________________
આપ્તવાણી-૮
૧૯૩
૧૯૪
આપ્તવાણી-૮
જયા કરશે. બધું અનંત છે ત્યાં આગળ તો !
પ્રશ્નકર્તા : આ દુનિયામાં જડ હોય તો જ આત્મા રહી શકે નહીં તો એકલો આત્મા ના રહી શકે ?
દાદાશ્રી : એ ખરું કહ્યું. એકલો આત્મા આ જગતમાં રહી જ ના શકે, એ તો સિદ્ધગતિમાં જ બધા એકલાં આત્મા છે.
પ્રશ્નકર્તા : સિદ્ધગતિ સિવાયની પરિસ્થિતિ છે ત્યાં આત્મા એકલાં રહી ના શકે !
આવે ખરી ?
દાદાશ્રી : કશું ય નહીં. અસરને શું લેવાદેવા ? કશી લેવાદેવા જ નહીં. અને એમને સિદ્ધોને કશી અસર જ ના હોય ને કોઈ જાતની !!
પ્રશ્નકર્તા: એમને અસર ના હોય, પણ એમની અસર બહાર આવે કે નહીં ?
દાદાશ્રી : ના. એમની અસરનું અહીં કશું ય નહીં. છતાં એવું છે ને, એ આપણું લક્ષસ્થાન છે કે આપણે ત્યાં જવાનું છે !
દાદાશ્રી : હા. એ ખરી વાત છે.
પ્રશ્નકર્તા : આ તો પછી એવું ય થઈ જાય કે મોક્ષે જઈએ એટલે પછી ફરી પાછું આ બધું ભેગું થઈ જાય ?
દાદાશ્રી : ના. એવું કશું હોય નહીં. એનું કારણ છે કે અહીં જે આવું થયું ને, તે તો અહીં બધા સંજોગો છે. આ લોકમાં આવા સંજોગો છે, એટલે આમ જ થઈ જાય. પણ ત્યાં એવા કોઈ સંજોગો નથી. એટલે આમ થાય જ નહીં, ફરી એવું કશું ભેગું થાય જ નહીં.
વસ્તુ સાથે હોય ત્યારે પોતપોતાના ગુણધર્મ ભાગ્યા સિવાય, એ વિશેષ ગુણધર્મ ત્યાં ઉત્પન્ન થાય છે. એ વિશેષ ગુણધર્મ, એ આ સંસાર છે. હવે સિદ્ધક્ષેત્રમાં ય જો પુદ્ગલ હોયને, તો ત્યાં ય આ વિશેષભાવ ઊભો થાત. પણ ત્યાં પુદ્ગલ નથી !
પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રમાં આત્માની અવગાહના પડે છે, એની બહાર પણ પુલ પરમાણુઓ છે ને ?
દાદાશ્રી : પણ એ સિદ્ધક્ષેત્રની બહાર, એટલે ફક્ત નીચેના ભાગમાં જ છે. અને એની અસર સિદ્ધોને ના કરે એવી સ્થિતિમાં છે. લોકાલોકની વચમાં એ સિદ્ધક્ષેત્ર છે.
પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રમાં જે પરિસ્થિતિ છે, એની અસર બીજા લોકમાં