________________
दारिद्र्यान्मरणं वरं वरमिति ज्ञात्वैव तूष्णीं स्थितः ।। ३२ ।। કોઈ નિર્ધન દરિદ્ર, એક મુડદાને કહે છે કે, હે મિત્ર ! એક ક્ષણવાર ઊઠ અને આ મારો દારિદ્રચનો ભાર ઉચકી લે. કારણકે હું ઘણા વખતથી થાકી ગયો છું, તેથી તારા મરણના સુખનો હું અનુભવ લઉં એ રીતે ધનહીનનું વચન સાંભળીને શ્મશાનમાં પડેલ શબ(મુડદું) બોલ્યું કે, ‘અહો ! તારા દારિદ્રચથી મારે મરણ હજાર દરજ્જે સારું છે' એમ સાંભળીને તે નિર્ધન ગુપચુપ થઈ ગયો. ॥૩૨॥
उत्तमा आत्मना ख्याताः पितुः ख्याताश्च मध्यमाः अधमा मातुलात्ख्याताः श्वशुराच्चाधमाधमाः । । ३३ || ઉત્તમજનો પોતાના બળથી(ગુણોથી) પ્રખ્યાત થાય છે, મધ્યમજનો પિતાના નામે પ્રખ્યાત થાય છે, અધૂમજનો મામાના નામથી પ્રખ્યાત થાય છે અને અધમાધમજનો સસરાના નામે પ્રસિદ્ધિને પામે છે. II૩૩ના
उदये सविता रक्तो रक्तश्चास्तमये तथा ।
सम्पत्तौ च विपत्तौ च महतामेकरूपता ।। ३४ ।। ઉદય અને અસ્ત થતી વખતે જેમ સૂર્ય રક્ત-એટલે એકરૂપ હોય, તેમ મહાપુરુષો સંપત્તિ અને વિપત્તિમાં એકરૂપ જ હોય છે. II૩૪॥
उदारस्य तृणं वित्तं शूरस्य मरणं तृणम् ।
विरक्तस्य तृणं भार्या निःस्पृहस्य तृणं जगत् ।। ३५ ।। ઉદાર પુરુષને ધન એ તણખલા સમાન છે, શૂરવીરને મરણ તૃણસમાન છે, વિરક્તને સ્ત્રી તૃણસમાન અને નિઃસ્પૃહને જગત્ તૃણસમાન છે.।।૩૫।। उत्तमं स्वार्जितं भुक्तं मध्यमं पितुरर्जितम् ।
कनिष्ठं भ्रातृवित्तं च स्त्रीवित्तमधमाधमम् ||३६|| પોતે કમાવેલ(ઉપાર્જન કરેલ) ધન ભોગવવું તે સર્વોત્તમ છે, પિતાનું કમાવેલ ધન મધ્યમ ગણાય છે, ભાઈનું ધન કનિષ્ઠ અને સ્ત્રીનું કમાવેલ ધન અધમાધમ કહેવાય છ. II૩૬
४८