SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ ૧૭૧ ૧૭૨ આપ્તવાણી-૮ ગઈ. તે પછી મારે એમ કહેવું પડે છે કે આત્મા નિર્ગુણ છે એ વાત સાચી છે. પણ તમે તમારી ભાષામાં લઈ ગયા. એટલે પ્રકૃતિના ગુણથી નિર્ગુણ છે. પ્રકૃતિનો એકેય ગુણ આત્મામાં નથી અને પોતાના ગુણથી સભર છે. અત્યારે વળી પાછાં એટલે સુધી આવ્યું છે કે આત્માને નિર્ગુણ આત્મા કહે છે. અલ્યા, આ પથરો નિર્ગુણ નથી આ દુનિયામાં ! અને આત્માને નિર્ગુણ કહો છો ? લાખ અવતારે ય તમે શી રીતે મૂળ વસ્તુના ગામ ભણી વળશો ? પથરો ય નિર્ગુણ નથી. ભેંસ પોદરો કરે છે તે ય નિર્ગુણ નથી, તે ય કામ લાગે છે, ને ? લીંપવામાં કામ નથી લાગતો ? એટલે દરેક વસ્તુ ગુણવાળી છે. ગુણ કામ કરે ને ? ધૂળે ય કામની કે નહિ ?! - હવે અનાદિકાળથી આવી ને આવી ભૂલ ચાલી આવે છે અને તેથી લોકોને માર પડે છે ને ! ધર્મમાં ભૂલ ચાલે જ નહીં ! ધર્મમાં ભૂલ હોય જ નહીં. અને ભૂલ હોય તો શું થાય ? અને આ તો વિજ્ઞાન છે. એમાં જરાક ભૂલ થાય તો થઈ રહ્યું, પ્રમાણ જુદું જ થઈ જાય !! આપને નિર્ગુણ સમજાયું ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એટલે મૂળ પોતે સગુણ જ છે, અનંત ગુણનું ધામ છે. સ્વાભાવિક ગુણો જે છે એ બહુ બધા છે. પણ પ્રકૃતિના જે ગુણો છે, એમાંથી એક ગુણ આત્મામાં નથી માટે નિર્ગુણ. આ લોકોએ સ્વીકાર્યું કે આ ગુણો આત્મામાં નથી, માટે આત્મા નિર્ગુણ છે. તેને બદલે લોકો શું સમજી ગયા કે આત્મા નિર્ગુણ જ છે. અલ્યા, જગતમાં પથરો ય નિર્ગુણ નથી, કોઈ વસ્તુ ગુણ વગરની નથી. સારા કે ખરાબ, પણ ગુણ વગરની કોઈ વસ્તુ નથી. દરેકમાં ગુણ ખરાં, તો આત્મા નિર્ગુણ કેમ હોઈ શકે ? અંતે તો પ્રાકૃત ગુણો જ પોષાયા ! પ્રશ્નકર્તા : આ સત્ત્વ, રજસ્ અને તમન્ આ ત્રણ ગુણો છે. એને ને તત્ત્વોને શું સંબંધ ? દાદાશ્રી : આ સત્ત્વ, રજસું ને તમસું એ ગુણોને શું કરવાના ? એ તો વિનાશી ગુણો છે, પ્રકૃતિના ગુણો છે. અને તત્ત્વો એટલે અવિનાશી, વસ્તુ છે. આ જે સત્ત્વ, રજ અને તમ જે ગુણો છે ને, તે ગુણોના અધિષ્ઠાતા દેવ છે. તે જેને એ ગુણોની જરૂર હોય તે બ્રહ્મા, વિષ્ણુ કે મહેશને ભજે. એટલા માટેનું છે એ. બીજું કંઈ નથી ! પ્રશ્નકર્તા : એટલે એમની દેવતાઓમાં ગણતરી થાય ? દાદાશ્રી : ખરી ને ! પણ તે એમાં જે ગુણ હોય ને, તે ગુણના એ અધિષ્ઠાતા દેવ છે. એ આ તમોગુણવાળા શિવ હોય અને રજોગુણવાળા વિષ્ણુ કહેવાય અને સાત્ત્વિક ગુણવાળા બ્રહ્મા કહેવાય. તે તે દેવનું પૂજન કરો તો સારું, એ ગુણ વધે. પણ છેવટે તો આત્મા જાણવો પડશે. પ્રશ્નકર્તા: પણ શાસ્ત્રમાં વર્ણન આવે છેને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશનું, તો એ બધું શું છે ? દાદાશ્રી : આ તો પ્રકૃતિ મજબૂત કરવા માટે આ મૂર્તિઓ મૂકેલી છે. વિષ્ણુ રજોગુણ છે, મહેશ તમોગુણ છે અને બ્રહ્મા સત્ત્વગુણ છે. એ ત્રણ ગુણોને મજબૂત કરવા માટે આપણા લોકોએ મૂર્તિઓ સ્થાપી છે. એટલે આમની પૂજા કરવાથી આ ગુણ મજબૂત થાય. પણ એ ગુણો પાછો ધીમે ધીમે નાશ થાય. પ્રશ્નકર્તા: તો પછી આ બ્રહ્મા, વિષ્ણુ કે મહેશને પૂજવાનો કશો અર્થ જ નહીં ને ? દાદાશ્રી : અર્થ ખરો ને ! માણસે પ્રકૃતિ તો મજબૂત કરવી જ જોઈએને ! પ્રકૃતિ મજબૂત કરે તો આગળ વધે. રૂપકો, લૌકિક તે અલૌકિક દ્રષ્ટિએ.... પ્રશ્નકર્તા : શિવાલયમાં અષ્ટાંગયોગનાં, યમ-નિયમ-આસનપ્રાણાયામ-પ્રત્યાહાર-ધ્યાન-ધારણા ને સમાધિ, એ આઠે આઠ અંગનાં ત્યાં પ્રતીક મૂક્યાં છે. કાચબો એ પ્રત્યાહારનું પ્રતીક, નંદિશ્વર એને આસન
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy