________________
આપ્તવાણી-૮
૬૨
આપ્તવાણી-૮
જ જુદી છે. આ સાકાર વસ્તુ તમે જે રીતે વાપરો છો એવું સાકાર નથી આ. આ તો બધા પર્યાયો છે. અને પર્યાયો બધા વિનાશી છે, ઉત્પન્ન થાય છે ને વિનાશ થાય છે. ફરી પાછાં ઉત્પન્ન થાય છે. ને વિનાશ થાય છે. અને કાયમી ચીજો કાયમ જ રહે છે. કાયમી ચીજો કોઈ ઉત્પન્ને ય થતી નથી, અને વિનાશે ય થતી નથી. એટલે કાયમની ચીજો કાયમ રહે છે અને એનાથી ઉત્પન્ન થતા પર્યાય તે વિનાશ થયા કરે છે, ઉત્પન્ન થયા કરે છે ને વિનાશ થયા કરે છે. જન્મ્યો હોય તે મરે. તેથી કંઈ આત્માને કશું લેવા દેવા નથી. એવું આ જગત જુદી રીતે ચાલે છે ! એટલે ગભરાવા જેવું નથી કે આ જગત કોઇક દહાડો તૂટી પડશે. એવું તેવું કોઈ કારણ નથી. એક્કેક્ટ આવું ને આવું જ રહેશે. સૂર્ય, ચંદ્ર, તારા જ્યારે જોશો, જ્યારે અવતાર લેશો ત્યારે આવું ને આવું જ દેખાશે !!
પ્રશ્નકર્તા : કેટલાંક લોકો ‘ભગવાનની એ ઇચ્છા હતી’ એવું અર્થઘટન કરે છે. પણ ખરી રીતે એવું છે કે પોતે અદ્વૈતભાવમાં હતા તેથી એકાંતિક લાગે છે એટલે સંકલ્પ કરીને તભાવમાં આવે છે અને એનાથી આ સૃષ્ટિનું સર્જન થઈ જાય છે.
દાદાશ્રી : સંકલ્પ કરે તો એ ભગવાન જ નહિ, પ્રશ્નકર્તા : ના, સંકલ્પ નહિ. પણ એ દૈતભાવ આખો પ્રગટ થયો.
દાદાશ્રી : ના, ભગવાનને દ્વતભાવ હોય નહિ ને ભગવાનને અદ્વૈતભાવે ય ના હોય. દ્વત અને અદ્વૈત, એ તો કંઢ છે અને ભગવાન કંકાતીત છે.
પ્રશ્નકર્તા : પણ આ કંદ્ર છે તો જ સૃષ્ટિનું સર્જન છે ને ?
દાદાશ્રી : હા, એ કંદ્ર જ સૃષ્ટિ છે. સૃષ્ટિ એટલે જ હૃદ્ધ અને કંલાતીત થઈ ગયો કે કામ ખલાસ થઈ ગયું.
અતાદિસાંતથી સાઅિનંતતી વાટે ! એવું છે ને ‘આ જગતની આદિ' જેવી ચીજ નથી અને અંત જેવી ય ચીજ નથી. લોકો બુદ્ધિથી ‘આની આદિ ક્યારે ?” એવું પૂછ પૂછ કરે
છે. કારણ કે પોતાની આદિ થઈ છે એવું માને છે એટલે આ જગતની પણ આદિ હોવી જોઈએ, એવું પૂછે છે.
‘આ જગતની આદિ' જેવો શબ્દ નથી કે અંત જેવો ય શબ્દ નથી. આ સંસારપ્રવાહ અનાદિનો છે, પણ અંતવાળો છે. ત્યારે પૂછે, “કંઈ અપેક્ષાએ અંતવાળો છે ?” ત્યારે કહે, ‘આ સંસાપ્રવાહમાં જીવો ભ્રાંતિમાં ચાલ્યા કરે છે, પણ એને જો ‘જ્ઞાની પુરુષ' મળી જાય તો એની ભ્રાંતિનો ત્યાં આગળ અંત આવે છે. એટલે જે અનાદિથી ભ્રાંતિ ચાલુ આવી છે એનો અંત આવે છે અને સમ્યકત્વનો ઉદય થાય છે. સ-આદિ, એટલે સાદિ થાય છે; એ સમ્યકત્વ ક્યાં સુધી રહેવાનું ? ત્યારે કહે કે, જ્યાં સુધી એને કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી એનો અંત ના થાય. એ સાદિ સાંત કહેવાય છે, સ-આદિ અને સ-અંત ! અને ત્યાં મોક્ષમાં પછી સ-આદિ થઈ અને અનંતકાળ સુધી રહેવાનાં. એટલે એને સાદિ-અનંત કહ્યું. એટલે પહેલો અનાદિ-સાંતનો ભાંગો, પછી સાદિ-સાંતનો ભાંગો, પછી સાદિઅનંતનો ભાંગો !
એટલે આ જગતમાં આદિ જેવી વસ્તુ જ નથી, અંત જેવી ય વસ્તુ જ નથી. એટલે એની કલ્પનાઓ કર્યાનો પાર નથી આવે એવો !!
જગત-સ્વરૂપ, અવસ્થાઓનું રૂપાંતર ! પ્રશ્નકર્તા: તો ય પણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, એમાં નૈમિત્તિક કારણ શું હશે ?
દાદાશ્રી : પણ શેને ઉત્પત્તિ તમે કહો છો ?
પ્રશ્નકર્તા : આમ તો આપણે જાણીએ છીએ કે આ પુદ્ગલનું રૂપાંતર છે, એથી આ જગત છે. પણ જગત જે ઉત્પન્ન થયું કોઈ પણ સમયે, એ જે ઉત્પત્તિ છે, પછી જે સ્થિતિ રહે છે અને એનો લય થાય છે, આમાં નૈમિત્તિક કારણ શું ?
દાદાશ્રી : પણ તમે જગત ક્યાં ઉત્પન્ન થયેલું જોયું ? પ્રશ્નકર્તા : જોયું નથી, છતાં રૂપાંતર થયા કરે છે ને ?!