહાડો ધમાલ ધમાલ કર્યા કરે ! ৩৩ બાકી આ લોકો ચોર્યાસી લાખ યોનિઓ કહે છે ને, એ તો બધી થઈને ચોર્યાસી લાખ યોનિ જીવ જાતિની છે. બાકી એવું ફરી ચોર્યાસી ફરવા જાય તો ફરી દેખાય જ નહીં ને ! શાનો દેખાય ? પણ એવું નથી. એ તો અહીં જ ભટક ભટક કરવાનું. માણસમાંથી જાનવરમાં જાય અવતાર સુધી પેલી બાજુ જાય, ને પાછો અહીં જ આવે. । આઠ પ્રશ્નકર્તા : પણ ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે મનુષ્યપણામાંથી નીચલી ગતિમાં ના જઇ શકે ને ? દાદાશ્રી : એવું છે, મનુષ્યગતિ એકલી જ એવી છે કે જ્યાં ‘ચાર્જ’ અને ‘ડિસ્ચાર્જ’ બંને ક્રિયા થઈ રહી છે; જ્યારે દેવગતિ એકલી ‘ડિસ્ચાર્જ’ સ્વરૂપે છે, તિર્યંચગતિ ‘ડિસ્ચાર્જ’ સ્વરૂપે છે, નર્કગતિ ‘ડિસ્ચાર્જ’ સ્વરૂપે છે. એટલે આ મનુષ્યમાંથી જાનવરગતિમાં કે દેવગતિમાં કે નર્કગતિમાં બધે ગયેલા હોય, એ મનુષ્યમાંથી જ ગયેલા છે. આ ડાર્વિનની ‘થીયરી’ છે એ તદન ખોટી નથી, એની ‘થીયરી’ દસ-પંદર ટકા બરોબર છે. પણ આ તો ત્રણસો સાઠ ‘ડીગ્રી’ઓ હોય છે ! અને એ બધાનું એને પૂરેપૂરું જ્ઞાન નહોતું. એને બુદ્ધિથી મળ્યું તે બરોબર છે, ‘કરેક્ટ’ છે. પણ પછી આખો માર્ગ વળાંક લે છે તેની એને ખબર નથી કે મનુષ્યમાં આવ્યા પછી ગાયો- ભેંસો ય થાય છે, આ ગાયો-ભેંસો એ ડેવલપમેન્ટ’ની ગતિ નથી, એ તો મનુષ્યમાંથી જાય છે. એટલે ઉત્ક્રાંતિનો નિયમ દસ ટકા જ સાચો છે. નેવું ટકા બીજી એને ખબર નથી. દસ ટકામાં એને મનુષ્યગતિ સુધીની શોધખોળ કરી છે ને ! તે મનુષ્ય પછી જે વક્રગતિ થાય છે, એને આ સમજણ પડેલી નથી કે મનુષ્યમાંથી હાથી શી રીતે થયો ? પાડો શી રીતે થયો ? ગેંડો શી રીતે થયો ? માછલી શી રીતે થઈ ? વ્હેલ શી રીતે થઈ ? એ એમને સમજ પડતી નથી. બાકી એનો આજે ઉત્ક્રાંતિનો નિયમ છે, ડાર્વિનની થીયરી છે, એ બરોબર છે. પણ તે ટેન પરસેન્ટ સાચું છે. એથી આગળ તો ઘણું બધું છે. આપ્તવાણી-૮ આ વ્હેલ શી રીતે થતી હશે ? ત્યાં ક્યાં ઉત્ક્રાંતિનો નિયમ આવ્યો ? એ તો વક્રગતિ છે, મનુષ્યમાંથી પાછો ફર્યો છે. આ ગેંડો ક્યાંથી થયો ? એ ય મનુષ્યમાંથી પાછો ફરેલો. આ વાઘ-સિંહ ક્યાંથી પાછા ફર્યા ? મનુષ્યમાંથી પાછા ફરેલા. તે વાઘ-સિંહને એનાં બચ્ચાં હોય, તે બચ્ચાં હોય ત્યાંથી જ માંસાહાર કરે કે ના કરે ? અને આપણી ગાયો-ભેંસોના બચ્ચાં ? મોટા થાય તો ય માંસાહાર ના કરે. એનું શું કારણ ? ત્યારે કહે, ‘આ ‘વેજિટેરિયન’અને પેલા ‘નોન વેજિટેરિયન’. એટલે એવું આમાં ય ઓળખાય કે આ મનુષ્યો જ અહીં ‘વેજિટેરિયન’ હતા, તે આ ગાયભેંસમાં આવ્યા છે. અને જે મનુષ્યો ‘નોન વેજિટેરિયન’ હતા, તે વાઘસિંહમાં આવ્યા છે. તે બધું ઓળખાય છે. ७८ પ્રશ્નકર્તા : તો મનુષ્યમાં આવ્યા પછી પૃથ્વીકાય, તેઉકાયમાં જાય કે નહિ ? દાદાશ્રી : પૃથ્વીકાય કે તેઉકાયમાં જાય નહિ. બહુ ત્યારે સ્થાવર કાયમાં, ઝાડમાં જઇ શકે. મનુષ્યમાંથી બહુ ત્યારે આઠ અવતાર તિર્યંચમાં જાય. એટલે આખી દેવગતિ, આખી નર્કગતિ અને અમુક ભાગ જ તિર્યંચગતિ એ મનુષ્યમાંથી ગયેલાં છે. મનુષ્યો ‘ચાર્જ’ અને ‘ડિસ્ચાર્જ બંને કરે છે અને ‘ચાર્જ’ અને ‘ડિસ્ચાર્જ’થી પર પણ રહી શકે છે. એટલે મોક્ષે જઈ શકે એટલી મનુષ્યમાંથી શક્તિ છે ! સજ્જનતા તૂટે નહિ, એને મનુષ્યપણું જાય નહિ. અને પોતાને પાશવતાના વિચારો રહ્યા કરતા હોય તો એને તિર્યંચમાં લઈ જાય. ભોગવવાની હદ હોય. તારી માલિકીનું હોય તે ભોગવજે ને માલિકીનું ના હોય તેનો તો વિચાર પણ ના કરીશ. આ તો અણહક્કનું ભોગવે છે, તે જ તિર્યંચમાં લઇ જાય એટલે આપણા વિચારો જ આ ગતિઓમાં લઇ જાય છે. અમુક સ્થાવર ફળ આપનારાં ઝાડો છે, જે મનુષ્ય પ્રપંચ ને એવું બધું કર્યું હોય તે પછી નારિયેળી, કેરીઓ-રાયણા એવાં ઝાડમાં જાય અને લોકોને આખી જિંદગી પોતાનાં ફળ આપે ત્યારે લોકોના ઋણમાંથી મુક્ત
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy