SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ઋષિમુનિઓ તત્વવેત્તા હતા. તેમણે અનેક વિધા કળાના શાસ્ત્રોની રચના કરી છે. વાસ્તુવિદ્યાના ૧૮ આચા-ષિમુનિઓએ જે ગ્રંથ રચેલા છે, તે સાહિત્ય આજે પુરૂં ઉપલબ્ધ નથી. શ્રી વિશ્વકર્માના રચેલા ક્ષીરાર્ણવ, વૃક્ષાર, દીપાર્ણવ, અપરાજિત, જ્ઞાનપ્રભષ, વિશ્વકર્મા–પ્રકાશ, વાસ્તુશાસ્ત્રકારીકા, જયગ્રંથ-આટલા ગ્રંશે હલ જોવામાં આવે છે. જે સર્વ મારા ગ્રંથ સંગ્રહમાં ઉપલબ્ધ છે. બારમીથી સોળમી સદી સુધીના કાળમાં શિલ્પજ્ઞ નિષ્ણાત વિદ્વાનોએ શિલ્પશાસ્ત્રના ગ્રંથ રચેલા છે. જે ગ્રંથનું આજે ચેકસ અંશે અધ્યયન થાય છે. પંદરમી સદીના પ્રસિદ્ધ નિષ્ણાત શિ૯પીશાસ્ત્રી સેમપુરા મંડનને જન્મ ગુજરાત પાટણમાં સૂત્રધાર શ્રી ક્ષેત્ર (ખેતા)ના ઘેર થયે હતે. અને એ પિતા-પુત્રને મેવાડમાં ચિતડના મહારાણા કુંભાજીએ નિમંત્રીને રાજ્યાશ્રય આપ્યો હતો. (૧) સૂત્રધાર મંડને રચેલા દસેક ગ્રંથે મળે છે. -(૧) દેવતા-મૂર્તિ પ્રકરણમ, (૨) પ્રાસાદ મંડન, (૩) રાજવલભ વાસ્તુશાસ્ત્ર, (૪) રૂપમંડન, (૫) વાસ્તુમંડન, (૬) વાસ્તુશાસ્ત્ર, (૭) વાસ્તુસાર, (૮) આયતત્વ: (૨) સૂત્રધાર મંડનના ભાઈ નાથુજીએ રચેલે “વાસ્તુમંજરીના ત્રણ અધ્યાય ગ્રંથ પણ મળે છે. (૩) મહારાજા ભેજરાજ રચિત પ્રસિધ્ધ “સમરાંગણ સૂત્રધાર” નામે ગ્રંથ છે. (૪) વિદ્વાન સોમપુરા શિલ્પી સૂત્રધાર વીરપાલે “બેડાયા પ્રાસાદ તિલક” નામે ગ્રંથ રચે છે. (૫) ઠકકુર ફેરેનો રચેલે “વત્સાર” (વાસ્તુસાર) નામે ગ્રંથ છે. (૬) પંડિત વાસુદેવ રચિત “વાસ્તુપ્રદીપ” (૭) સૂત્રધાર મલ્લ રચિત “પરિમાણ મંજરી” (૮) સૂત્રધાર રાજસિંહનો “વાસ્તુરાજ,” (૯) સૂત્રધાર ગણેશને વાસ્તુ કૌસ્તુભ' (૧૩) સૂત્રધાર ગેવિંદના () “કલાનિધિ” (૩) વાસ્તુ–ઉધ્ધાર, ” (૧૧) સૂત્રધાર કૌશિકનો “ વાધ્યાય,” (૧૨) સુખાનંદના સુખાનંદ વાસ્તુ રત્ન તિલક પટલ” છે. ઉપરાંત “સૂત્રપ્રતાન” ગ્રંથના ૪ અધ્યાય તથા ‘દેવ્યાધિકાર સંભવ’ ગ્રંથના ૭ અધ્યાય મળે છે. ઉપરના સર્વ વિશ્વકર્માના નાગરાદિ શિ૯૫ ગ્રંથ પ્રસિદ્ધ સૂત્રધાર મંડને સોળમી સદીમાં અસ્તવ્યસ્ત સ્થિતિમાં જોયા. તે સર્વ ગ્રંથોનું સંકલન કર્યું અને આ નાગરાદિ ગ્રંથે સ્પષ્ટ સંક્ષિપ્ત રૂમમાં મૂકી વાતુવિદ્યારે તેણે ઉદ્ધાર કર્યો છે. શિ૯પશાસ્ત્ર સાહિત્યના ભારદાજ શેત્રના આ મહાન ઉદ્ધારક સૂત્રધાર મંડને મેવાડઉદયપુર રાજ્યને આશ્રય પામીને ચિતોડગઢમાં વાસ કરીને આ મહાન કાર્ય કર્યું છે. જે માટે શિલ્પજગત તેમનું ભારે ઋણું છે. પુરાણોમાં પણ વાસ્તુવિદ્યા પર ઉલ્લેખ મળે છે. મત્સ્યપુરાણ, અગ્નિપુરાણ, ગરૂડપુરાણ, વિષ્ણુધર્મોત્તર પુરાણું ઈડમાં આ ઉલ્લેખો જોવામાં આવે છે. ઉપરાંત આગમ ગ્રંથ, ક્રિયાકાંડને ગ્રંથ, જ્યોતિષગ્રંથ, તંત્રગ્રંથ, સૂત્રગ્રંથ, નીતિશાસ્ત્રના ગ્રંથોમાં પણ શિ૯૫ના અંગેના ઉલ્લેખો મળે છે. નાગરાદિ શિલ્પગ્રંથે ઉપરાંત વિવાદિ શિલ્પગ્ર ઘણું છે. એ પ્રદેશ પર ધર્મઝનુની મુસ્લીમોનું આક્રમણ પ્રમાણમાં ઓછું થયું છે. તેથી આ વિવાદિ શિલ્ય સાહિત્ય ત્યાં જળવાઈ રહ્યું છે. તેમના મુખ્ય ચર્થોમાં (૧) અંશુમાન ભેદાગમ, (૨) કાશ્યપશિલ્પ, (૩) માનસાર, () વૈખાનસાગમ, (૫) મયમતમ, (૬) શિલ્પ
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy