________________
આપ્તવાણી-૮
૧૧
આપ્તવાણી-૮
દાદાશ્રી : બહુ જ ! ચેતન તો અરૂપી છે; જ્યારે મેટર તો રૂપી છે, અને સડી જાય, પડી જાય એવું છે, વિખરાઈ જાય, બહુ વખત થાય ને એટલે સડ્યા કરે, પાછું આંખે દેખાય એવું રૂપી છે, જીભે ચખાય એવું છે, કાને સંભળાય એવું છે અને ચેતન તો પરમાત્મા છે !
પ્રશ્નકર્તા : તો આત્મા ને અનાત્મામાં ફેર શું ?
દાદાશ્રી: એના ગુણધર્મથી ફેર છે. દરેક વસ્તુના ગુણધર્મ હોય ને ? આ સોનું સોનાના ગુણધર્મમાં હોય, તાંબુ તાંબાના ગુણધર્મમાં હોય. ગુણધર્મથી વસ્તુ ઓળખાય કે ના ઓળખાય ?
પ્રશ્નકર્તા ઃ ઓળખાય.
દાદાશ્રી : એવી રીતે આત્માના ને અનાત્માના પોતાના ગુણધર્મો હોય છે. તેમાં આત્માના ને અનાત્માના ઘણાં ખરાં ગુણધર્મો મળતા આવે છે, પણ અમુક બાબતમાં અમુક ગુણો મળતા નથી આવતા. જે ચૈતન્ય સ્વભાવ છે એ બીજી કોઈ વસ્તુમાં નથી. ચૈતન્ય એટલે જ્ઞાન ને દર્શન !
એટલે આ જ્ઞાન-દર્શન એ આત્માના ગુણ છે. નિરંતર જાણ્યા જ કરવાનો સ્વભાવ એ આત્માનો છે. એ જાણવાનો સ્વભાવ બીજા જડમાં નથી. આ ધોકડામાં (દેહમાં) એ જાણવાનો સ્વભાવ નથી. જાણવાનો સ્વભાવ આત્માનો સ્વભાવ છે અને એ જ પરમાત્મા છે !
આત્મા, કેવો અત્યંત ગુણધામ !!! પ્રશ્નકર્તા : આત્મા તો જ્ઞાનવાળો જ છે ને ?
દાદાશ્રી : એ પોતે જ જ્ઞાન છે. પોતે જ્ઞાનવાળો નહીં, જ્ઞાન જ પોતે છે ! જ્ઞાનવાળો એને કહીએ તો ‘જ્ઞાન’ અને ‘વાળો' એ બે જુદું થયું કહેવાય. એટલે આત્મા પોતે જ જ્ઞાન છે, એ પ્રકાશ જ છે પોતે ! તે પ્રકાશના આધારે આ બધું જ દેખાય છે. એ પ્રકાશના આધારે આ બધું સમજણે ય પડે છે અને જણાય છે ય ખરું; જાણવામાં ય આવે છે, ને સમજણમાં ય પડે છે !
બધા ગુણો છે, એટલા બધા ગુણો છે કે ન પૂછો વાત !! આત્મા એ પોતાના ‘સ્વાભાવિક ગુણોનું ધામ છે, એટલે એ ગુણો કોઈ દહાડો આઘાપાછાં ના થાય એવા ગુણનું ધામ છે ! અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે; અનંત શક્તિ છે, અનંતસુખનું ધામ છે, અવ્યાબાધ સ્વરૂપ છે, એવા જાતજાતના આત્માના ગુણ છે.
એ આત્મગુણો ક્યારે પ્રગટે ? એક સેકન્ડે ય તમને એય આવ્યો નથી, તમે અત્યારે પ્રાકૃત ગુણ વેદો છો ! ‘તમારી’ ‘બીલિફ પ્રમાણે ગુણો તમને પ્રાપ્ત થશે. ‘તમે” ‘ચંદુલાલ’ રહેશો તો તમને પ્રાકૃતગુણો પ્રાપ્ત થશે ને ‘તમે’ ‘શુદ્ધ’ ચૈતન્ય થશો તો પછી પોતાના “સ્વભાવિક ગુણો ઉત્પન્ન થશે ! તમારે જ્યાં બેસવું હોય ત્યાં બેસો !!
જ્યાં આત્માના ગુણ નથી ત્યાં આત્મા છે જ નહીં. આ સોનું તેના ગુણમાં હોય ત્યાં સુધી ત્યાં સોનું હોય, બીજાના ગુણમાં પોતે ના હોય. આ સંસારમાં જે દેખાય છે તે બીજાના ગુણ છે બધા, ત્યાં “પોતે’ હોય નહીં. ‘પોતે' એમાં જ્ઞાતા-દ્રષ્ટા હોય, પણ ભળેલો ના હોય. “આત્મા” એમાં ભેળસેળ થયો નથી. આત્મા ભેળસેળિયો નથી, આત્મા નિર્ભેળ છે !
આત્મા ઓળખાય શી રીતે ?
પ્રશ્નકર્તા : આત્મા દેખી શકાય ? કે કલ્પના જ છે ?
દાદાશ્રી : આપણને હવા દેખાતી નથી, છતાં તમને ખબર પડે ને કે હવા છે ? કે ના ખબર પડે ? આ અત્તરની સુગંધ આવે છે, પણ એ સુગંધ દેખાય છે ખરી ? છતાં આપણને ‘અત્તર છે” એ વાતની ખાતરી થાય છે ને ? એવું ‘આત્મા છે' એની આપણને ખાતરી થાય ! જેમ સુગંધ પરથી અત્તર ઓળખાય, એવું આત્મા એના સુખ ઉપરથી ઓળખાય, પછી આ બધું જગત “જેમ છે તેમ' દેખાય. તેના ઉપરથી ખાતરી થઈ જાય કે આત્માના અનંત ગુણો છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખધામ, એ તો કેટલાં બધા ગુણ છે ! આત્મા પોતે જ પરમાત્મા છે, પણ ‘પોતાને” “એનું ભાન થવું જોઈએ. એક ફેરો ભાન થયું કે પછી બધા
એટલે આત્મા તો પરમાત્મા છે, અનંતગુણનું ધામ ! એનાં તો બહુ