SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ ૩૭. આપ્તવાણી-૮ વાંધો નથી. કારણ કે આપણે એક ભવમાં હિસાબ ચોખ્ખો કરવો છે ને ?! હિસાબ ચોખ્ખો કર્યા સિવાય મોક્ષે જવાય નહિ ને ! પ્રશ્નકર્તા : હિસાબ ચોખ્ખો ના કરીએ તો પુનર્જન્મ કરવો પડે ? દાદાશ્રી : હા, એટલે જ પુનર્જન્મ થાય છે ! એટલે હિસાબ બિલકુલ ચોખ્ખો થઇ જવો જોઈએ, તો ઉકેલ આવે. દાદાશ્રી : હા, પછી છૂટો થઈ જાય. પણ આ કાળમાં અત્યારે સંપૂર્ણ ‘ડિસ્ચાર્જ થઈ શકતું નથી. એટલે ધક્કો એટલો બધો જબરજસ્ત છે કે એક કે બે અવતાર થાય છે. કર્તાભાવ મટ્યો એટલે બસ ખલાસ થઇ ગયું, કર્મ બંધાતાં અટકી જાય. પ્રશ્નકર્તા : પૂર્વકર્મ સંબંધી આપના વિચારો જાણવા છે. દાખલા તરીકે આ સૂક્ષ્મ જંતુઓ કયા કર્મ કરે કે જેથી એ એના આગળના જીવનમાં ઉપયોગી થઇ શકે ? ભ્રાંતિ જ જન્માવે જન્મ-મરણાં ! પ્રશ્નકર્તા ઃ તો એમ જ થયું ને કે બીજો જન્મ થવાનો હોય ત્યારે એનો એ જ આત્મા ત્યાં જાય છે ? દાદાશ્રી : હા, એ જ આત્મા, બીજો કોઈ નહીં. પ્રશ્નકર્તા તો પછી આત્માનો પણ જન્મ થયો એમ કહેવાય ને? દાદાશ્રી : ના. આત્માનો જન્મ થાય જ નહીં. જન્મ થવાનો આત્માનો સ્વભાવ જ નથી. આ જન્મે ય પુદ્ગલનો થાય છે અને મરણે ય પુદ્ગલનું થાય છે. પણ આ ‘એની” માન્યતા છે કે “આ હું છું એટલે એને જોડે ઢસેડાવું પડે છે. બાકી, આમાં પુદ્ગલનો જન્મ ને પુદ્ગલનું મરણ છે ! પ્રશ્નકર્તા : પણ પુદ્ગલ સાથે આત્મા હોય ને ? દાદાશ્રી : આ તો ભ્રાંતિ છે માટે પુદ્ગલ સાથે છે, નહીં તો ભ્રાંતિ ગયા પછી પુદ્ગલને અને આત્માને કશી લેવાદેવા નથી ને ! ભ્રાંતિ ગયા પછી તો જેટલું “ચાર્જ થયેલું છે એટલું ‘ડિસ્ચાર્જ થઈ જાય એટલે પછી ખલાસ થઇ ગયું, પછી નવું ‘ચાર્જ' ના થાય. આ જે કર્મો બધાં અત્યારે થાય છે ને તે કર્મનો, જો ‘હું માલિક છું’ એમ કહે, “મેં કર્યા” એમ કહે તો નવો હિસાબ બંધાય અને “આ વ્યવસ્થિત કર્યા’ અને ‘હું તો શુધ્ધાત્મા છું' એવું સમજાય તો કર્મો જોડે એને લેવાદેવા નથી. પ્રશ્નકર્તા : તો તો જન્મ જ ના થાય ? દાદાશ્રી: આ મનુષ્ય સિવાય બીજા બધા જે કર્મ કરે છે એનું એને ફળ મળતું નથી, એમાં એ કર્મ કરીને છૂટે છે. પ્રશ્નકર્તા તો જંતુનો બીજો અવતાર શેનો આવે? જંતુ એ જંતુ જ રહેવાનું? દાદાશ્રી : ના. જંતુમાંથી બીજે અવતાર થાય, ત્રીજે અવતાર થાય. એ બીજી યોનિમાં જાય, પણ એને દહાડે દહાડે કર્મ છૂટ્યા કરે. એ બંધાયેલાં કર્મ ભોગવે છે, એ નવાં કર્મ ના બાંધી શકે. આ મનુષ્યો એકલાં જ નવાં કર્મ બાંધી શકે. આ દેવલોકો ય કર્મ ભોગવે છે. દેવલોકો ‘ક્રેડિટ’ ભોગવે છે અને આ જાનવરો ‘ડેબિટ’ ભોગવે છે, અને આ મનુષ્યો ‘ક્રેડિટ અને “ડેબિટ’ બેઉ ભોગવે છે. પણ મનુષ્યો ભોગવે છે ય ખરાં અને પાછાં કર્તા ય છે, એટલે નવાં કર્મ બાંધે છે ! પ્રશ્નકર્તા : આ દેહ છે એ કર્મનું જ પરિણામ છે ને ? દાદાશ્રી : હા, કર્મનું જ પરિણામ છે. પ્રશ્નકર્તા કર્મની સંપૂર્ણ નિર્જરા થવી જોઈએ ને ? દાદાશ્રી : સંપૂર્ણ નિર્જરા થાય એટલે સિદ્ધક્ષેત્રે જાય. પણ એ શુભ ચિત્ત થાય, એટલે કર્મની નિર્જરા થઇ ગઇ કહેવાય ! ડિસ્ચાર્જ વખતે, અજ્ઞાનતાથી “ચાર્જ'! આ જેમ બેટરીમાં સેલ હોય છે ને તે ‘ચાર્જ થયેલા હોય છે, એવું
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy