SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ ૫૯ આપ્તવાણી-૮ પરમાત્માએ દુનિયા બનાવી જ નથી. આ દુનિયા ‘ઇટસેલ્ફ થયેલી છે અને “ઇટસેલ્ફ’ ‘પઝલ’ થયેલું છે. આ અને વિજ્ઞાનથી ‘પઝલ' થયેલું છે. આ છ તત્ત્વો છે, તેમાં બે તત્ત્વો સાથે રહેવાથી, એમાંથી વિશેષભાવ ઊભો થાય છે. બે તત્ત્વો સાથે થવાથી પોતે પોતાના ગુણધર્મ છોડતાં નથી અને વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થાય છે. એને આપણા લોકોએ વ્યતિરેક ગુણો કહ્યું. તે આ ક્રોધ-માન-માયા-લોભ એ આત્માના ગુણો નથી, તેમ આ અનાત્માના ય ગુણો નથી. એ વ્યતિરેક ગુણો છે. એટલે એ વિશેષ ગુણ ઉત્પન્ન થયેલા છે, ને તેનાથી આ જગત ઊભું થયેલું છે, બસ, બીજું કોઈ કરનાર નથી આ દુનિયાનો ! આ લોક તો એવું ય કહે છે કે ભગવાનની ઇચ્છા થઈ આ જગત રચવાની ! પણ જેને ઇચ્છા થાય ને, એ ભિખારી કહેવાય. ભગવાન કોઈ પણ પ્રકારની ઇચ્છાવાળો ના હોય. જયાં પરિતૃપ્તિ છે, પરમાનંદ છે, ત્યાં ઇચ્છા ક્યાંથી હોય ! એટલે ભગવાનને ઇચ્છા જ ઉત્પન્ન ના થાય ! પણ આ તો લોકોએ ઠોકી બેસાડ્યું કે ભગવાનને ઇચ્છા થઈ ને આ દુનિયા રચી, એવું તેવું છે નહિ. આ તો વિજ્ઞાન છે આખું ! અને વિજ્ઞાનથી ઊભું થયેલું છે, જગત આખું વિજ્ઞાન જ છે ! એ “રચતા', પોતે જ “વિજ્ઞાત' ! પ્રશ્નકર્તા: આ જગતની ઉત્પત્તિ ક્રિયાશક્તિથી નથી, ઇચ્છાશક્તિથી દાદાશ્રી : નહીં, વિશેષભાવ ને ઇચ્છાશક્તિમાં બહુ ફેર. વિશેષભાવ એટલે બે વસ્તુ સાથે મૂકવાથી, જેમ સૂર્ય અને દરિયો બે સામે ભેગા થાય ત્યારે વરાળ થાય, તે સૂર્યની ઇચ્છા એવી નથી. દરિયાની ઇચ્છા નથી, એટલે આવી રીતે વ્યતિરેક ગુણ ઉત્પન્ન થઈ, તેમાં ક્રોધ-માન-માયા-લોભ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયા. એને વિશેષગુણ કહેવામાં આવે છે અને તેનાથી આ જગત ઊભું થયેલું છે. રૂપી તત્ત્વતાં રૂપો દીસે જગમાંહી ! આ બધી જ પરમેનન્ટ વસ્તુઓ છે. આ પાંચ તત્ત્વો જે છે – પૃથ્વી, તેજ, વાયુ, પાણી, આકાશ. એમાં એક આકાશ તત્ત્વ એકલું જ પરમેનન્ટ છે, બીજાં ચાર તત્ત્વો તો વિનાશી તત્ત્વો છે. જે પૃથ્વી, તેજ, વાયુ, પાણી એ વિનાશી ચીજો છે, એ ચેન્જ થઈ જાય છે. આકાશ વિનાશી નથી. પ્રશ્નકર્તા : આ બધાની ઉત્પત્તિ આકાશમાંથી જ થઈ છે ? દાદાશ્રી : ના, ના. આકાશમાંથી કોઈ ઉત્પત્તિ થઈ નથી આ વર્લ્ડમાં. આમાં જે પરમાણુ તત્ત્વ છે, જેને અણુ કહે છે એમાંથી, આ પરમાણુમાંથી આ બધું ઊભું થયું છે. પરમાણુ એકલું રૂપી તત્ત્વ છે. એ રૂપીમાંથી આ બધું ઊભું થયું છે. એટલે પરમાણુ નિરંતર આખા જગતમાં હોય છે જ. અને કોઈ જગ્યાએ વધુ ભેગાં થઈ જાય ત્યારે અણુ કહેવાય. તે આ પરમાણુ તો જોઈ શકાય નહિ; કોઈ પણ પ્રકારે ! કેવળ જ્ઞાની એકલા જ જોઈ શકે; બીજું કોઈ જોઈ શકે નહીં ! એવું છે ને, પરમાણુ રૂપી છે અને આકાશ અરૂપી છે. અને આ જે ચાર તત્ત્વો છે ને, પૃથ્વી-તેજ-વાયુ-જળ એ રૂપી છે બધાં. એટલે રૂપીમાંથી રૂપ ઊભાં થયાં છે. જ્યારે જોશો ત્યારે, એવું તે એવું જ.. પ્રશ્નકર્તા : સાકાર જગત નિરાકારમાંથી થઈ શકે ખરું ? દાદાશ્રી : નિરાકારમાંથી સાકાર જગત થયેલું જ નથી. સાકાર વસ્તુ છે દાદાશ્રી : ના, ઇચ્છાશક્તિ ય નથી. ઇચ્છાવાળો તો ભિખારો કહેવાય. ભગવાનને જો ઇચ્છા હોત ને, તો ભગવાનને ભિખારો કહેત. પ્રશ્નકર્તા: જે કોઈ પૂર્ણબ્રહ્મ છે, એની ખાલી ઇચ્છાશક્તિથી જ. એણે પોતે કંઈ કર્યું નથી. દાદાશ્રી : નહીં, ઇચ્છાશક્તિ ય નથી. ઇચ્છાશક્તિ હોત તો ભિખારો કહેવાત. નિરીરચ્છક છે ભગવાન તો ! ખાલી વિજ્ઞાનથી જ ઊભું થયું છે આ ! પ્રશ્નકર્તા : એ વિશેષભાવ એટલે જ ઇચ્છાશક્તિ કહ્યું છે ?
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy