________________
भवाभिनन्दिनां चित्र स एव गरलायते ।।७३ ।। પોતાના કલ્યાણને ઇચ્છનારા પુરુષોને સદુપદેશ સુધા-અમૃત સમાન લાગે છે અને બહુ આશ્ચર્યની વાત છે કે તે જ ઉપદેશ ભવાભિનંદી(સંસારાસ) જીવોને ઝેર સમાન લાગે છે. N૭૩ कुलस्यार्थे त्यजेदेकं ग्रामस्यार्थे कुलं त्यजेत् । ग्रामं जनपदस्यार्थे आत्मार्थे पृथिवीं त्यजेत् ।।७४।। જો સમસ્ત કુળનો બચાવ થતો હોય તો એકનો ત્યાગ કરવો, ગામના બચાવની ખાતર કુળનો ત્યાગ કરવો, દેશનો બચાવ થતો હોય તો ગામનો ત્યાગ કરવો અને આત્માના બચાવની ખાતર સમસ્ત પૃથ્વીનો ત્યાગ કરવો.ll૭૪ क्षमातुल्यं तपो नास्ति न संतोषात्परं सुखम् । न तृष्णायाः परो व्याधि-र्न च धर्मो दयापरः ।।७५॥ ક્ષમા સમાન તપ નથી, સંતોષ સમાન સુખ નથી, તૃષ્ણા સમાન કોઈ વ્યાધિ નથી અને દયા સમાન કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. ૭પી कोऽन्धो योऽकार्यरतः को बधिरो यः शृणोति न हितानि। को मूको यः काले प्रियाणि वक्तुं न जानाति ।।७६।। અંધ કોણ? જે અકાર્ય કરવામાં સદા તત્પર છે, બધિર(ખેરો) કોણ? જે હિતવચન સાંભળતો નથી અને મુંગો કોણ? જે અવસર આવે પ્રિયવચન બોલી જાણતો નથી. ૭કા केचिदज्ञानतो नष्टाः केचिन्नष्टाः प्रमादतः । केचिज्ज्ञानावलेपेन केचिन्नष्टैस्तु नाशिताः ।।७७।। કેટલાક જનો અજ્ઞાનથી પાયમાલ થયા, કેટલાક પ્રમાદથી પાયમાલ થયા, કેટલાક જ્ઞાનના મદથી પાયમાલ થયા અને કેટલાકને દુર્જનોએ પાયમાલ કર્યા. I૭૭l.