SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ આપ્તવાણી-૮ આપ્તવાણી-૮ ૨૨ ૧ એટલે આત્મા જાણવાનો ક્યાં હોય ? ‘જ્ઞાની પુરુષ' પાસે. આ શાસ્ત્રના જ્ઞાનીઓ પાસે આત્મા ના હોય. જો આત્મા પ્રાપ્ત થયો હોય તો સમકિત એમને થયેલું હોય અને સમક્તિ એટલે આ સંસારમાં રહીએ છતાં સંસાર અડે નહીં અને એ “જ્ઞાની પુરુષ'ની કૃપાથી પ્રાપ્ત થાય ! સવાંગી ફોડથી ગૂંચવાડો જાય ! કેટલાંક તો ઉપદેશમાં આત્મા એકલો જ કહે છે. કાનમાં આમ ફૂંક મારે કે બોલ, ‘હું આત્મા છું.” અલ્યા, પણ આત્મા એટલે શું ? અને “ આત્મા છું', તો આ બીજું બધું શું છે ? એવો પ્રશ્ન પાછો ઊભો ના થાય ? આપણે અહીં તો શું કહ્યું કે, ‘બાય રીલેટિવ વ્યુ પોઇન્ટ ‘આ’ ને બાય રીયલ ભુ પોઈન્ટ ‘આ’, એવું બન્ને બોલવું જોઈએ.’ એ લોકોને ‘પોઈન્ટ’ જેવું કશું નહીં, બન્ને બાજુનો બફારો રહ્યો !! પેલી ફૂંક મારી હોય, તે થોડું ઘણું રહે. પણ પાછો ગુંચાઈ જાય ! રેલવે લાઈન ‘પેરેલલ” ના જોઈએ ? કે વાંકીચૂંકી ચાલે ? ભલે તું તારે વાંકી ફેરવવી હોય તો વાંકી ફેરવજે, ગોળ ફેરવવી હોય તો ગોળ ફેરવજે, પણ ‘રીયલ’ અને ‘રિલેટિવ' બન્ને લાઈન ‘પેરેલલ’ રાખજે. રીલેશત'માં ભૂલ્યો “પોતે' પોતાને ! એટલે આ ચંદુભાઈ એ તો વ્યવહાર ચલાવવા પૂરતું નામ છે. આ તો “પોતે' “રીયલ’ હતો, તે “રીલેટિવ” થઈ ગયો. ઘણાં બધાં ‘રીલેશન” થઈ જવાથી પોતાને ભ્રાંતિ ઉત્પન્ન થઈ. અને પછી કહે છે કે “હું ચંદુભાઈ છું', એનું નામ ‘ઇગોઇઝમ' કહેવાય. બદલાણી બીલિફ “વસ્તુ' સંબંધમાં ! પ્રશ્નકર્તા: ‘રીયલ’ અને ‘રીલેટિવ’ શું છે? તે બન્નેને શું સંબંધ છે ? દાદાશ્રી : સાપેક્ષ બધું વિનાશી હોય. સાપેક્ષને અંગ્રેજીમાં “રીલેટિવ’ કહે છે. અને ‘ઓલ ધીસ રીલેટિસ આર ટેમ્પરરી એડજેસ્ટમેન્ટ્સ એન્ડ રીયલ ઇઝ ધી પરમેનન્ટ.” નિરપેક્ષને “પરમેનન્ટ’ કહે છે. સાપેક્ષ એટલે બીજાનો આધાર રાખે છે, બીજાના આધારે એ જીવી રહ્યું છે ! આ અંધારું છે, તો અજવાળું છે. નહીં તો અજવાળાને અજવાળું કોણ કહે છે ? કાયમ અજવાળું હોય તો એને અજવાળું કોણ કહે ? એટલે અંધારાની અપેક્ષાએ અજવાળું છે. અને અંધારું શેને આધારે ? અજવાળાની અપેક્ષાએ અંધારું છે, એને સાપેક્ષ કહેવાય છે. જેને કંઈ પણ અપેક્ષા હોય, એને સાપેક્ષ કહેવાય. અને એ સાપેક્ષ ‘ટેમ્પરરી’ હોય, બદલાયા જ કરે. અને “રીયલ’ એ ‘પરમેનન્ટ વસ્તુ છે. આ જગતમાં છ વસ્તુ ‘પરમેનન્ટ' છે. હવે છ વસ્તુમાં શુદ્ધ ચેતન ‘પરમેનન્ટ' છે અને બીજી બધી જ વસ્તુ છે તેમાં ચેતનભાવ નથી. છતાં એ પાંચે ય ‘પરમેનન્ટ' છે અને એમાં બીજા અનંત પ્રકારના ગુણધર્મો છે. એ બધાનાં ગુણધર્મને લઈને આ “રીલેટિવ' ભાવ ઉત્પન્ન થયો છે ખાલી ! આત્મા તો નિરંતર આત્મા જ રહે છે, નિરંતર ચેતન રૂપે જ રહે છે. તે બદલાયો નથી, ક્ષણવારે ય બદલાયો નથી. ફક્ત ‘બીલિફ” જ ‘રોંગ” થાય છે ! જે તમે છો તેની ‘બીલિફ’ નથી ને જે તમે નથી તેની ‘બીલિફ’ તમને બેઠી છે. એ બધી ‘રોંગ બીલિફો’ છે. અને આ ‘બીલિફો’ બધી રીલેટિવ' છે, નોટ ‘રીયલ' !! પ્રશ્નકર્તા : એ ‘રીયલ'ની ‘સ્ટેજ'માં જવા માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : એ તો ‘રીયલ'નું ‘રીયલાઈઝ' કરવું જોઈએ. અમે અહીં આગળ “જ્ઞાન” આપીએ છીએ, ત્યાર પછી “રીયલ’નું ‘રીયલાઈઝ' થઈ જાય છે ! મુક્તિ માંગે સૈદ્ધાંતિક સમજ ! પ્રશ્નકર્તા : પણ ચોપડીમાં તો એમ લખ્યું છે કે મનને આત્મામાં લગાડ, તો ઉદ્ધાર થશે ! દાદાશ્રી : હા, પણ એ આત્મા જાણ્યા પછી લગાડાય ને ! એમ ને એમ લગાડાય શી રીતે ? જ્યાં સુધી ‘રીયલાઈઝ' થાય નહીં ત્યાં સુધી
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy