SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ રણ મકાનાનું બાંધકામ પણ કરે છે. તેમની પાસે કઈ ફાઈ શિલ્પ ગ્રંથ પણ મળે છે. ધર્માંધતાના વધુમાં વધુ ભેગ સરહદ અને બંગાળ પ્રાંત થયા છે. તેથી ત્યાં શિલ્પી વર્ગનું નામ નિશાન નથી રહ્યું તે દુઃખની વાત છે. ગુજરાતમાં વૈશ્ય, મેવાડા, ગુજર અને ૫'ચાળ એ ચાર પણ શિલ્પી વર્ગની જ જ્ઞાતિઓ છે. તેઓ પોતાને શ્રી વિશ્વકર્માના પુત્રો હાવાના દાવા કરે છે. શિલ્પ કમ કરનારા લેાકેા હુંમેશા પોતાના વ્યવસાયના આદ્ય દેવને પિતા તુલ્ય માને છે. આ વૈશ્ય, મેવાડા અને ગુર્જર ભાઇએ વિશેષ દ્મરીને કાષ્ટ કર્યું કરે છે. પંચાળ ભાઇએ લાહુ કર્મથી પેાતાની આજીવિકા ચલાવે છે. પણ તે સૌ વિશ્વકર્માને પોતાના ગુરૂ-પિતા માને છે. શિલ્પ ગ્રંથામાં સ્પષ્ટ આદેશ છે કે કોઈ કાય એક શિલ્પીના હાથે જ સ ́પૂર્ણ કરાવવું. ફાર્યાર ભ પહેલાં શિલ્પીની નિપુણતાની ખાત્રી કરીને તેને કા સાંપવુ. જો તેમ ન કરવામાં આવે તે મતિભેદ-કે ક્રિયાભેદના કારણે તે કાયૅ શાસ્ત્ર સિદ્ધ ન થાય તા યજમાન અને શિલ્પીને વિન્નકર્તા અને છે. માટે કાર્ય કરાવનાર અને કરનારે પરસ્પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવવા જોઇએ. તે જ કાર્ય સિદ્ધ થાય છે. તેથી જ રસકારે કહ્યું છે. एकहस्ते तु कल्याण द्विहस्ते मृत्युरेव च । गृहदेवैकशिल्पिन भाषितं विश्वकर्मणा ॥ એક જ શિલ્પીના હાથથી થયેલ કાર્ય થી કલ્યાણ થાય છે. બે હાથથી થયેલ કાર્યથી મૃત્યુના સંભવ રહે છે. માટે ગૃહકાર્ય કે દેવાલયમાં એકજ શિલ્પીના હાથે કાર્ય કરાવવુ, એવું વિશ્વકર્માએ કહ્યુ` છે. સ્થાપત્યાધિકારી શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે યજમાને ગુણદોષ પારખીને કોષ્ટ શિલ્પીના સત્કાર કરી કાર્યારંભ કરાવવા. શાસ્ત્રકાર સ્થપતિના ગુણદોષ સંબંધે કહે છે કે ગુણવાન, શાસ્ત્રજ્ઞ, ગણીતજ્ઞ, ધાર્મિક, સદાચારી, ચારિત્ર્યવાન, મિષ્ઠભાષી, અકપટી, અલેાભી, ઘણા બધુવાળા, નિરોગી શારિરિક દોષ (ખાડ) વગરના, વ્યસન રહીત અને ચિત્ર રૂખાના કમમાં પ્રવીણ સ્થતિ હેવા જોઈએ. સ્કંધપુરાણના પ્રભાસખંડમાં સામપુરા શિલ્પીને સવ કોષ્ટ ગણેલ છે. શાસ્ત્રકારોએ આંધકામના અધિકારીના વર્ગ પાડેલા છેઃ- (૧) સ્થપતિ (ર) સૂત્રગ્રાહી (૩) તક્ષક (૪) વકી:–એ ચારેના કર્તવ્યની પણ નોંધ આપી છેઃ ૧ સ્થપતિ-સ્થાપત્યની સ્થાપનામાં સપૂણૅ ચાગ્યતાવાળા સ્થપતિ (ચીક્એ જીનીયર) ૨ સૂત્રગ્રાહી સ્થપતિના ગુણુને અનુસરનારા સ્થપતિના પુત્ર કે શિષ્ય; જેને 3
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy