________________
આપ્તવાણી-૮
૨૧૧
અધ્યાત્મતા અંધકાર ઓગાળે જ્ઞાતી !
પચ્ચીસસો વર્ષથી આ દેશમાં અંધારું ચાલ્યું. એમાં એક-બે જ્ઞાનીઓ થયા, પણ તે બધો ‘પ્રકાશ’ બધે પહોંચી શકે નહીં. અને આ પ્રકાશ’ તો આખો મનનો થર ઓળંગે, બુદ્ધિનો થર ઓળંગે ત્યારે પહોંચે તેવો છે ! હજુ તો ફોરેનવાળા મનના ઘરમાં ય આવ્યા નથી. એ લોકો તો ખાલી નિશ્ચેતન-મનની ક્રિયાઓમાં છે. ચેતન-મન તો એમણે જોયું ય નથી. સાંભળ્યું ય નથી અને ફોરેનવાળાને એની જરૂરે ય નથી. ફોરેનવાળાને આજે આપણે કહીએ કે મહીં આત્મા છે, તે એને થોડું ઘણું મહીં સમજાય કે કંઈક તત્ત્વ છે. પણ એ આત્માને ના માને, પણ બીજું કંઈક છે એવું એ માને ખરાં. એને આપણે કહીએ, પુનર્જન્મ છે. તો એ સ્વીકારે નહીં.
એટલે એક આત્મા જાણવાનો છે. આપણા હિન્દુસ્તાનના બધા ધર્મો શું કહે છે ? કે આત્મા જાણો. ફોરેનમાં આત્માની વાત જ નથી. ફોરેનમાં તો ‘આ હું જ વીલીયમ છું ને હું જ માયસેલ્ફ' કહેશે, અને એ લોકો પુનર્જન્મને માનતા નથી, ત્યાં સુધી આત્માનું ભાન ના હોય. જે લોકો પુનર્જન્મને માનતા હોય તેને આત્માની ખબર હોય કે ભાઈ, આત્મા મારો જુદો અને હું જુદો.
અને આત્મા એ એક એવી ચીજ છે કે કોઈને જડ્યો જ નથી, ફક્ત કેવળજ્ઞાનીઓને જ જડ્યો હતો, એમ કહે તો ચાલે. જે બીજા કેવળી થયા તે કેવળજ્ઞાનીનાં દર્શન કરવાથી થયા. પણ જો ખરી શોધખોળ કરી હોય તો કેવળજ્ઞાનીઓએ, તીર્થંકરોએ !
એટલે આત્મા જડે એવી વસ્તુ નથી. આ શરીરમાં આત્મા શી રીતે જડે તે ? આત્મા એવો છે કે ઘરોની આરપાર જતો રહે, અહીં લાખ ભીંતો હોય તેની આરપાર જતો રહે, એવો આત્મા છે. હવે એ આત્મા શી રીતે આ દેહમાં જડે ‘એને’ ?
‘જ્ઞાતી’ વર્તાવે, આત્મપરિણતિ !
પ્રશ્નકર્તા : તો સંસારિક માણસોને આત્મા મળે જ નહીં ?
આપ્તવાણી-૮
દાદાશ્રી : એવું કશું છે નહીં. આત્મા જ છો તમે. પણ ‘તમને’ પોતાને ભાન થતું નથી કે ‘હું’ કેવી રીતે ‘આત્મા’ છું ! નહીં તો ‘તમે’ પોતે જ ‘આત્મા’ છો !
૨૧૨
‘જ્ઞાની પુરુષ’ આત્મજ્ઞાન આપે, તે કેવી રીતે આપે ? આ ભ્રાંતજ્ઞાન અને આ આત્મજ્ઞાન, આ જડજ્ઞાન અને આ ચેતનજ્ઞાન, એ બેની વચ્ચે ‘લાઈન ઓફ ડિમાર્કેશન' નાખી આપે. એટલે પછી ફરી ભૂલ થવાનો સંભવ ના રહે. અને આત્મા નિરંતર લક્ષમાં રહ્યા કરે, એક ક્ષણ આત્માની જાગૃતિ ના જાય !!
અત્યારે તમારામાં પણ આત્મા અને અનાત્મા બન્નેના ધર્મ જુદા જ છે. પણ તમારે બન્ને પરિણામ ભેગાં નીકળે છે, એટલે તમને બેસ્વાદ આવે છે. બન્નેનાં ધર્મનાં પરિણામ મિક્ષ્ચર કરવાથી બેસ્વાદ થાય. અને ‘જ્ઞાની પુરુષ’ને ચેતન પરિણામ જુદું રહે અને અનાત્મ પરિણામ જુદું રહે, બન્ને ધારાઓ જુદી જુદી વહે, એટલે નિરંતર પરમાનંદમાં રહે.
એવું છે, ખાવાનું, પીવાનું, નહાવાનું, ઊઠવાનું, સુવાનું, જાગવાનું એ બધો દેહનો ધર્મ છે. અને લોકો બધા દેહના ધર્મમાં જ પડ્યા છે ! ‘પોતે’ ‘આત્મધર્મ’માં એકવાર એક સેકન્ડે ય આવ્યો નથી, જો એક સેકન્ડે ય આત્મધર્મમાં આવ્યો હોત તો ભગવાનની પાસેથી ખસત નહીં !
જ્ઞાતાંક્ષેપવંત્ વિચારધારા કામતી...
પ્રશ્નકર્તા : જીવે વિચાર કરવો જોઈએ ખરો ને ? દાદાશ્રી : શાનો ?
પ્રશ્નકર્તા : જે આપની પાસેથી સાંભળ્યું હોય કે વાંચ્યું હોય, એના ઉપર વિચારણા કરવી જોઈએ ખરીને ?
દાદાશ્રી : હા. વિચારણા કરીને એનું તારણ કાઢવું પડે ને ! પ્રશ્નકર્તા : એટલે વિચારણા કરવી જરૂરી ખરી ?
દાદાશ્રી : હા, જરૂરી ખરી પણ અમુક હદ સુધી.