________________
આપ્તવાણી-૮
૨૪૭
૨૪૮
આપ્તવાણી-૮
બાજુનો વેપાર કરવા માંગે છે અને એમ કરતાં કરતાં પછી પોતાનું અસ્તિત્વ પણ ખોઈ નાખશે ! પોતે મૂળ સ્વરૂપે થઈને ઊભો રહેશે !!
દાદાશ્રી : કાયમને માટે ટકે. એક મિનિટ, બે મિનિટ માટે નહીં. એક મિનિટ-બે મિનિટ તો આ દરેક વસ્તુઓ છે જ ને, આ દુનિયામાં. આ ખાવા-પીવાની બધી વસ્તુઓ અહીં આગળ જીભ ઉપર રહે તેટલો વખત જ ટકે, પછી જતું રહ્યું. પછી અનુભવ હોય ? આપણે મીઠાઈ ખાઈએ તો કેટલી વાર અનુભવ ટકે ? અને અત્તરનું પૂમડું ઘાલીએ તો ? દશ-બાર કલાક ટકે અને આત્મા તો, એક જ ફેરો અનુભવ થયો કે કાયમ જ ટકે. કાયમ જ અનુભવ રહેવો જોઈએ. નહીં તો એનો અર્થ જ નહીં ને ! એ પછી “મીનીંગલેસ’ વાત છે !
અનુભવ પછી વર્તે ચારિત્ર ! પ્રશ્નકર્તા : આત્મા વર્તાવો અને આત્મા અનુભવાય, એ બેમાં ‘ડિફરન્સ” શું ?
દાદાશ્રી : ચારિત્રમાં આવ્યો, તે આત્મા વર્તાયો કહેવાય. પ્રશ્નકર્તા : અને અનુભવ ? દાદાશ્રી : અનુભવ તો, તે પહેલાં તો થયેલો જ હોય એને ! પ્રશ્નકર્તા : અનુભવ પછી વર્તનામાં આવે છે ? દાદાશ્રી : હા. તે અનુભવ પહેલાં થયેલા હોય, પછી તેને વર્તે !!
શુદ્ધ સ્વરૂપ'તી પ્રાપ્તિ “હું'તે જ ! પ્રશ્નકર્તા : શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો નિર્ણય કોણ કરે છે ? આત્મા કરે છે ?
- અજ્ઞાત છે, ત્યાં સુધી જ અહંકાર !
પ્રશ્નકર્તા : આત્મા તરફનો વિચાર ના આવે તો આત્મા તરફની પ્રવૃત્તિ ય ના થાય ને ?
દાદાશ્રી : હા, ના જ થાય ને !
પ્રશ્નકર્તા : તો શરૂઆતમાં વિચારમાં અહંકાર પણ થોડો રહેવાનો ને? કે હવે “આમ કરું, તેમ કરું.’
દાદાશ્રી : હા, અહંકાર તો ઠેઠ સુધી રહેવાનો જ ! જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અહંકાર રહેવાનો !!
સર્વ અનુભવોથી ત્યારે, આત્માનુભવ ! પ્રશ્નકર્તા : આપણે એક બાજુએ એમ કહીએ છીએ કે આત્મા સિવાય અન્ય કંઈ જ નથી અને બીજી બાજુ આપણે આત્માનુભવ એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ, એટલે દ્વિધા થાય છે. આત્મા સિવાય કંઈ જ ન હોય તો અનુભવ નામની વસ્તુ પણ વિચારનો પ્રક્ષેપ હોય, મનનો પ્રક્ષેપ હોય કે માત્ર ડખો હોય, એવું ખરું ?
દાદાશ્રી : ના, એવું કશું નહીં.
પ્રશ્નકર્તા : પણ આત્માનુભવ શબ્દ વાપરવો તો પડે છે ને, એટલાં માટે પૂછયું.
દાદાશ્રી : એ શબ્દ એટલા માટે જ વાપરવો પડે છે કે “આત્મા જ્યાં સુધી પ્રાપ્ત ના થાય, ત્યાં સુધી સીડીની જરૂર છે. ‘તમે' જે જગ્યાએ ઊભા છો, ત્યાંથી તમને સમજાવવા માટે વચ્ચે સ્ટેપિંગ બતાવવાની જરૂર છે. અને આત્માનુભવ એટલે શું કહેવા માગો છો ? અત્યારે ‘તમને’ દેહાધ્યાસ છે, એટલે કેવો અનુભવ વર્તે છે ? ‘દેહ તે હું છું, આ નામ પણ હું છું, આ મન પણ હું છું' એવો અનુભવ વર્તે છે. અને આત્માઅનુભવ એટલે
દાદાશ્રી : આત્મા પોતે શુદ્ધ જ છે. જેને કંઈ ચેર આવે છે તે વલૂરે ! બાકી વલૂરે કોણ ? જેને ચેર આવે તે વલૂરે છે. તે આ બધું અહંકાર કરે છે. ‘હું કરે છે. આ શુદ્ધ સ્વરૂપ કરવું છે, તે બધો વિચાર કોણ કરે છે ? અહંકાર કરે છે.
આ ભૌતિક બાજુનો વ્યાપાર કરી છૂટ્યા, થાક્યા હવે. એટલે આ