________________
અગ્નિથી બળતા એક શુષ્ક વૃક્ષથી જેમ સમસ્ત વન દગ્ધ થાય છે, તેમ દુષ્કૃત્રથી કુળ પાયમાલ થાય છે. ૧૭ll
एकेनापि हि शूरेण पदाक्रान्तं महीतलम् । क्रियते भास्करेणेव स्फारस्फुरिततेजसा ।।१४।।
અત્યંત સ્કુરાયમાન તેજયુક્ત એવો એક શૂરવીર પણ સૂર્યની જેમ સમસ્ત મહીતલને પોતાના પદ(કિરણ)થી આક્રાંત કરે છે. I/૧૪ एकचक्रो रथो यन्ता विकलो विषमा हयाः । आक्रमत्येव तेजस्वी तथाप्यर्को नभस्तलम् ॥१५॥ પોતાના રથનું એક જ ચક્ર હોવા છતાં, સારથિ વિકલ(પંગુ) હોવા છતાં અને અશ્વો વિષમ હોવા છતાં તેજસ્વી સૂર્ય પ્રતિદિન નભસ્તલનું આક્રમણ કરે છે. I૧પ एकतश्चतुरो वेदा ब्रह्मचर्यं तथैकतः । एकतः सर्वपापानि मद्यपानं तथैव च ॥१६॥ એક બાજુ ચાર વેદ અને એક બાજુ બ્રહ્મચર્ય એ બંને સમાન છે. તેમ એક બાજુ સર્વ પાપો અને એક બાજુ મદ્યપાન, એ બંને સમાન છે. ||૧૯ી .' एतदर्थं कुलीनानां नृपाः कुर्वन्ति सङ्ग्रहम् । .
आदिमध्यावसानेषु न ते यास्यन्ति विक्रियाम् ॥१७॥ 'રાજાઓ કુલીન જનનો સંગ્રહ એટલા માટે જ કરે છે કે તેઓ આદિ, મધ્ય કે અંતે કદાપિ પલટતા નથી. ૧૭ll
एताः स्वार्थपरा नार्यः केवलं स्वसुखे रताः । . न तासां वल्लभः कोऽपि सुतोऽपि स्वसुखं विना ।।१८।।
અહો! સ્વાર્થતત્પર આ સ્ત્રીઓ માત્ર પોતાના સુખમાં જ રક્ત છે. તેમને પોતાના સુખ વિના પુત્ર પણ વલ્લભ થતો નથી, તો અન્યની શી વાત કરવી ? I/૧૮
-
૫૩
*