________________
આપ્તવાણી-૮
જ
આપ્તવાણી-૮
માયા-લોભ વાળીઝૂડીને બહાર નીકળે છે. એ ય પાછાં થોડીવાર પછી બધું વાળીઝૂડીને મહીં દેહમાં કશું રહી ના જાય એવી રીતે નીકળે છે, એવા કષાયો છે !
હવે આત્માની સાથે બીજું શું શું જાય છે ? “કારણ શરીર', એ કોઝિઝ બોડી’ છે અને ‘સૂક્ષ્મ શરીર’, એને ‘ઇલેક્ટ્રિકલ બોડી' કહેવામાં આવે છે. જ્યાં સુધી આ સ્થળ દેહ હોય, જ્યાં સુધી સંસારી છે, ત્યાં સુધી દરેક જીવમાં “ઇલેક્ટ્રિકલ બોડી” હોય અને જ્યારે મોક્ષે જાય ત્યારે ઇલેક્ટ્રિકલ બોડી' છૂટી જાય અને આત્મસ્વરૂપ એકલું જ જાય છે.
| ‘અહીં” તો, એક અવતારતી ગેરન્ટી !
કોઈક કહેશે કે, “ફલાણા, સિનેમાવાળા ચંદુલાલ ખરાબ છે !' એટલું જ કહ્યું કે તમને ‘ઇફેક્ટ’ થઈ જાય. આ દેહ ‘ઈફેક્ટિવ' છે કે નથી ? આ વાણી પણ ઈફેક્ટિવ છે. તમારી વાણી કોઈકને ‘ઇફેક્ટ’ કરી બેસે છે. આ વાણી પણ ‘ઇફેક્ટિવ' છે. તમારી વાણી કોઈકને ‘ઇફેક્ટ’ કરી બેસે છે ને ? અને મન પણ ‘ઇફેક્ટિવ' છે. મન ચંચળ થાય તો ઊંઘવા ના દે. રાત્રે સાડા દસ વાગે પથારી કરે છે, ‘ચંદુલાલ સૂઈ જાવ.” એમ બધા કહે, તે ચંદુલાલ સૂઈ ગયા. અને પછી મહીં યાદ આવ્યું કે ફલાણાને મેં પચ્ચીસ હજાર રૂપિયા આપ્યા છે, તે હજુ એની પાસે લખાવી લીધું નથી. એ યાદ આવતાંની સાથે જ મન ચંચળ થયું કે પછી ઊંઘ ના આવવા દે ! એટલે મન પણ ‘ઇફેક્ટિવ” છે ને ?
એટલે આ મન-વચન-કાયા બધા ‘ઈફેક્ટિવ છે. એનાંથી ‘કોઝિઝ” ઉત્પન્ન થાય છે. એમાં રાગ-દ્વેષ થવાથી ‘કોઝિઝ’ ઉત્પન્ન થાય છે, એ ‘કોઝિઝ બોડી’, એ ફરી આવતે ભવ પાછું ‘ઈફેક્ટિવ બોડી' થાય છે. એ ‘કોઝિઝ બોડી' છે ને, એ કારણ શરીર કહેવાય છે, એનું આ કાર્ય શરીર થઈ જાય છે.
એટલે કારણ શરીર થયા પછી ‘પાર્લામેન્ટરી’ પદ્ધતિથી બધું ભેગું થઇ જાય છે. અને ‘પાર્લામેન્ટરી’ પદ્ધતિ થયા પછી ‘પાર્લામેન્ટ'ના ઠરાવ એકલા જ રહે છે, પણ પાર્લામેન્ટના બધા સભ્યો ચાલ્યા જાય છે. એ ઠરાવ એક એક પાસ થયા કરે, યોજના ઘડેલા બધા ઠરાવ પાસ થયા કરે ને તેનું રૂપક આવે છે, કંઈક સમજવા જેવું તો હશે ને ? કંઈક સમજવું તો પડશે ને ?
પ્રશ્નકર્તા : આત્મસ્વરૂપનું દર્શન થાય પછી જીવ સતત આત્મસ્વરૂપમાં જ રહે, તો આવી સ્થિતિ થયા પછી જીવને પુનર્જન્મ થવાની શક્યતા ખરી ?
દાદાશ્રી : ના. છતાં એક અવતાર બાકી રહે છે. કારણ કે આ ‘અમારી આજ્ઞાપૂર્વક છે. આજ્ઞા પાળી એ ધર્મધ્યાન કહેવાય. એનું ફળ ભોગવવા એક અવતાર રહેવું પડે, આમ અહીંથી જ મોક્ષ થઈ ગયેલો લાગે ! અહીં જ મોક્ષ ના થાય તો કામનું શું ? નહિ તો આ કળિયુગમાં તો બધાય છેતરે ! ઓળખાણવાળાને શાક લેવા મોકલ્યો હોય તો ય મહીંથી ‘કમિશન’ કાઢી લે, કળિયુગમાં શી ખાતરી ? એટલે ‘ગેરન્ટેડ’ હોવું જોઈએ. આ ‘ગેરન્ટેડ' અમે આપીએ છીએ. પછી અમારી આજ્ઞા જેટલી પાળે એટલો એને લાભ થાય. બાકી પોતાના સ્વરૂપનું ભાન તો આખો દહાડો રહ્યા કરે, નિરંતર ભાન રહે ! ઓફિસમાં કામ કરતા હોય તો ય ભાન રહે !! જરા ચીકણું હોય તો તે ચીકણું કામ પરવારી ગયા કે તરત પાછું ભાન આવી જાય.
આત્મા સંગાથે....
પ્રશ્નકર્તા: મારો પુનર્જન્મ થવાનો હોય તો મારો આત્મા જોડે જ જાય ને ?
દાદાશ્રી : જોડે જવાનો જ ને ! અહીંથી આ આત્મા નીકળે છે. ત્યારે કષાયો આ શરીરમાંથી, એ જે કંઈ હોય ને તે વાળીઝૂડીને નીકળે છે ! કારણ કે પોતાની જે ‘રોંગ બિલીફ છે ને કે “આ હું છું'; એટલે ‘હું છું' થયું ત્યાં આગળ બધું “મારું” થયું અને “મારું” થયું એટલે આ ક્રોધ-માનમાયા-લોભ ઊભું થઈ જાય છે. આત્મા નીકળે છે ત્યાર પછી ક્રોધ-માન
- ક્રિયા ચીકણી હોય તો, જેમ અડધા ઈચની પાઈપથી પાણી પડતું હોય તો આપણે આમ હાથ નળ ધરીએ તો હાથ ખસી ના જાય અને દોઢ ઇચની પાઇપથી ‘ફોર્સમાં પાણી પડતું હોય તો હાથ ખસી જાય. એવાં બહુ ભારે ચીકણાં કર્મો હોય તો તે હલાવી નાખે. તેનો ય આપણને