________________
આપ્તવાણી-૮
૨૦૭
૨૦૮
આપ્તવાણી-૮
લોભ બધી નબળાઈઓ ઊભી થઈ ગઈ છે.
પરમાત્મા પહોંચાડે પ્રકાશ તે પરમાનંદ ! પ્રશ્નકર્તા : તો અવિનાશીનું કાર્ય શું, વિનાશીની જોડે રહીને ?
દાદાશ્રી : એ ખાલી પ્રકાશ આપે છે, બીજું કંઈ કરતો નથી. પોતાની પાસે પ્રકાશ પાર વગરનો છે, એ પ્રકાશ આપે છે. અને બીજું એ આનંદ આપે છે. પણ આનંદ આપણી પાસે પહોંચતો નથી, એનો તીરોભાવ થાય છે. અને એ આનંદનો આપણે શું ઉપયોગ કરીએ છીએ ? એ આનંદ ‘પોતાના’માંથી આવે છે એમ માનતા નથી, એટલે આપણે કહીએ છીએ કે આ જલેબીમાંથી આનંદ આવ્યો. આ તીરોભાવ કરીએ છીએ એટલે આપણને એમ લાગે છે કે આનંદ આ જલેબીમાંથી આવે છે. પણ જલેબીમાંથી આનંદ આવતો નથી, પોતામાંથી આનંદનું આરોપણ થાય છે.
એટલે કોઈ વસ્તુમાં આનંદ હોય નહીં, સોનામાં કે કશામાં આનંદ હોય નહીં. જો સોનામાં આનંદ હોય તો સોનાની પથારી કરીએ તો ઊંઘ સારી આવે ને ?
છું’ એમ કહો છો, તેથી ચિંતા થાય છે ! કશું માણસ કરી શકે ખરો ? આ કરે છે કે ‘ઈટ હેપન્સ’ છે ?
પ્રશ્નકર્તા: ‘ઈટ હેપન્સ’ એટલે પોતાની જાતે કશું થતું નથી, એમ ?
દાદાશ્રી : હા, બસ. તે આ પોતાની જાતે કરવા જાય છે ને, તેની ભ્રાંતિ ઉત્પન્ન થાય છે ને કર્તા થયો એટલે ચિંતા ઊભી થાય. તમને સમજ પડીને ?! પોતે છે અકર્તા, પણ કર્તાપદ ધારણ કર્યું છે અને કર્તાપદ ધારણ થયું તેથી ભોક્તાપદ ઉત્પન્ન થયું, કરવા ગયો તેથી ભોક્તા થયો. અને એટલે આખો દહાડો ચિંતા, ઉપાધિ ને કકળાટ ! પછી કોઈ કશું અપમાન કરે તો ય દુ:ખ થાય !!
એટલે ‘પોતે’ ‘પોતાના સ્વભાવ’માં આવે એટલા માટે ‘આ’ જ્ઞાન આપવાનું. પછી આત્મા આત્મામાં રહે અને અનાત્મા અનાત્મામાં રહે. દરેક જીવોની મહીં ચેતન છે ને, તે પ્રકાશ જ આપે છે, બીજું કશું કરતો નથી !
આ જે વિનાશી છે. એ બધું ‘રિલેટિવ' છે અને ‘ઓલ ધીસ રિલેટિવર્ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ અને યુ આર રિયલ એન્ડ પરમેનન્ટ.’ તે એક ‘ટેમ્પરરી” અને એક ‘પરમેનન્ટ’ આ બે ભેગું થઈ ગયું છે. તેનું અમે વિભાજન કરી આપીએ છીએ, ‘લાઈન ઓફ ડીમાર્કશન’ નાખી આપીએ કે “ધીસ ઇઝ ધેટ એન્ડ ધીસ ઇઝ નોટ ધેટ.”
પ્રશ્નકર્તા: આ વિનાશીથી અવિનાશી છૂટો પડે પછી એનું શું થાય
પ્રશ્નકર્તા : ના આવે.
છે ?
દાદાશ્રી : એટલે સોનામાં આનંદ નથી. તે આ આનંદ તો કલ્પનાથી ઊભો કરીએ છીએ કે આમાં આનંદ છે ને આમાં મઝા છે, તે એવું ભાસે છે પછી. એટલે મૂળ સાચો આનંદ માર્યો જાય છે. અમારે પેલો ‘ડિરેક્ટ’ સાચો આનંદ આવે. અમે નિરંતર સાચા આનંદમાં રહીએ છીએ ને, એ સ્વાભાવિક આનંદ આવે, નેચરલ, જે પોતાનો છે ! અને આ બધો આનંદ તો કલ્પિત છે અને આ સુખે ય કલ્પિત છે અને દુઃખે ય કલ્પિત છે !
સ્વભાવ ભયે, સ્વાભાવિક સુખ ! એટલે અમે ‘આત્મા’ જુદો પાડી આપીએ, એટલા માટે કે ‘તમે” સ્વાભાવિક સુખમાં આવી જાવ પછી ! પછી તમને ચિંતા, ઉપાધિ ના થાય. કારણ કે ચિંતા શાથી થાય છે ? કે ‘હું જ ચંદુભાઈ છું’ અને ‘હું જ કરું
દાદાશ્રી : પછી એને આ દુ:ખો ના રહે ને ! આ સાંસારિક દુઃખો જે છે કે ‘આમ થઈ ગયું. તેમ થઈ ગયું.’ તે એને ના રહે. પછી મરવાનું થાય તો ય બીક ના આવે, ગજવું કપાય તો ય દુઃખ નહીં, બૈરી ગાળો ભાંડતી હોય તો ય દુ:ખ નહીં, કશાં દુ:ખો ના ઉત્પન્ન થાય ને ! એટલે વિનાશીથી અવિનાશી છૂટો પડે એટલે બન્ને પોતપોતાનાં સ્વભાવમાં રહે, બીજું શું થવાનું ?
પ્રશ્નકર્તા : આવું જેને છૂટું પડ્યું હોય, તેને મૃત્યુ પછી શું થાય છે?