________________
આપ્તવાણી-૮
૨૮૫
૨૮૬
આપ્તવાણી-૮
પ્રશ્નકર્તા : તો પછી આત્મા છૂટ્યા પછી શરીરને દુ:ખ કેમ થતું
નથી ?
તો મહીં કેવડો મોટો આત્મા ભગવાન તરીકે બેઠેલો છે, છતાં પણ જો પોતાં મૂકવાનો વખત આવ્યો !! પણ પોતાં મૂકવા પડે ત્યારે મહીં ટાટું થાય, નહીં તો મહીં ય ઉકળ્યા કરે.
જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આત્મા વેદક છે અને જે વેદના થાય એ પોતે સ્વીકારી લે છે કે “મને વેદના થાય છે. આ બધી તો ‘મિકેનિકલ એડજસ્ટમેન્ટ' છે. એમાં અમુક લિમિટ સુધી વેદના થાય ત્યાં સુધી આત્મા મહીં રહે. અને બહુ વેદના થાય, જબરજસ્ત વેદના થાય તો બેભાન થઈ જાય અને એથી ય ભયંકર વેદના થાય તો આત્મા બહાર નીકળી પડે !
શેઠને શું થયું હતું પૂછીએ તો કહેશે, ‘ફેઈલ” થઈ ગયા.” અલ્યા, ‘સ્કૂલમાં’ તો એ પાસ થતા હતા ને ! પણ અહીં ‘ફેઈલ” થઈ ગયા. આ તો બધી ‘મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે. અને મહીં ગભરામણ જોરદાર થાય તો આત્મા નીકળી પડે. એને ‘હાર્ટ એટેક” કહે છે ને ? પેલો ‘લશ્કરી એટેક’ જુદો અને આ ‘એટેક” જુદો ! તે આ ‘એટેકમાં” તો આત્મા જ આખો બહાર નીકળી જાય. હિન્દુસ્તાનમાં માણસની આવી દશા તે હોતી હશે !! જે નિયમો છે એની વિરૂદ્ધ ચાલ્યા, તેથી આ દશા ઉત્પન્ન થઈ છે.
બધી “અસરો'નું “અહંકાર' જ કારણ ! પ્રશ્નકર્તા : શરીરને દુઃખ થાય એટલે જીવને દુઃખ થાય ?
દાદાશ્રી : હાસ્તો ને ! શરીરને દુઃખ થાય, એટલે જીવને દુઃખ થાય. કારણ કે આ શરીરને પોતે મારું માને છે એ જીવ અને પાછો ‘હું જ છું આ’ એમ કહે છે, એટલે એને અસર થયા વગર રહે જ નહીં !
હવે ‘આ’ જ્ઞાન હોય, તેને મનની અને વાણીની આ બે અસરો ના થાય. દેહની અસર તો એને ય થાય. હમણે દાઢ દુ:ખતી હોયને તો જ્ઞાનીને ય ખબર પાડી દે ! એટલે આ ‘બોડી'માં ‘ઇફેક્ટિવ ચેતન છે. પણ “જ્ઞાન” છે એટલે ‘કોઝીઝ' ઉત્પન્ન ના કરે છે. એનો હિસાબ સમભાવે શાંતિથી ચૂકવી દે !
દાદાશ્રી : પછી શરીરને દુઃખ શી રીતે થાય ? અત્યારે તો આમાં હજુ અહંકાર છે. એ શરીરને ‘હું છું અને મારું છે” એમ કહે છે. અને એ જ આ બધું દુઃખ ભોગવે છે. એટલે અહંકારનું જ આ બધું છે.
પ્રશ્નકર્તા: પણ અહંકાર તો જડ છે. દાદાશ્રી : અહંકાર એ જડ નથી, એ મિશ્રચેતન છે. પ્રશ્નકર્તા : આ મિશ્રચેતન એટલે શું, એ સમજાયું નહીં !
દાદાશ્રી : મિશ્રચેતન એટલે ચેતનના ભાવ આની મહીં પડેલા છે. તે ચેતનના ભાવ ને આ જડ બેઉ ભેગું થઈને, ‘મીલ્ચર’ થઈ ગયું, એટલે મિશ્રચેતન કહેવાય. અને મન એ જડ છે. મન વિચાર કરે છે, એ બધું જડ છે. પણ અહંકાર મિશ્રચેતન છે. આ શરીર એ તો જડ છે. પણ મિશ્રચેતનનો થોડોક સ્પર્શ થાય છે, એટલે એને અસર થાય છે.
મૂળ આત્મા સિવાય બીજો પણ ભાગ છે. મૂળ આત્માને તો જગત જાણતું જ નથી. આ દેખાય છે, એને જ ચેતન માને છે. જગત જેને ચેતન માને છે તેમાં ચેતન જરા ય નથી, એક અંશ ચેતન નથી, ‘ગીલેટ' કરવા જેટલું ય ચેતન એમાં નથી, એનું નામ માયાને ! જે ચેતન નથી છતાં ચેતન મનાવડાવે છે, એ જ ભગવાનની માયા ! અને “જ્ઞાની પુરુષે” એ માયા ‘સોલ્વ કરી હોય.
પ્રશ્નકર્તા: ‘મારી માયા ફેરવી શકાય એવી નથી, બહુ મુશ્કેલ છે’ એવું ભગવાને કહ્યું છે ને !
દાદાશ્રી : એટલી બધી મુશ્કેલ છે કે એ માયા આઘીપાછી થાય નહીં. એટલે પછી છુટે જ શી રીતે ? એટલે ‘જ્ઞાની પુરુષ’ એ માયાથી મુક્ત કરી શકે. કારણ કે પોતે એ માયાથી મુક્ત થયેલાં હોય એટલે માયાથી મુક્ત કરે, નહીં તો આ માયા તો ખરો જ નહીં ને !