________________
આપ્તવાણી-૮
૧૯૧
૧૯૨.
આપ્તવાણી-૮
સિદ્ધક્ષેત્ર તો, બધા સિદ્ધોને રહેવાનું સ્થળ છે એક જાતનું, એને સિદ્ધક્ષેત્ર કહેવાય.
પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્ર બ્રહ્માંડમાં છે કે બ્રહ્માંડની બહાર છે ?
દાદાશ્રી : બ્રહ્માંડની ધાર ઉપર છે, છેલ્લી ધાર ઉપર છે. તમે તમારી ભાષામાં સમજી જાવ, સહુ સહુની ભાષામાં લઈ જાય પછી. પણ સિદ્ધક્ષેત્ર એ બ્રહ્માંડની બહારે ય નથી, પણ છેલ્લી ધાર ઉપર હોય.
ગજબનું સિદ્ધપદ, એ જ અંતિમ લક્ષ !
ખરી. પ્રવૃત્તિમાં કહેવાય નહીં છતાં ક્રિયા ખરી !!!
સિદ્ધક્ષેત્રની કેવી અદ્ભૂતતા ! પ્રશ્નકર્તા : તો પછી સિદ્ધક્ષેત્રમાં બધા આત્માઓ છે, એ બધા પોતપોતામાં જ છે ?
દાદાશ્રી: હા, એમને કોઈને બીજા જોડે કશું લેવાદેવા જ નહીં. એવું છે ને, આ જગતમાં કોઈ કોઈને ય કશું લેવાદેવા છે જ નહીં. અને જે કંઈ છે એ નિમિત્ત માત્ર છે. આ હું ય નિમિત્ત જ છું.
પ્રશ્નકર્તા : એ સિદ્ધક્ષેત્રમાં આપણે જઈએ તો ત્યાં એકલાં બેસી જ રહેવાનું? ને જોયા જ કરવાનું?
દાદાશ્રી : એવું તમારી ભાષામાં બેસી રહેવાનું નથી. ત્યાં ઊભા રહેવાનું ય નથી ને બેસી રહેવાનું ય નથી, ત્યાં આડા થઈ જવાનું ય નથી. ત્યાં નવી જ જાતનું છે !!
પ્રશ્નકર્તા : ખાલી જોયા જ કરવાનું છે ?
દાદાશ્રી : હા, પણ એ કલ્પનાની વસ્તુ નથી. તમે કલ્પનાથી જોવા માંગો છો, એવી વસ્તુ નથી એ !!
પ્રશ્નકર્તા : એ સિદ્ધશિલા કેવી હોય ?
પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રમાં જે સિદ્ધાત્મા સિદ્ધ થઈ ગયા, એમને પછી ‘ઈન્ડીવીયુઅલ આઈડેન્ટીફાય” કરી શકાય ?
દાદાશ્રી : ના, એવું “ઇન્ડીવીજ્યુઅલ' ના હોય. એમને તો પોતાનું અસ્તિત્વ, વસ્તુત્વ ને પૂર્ણત્વનું ભાન હોય કે ‘હું છું', એટલું જ. ત્યાં ‘તે છે” એવું કશું ય નહીં. ‘હું છું એટલાં જ ભાનમાં દરેક રહે, સ્વતંત્ર ભાનમાં ! બીજાની કશી વાત જ નહીં, ભાંજગડ જ નહીં ત્યાં વ્યક્તિભેદ નથી, ત્યાં આગળ પરસ્પર સંબંધ નથી. આ તો અહીં બધા પરસ્પર સંબંધ છે, ‘રિલેટિવ' છે. અને ત્યાં પેલું ‘રિયલ’ છે, “એબ્સોલ્યુટ’ છે, તેમાં કોઈ પરસ્પર છે જ નહીં. ત્યાં તો પોતાનાં અસ્તિત્વનું ભાન રહે, વસ્તુત્વનું ભાન રહે ને પૂર્ણત્વનું ભાન રહે !
પ્રશ્નકર્તા : બધાંને સુખ જ છે ને, ત્યાં ?
દાદાશ્રી : બધાંને સુખ સરખું જ ! વસ્તુત્વનાં ભાનમાં તો પરમાનંદ પુષ્કળ રહ્યા કરે !
પ્રશ્નકર્તા : જેમ સિનેમા થિયેટરમાં હાઉસફૂલ થઈ જાય છે, એમ સિદ્ધક્ષેત્રમાં હાઉસફૂલ થઈ જાય ખરું ?
દાદાશ્રી : એ કલ્પના આપણી હોય છે. ત્યાં તો એટલી બધી વિશાળતા છે કે ત્યાં અનંતા સિદ્ધો હોવા છતાં, હજુ ત્યાં અનંતા સિદ્ધો
દાદાશ્રી : સિદ્ધશિલા તો, જ્યાં કર્મને પોતાને ચોંટવું હોય તો ય ચોંટાય નહીં એવી જગ્યા છે અને અહીં તો આપણી ના ઇચ્છા હોય તો ય કર્મ ચોંટી પડે ! આ કર્મના પરમાણુ નિરંતર બધે હોય છે. અહીં તો પરમાણુ તૈયાર જ હોય છે અને ત્યાં એમને કશું અસર જ નહીં. ભગવાન ! કાયમને માટે એ પદ !!
પ્રશ્નકર્તા : ત્યાં સિદ્ધક્ષેત્રમાં પરમાણુ નથી ?
દાદાશ્રી : ત્યાં કશું ય નથી. એ સિદ્ધ ભગવંતો આ અહીંના બધા શેયોને એ પોતે જોઈ શકે, પણ જોયો એમની જગ્યામાં ત્યાં ના હોય. એ