SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ उपकर्त्तुं प्रियं वक्तुं कर्त्तुं स्नेहमकृत्रिमम् । सज्जनानां स्वभावोऽयं केनेन्दुः शिशिरीकृतः ।। २८ ।। ઉપકાર કરવો, મધુર બોલવું અને અકૃત્રિમ(નિષ્કપટ) સ્નેહ રાખવોએ સજ્જનોનો સ્વભાવ જ હોય છે. જુઓ, ચંદ્રમાને કોણે શીતલ બનાવેલ છે? ॥૨૮॥ उत्तमः क्लेशविक्षोभं क्षमः सोढुं न हीतरः । मणिरेव महाशाण- घर्षणं न तु मृत्कणः ।।२९।। ઉત્તમ પુરુષ ક્લેશની તકલીફને સહન કરવા સમર્થ છે, પણ બીજા કોઈ સાધારણ માણસથી તેમ બની શકતું નથી. કારણકે મણિ જ મહાશરાણના ઘસારાને સહન કરી શકે છે પણ માટીનો કણ શરાણને સહન કરી શકતો નથી. ॥૨૯॥ उपकृतिसाहसिकतया क्षतिमपि गणयन्ति नो गुणिनः । जनयन्ति हि प्रकाशं दीपशिखाः स्वाङ्गदाहेन ||३०|| ગુણવંતજનો ઉપકાર કરવાના સાહસિકપણાથી પોતાના નુકશાનની કદાપિ દરકાર કરતા નથી. જુઓ, દીપશિખાઓ સ્વાંગ(પોતાના અંગ)ને બાળીને પણ જગતને પ્રકાશ આપે છે. ૩૦ उपकर्तुमप्रकाशं क्षन्तुं न्यूनेष्वयाचितं दातुम् । अभिसन्धातुं च गुणैः शतेषु केचिद्विजानन्ति ।।३१।। ઉપકારને પ્રકાશિત ન કરવો, પોતાથી ન્યૂન(ઉતરતા) હોય તેમની ઉપર ક્ષમા કરવી, યાચના વિના આપવું અને ગુણો સાથે જોડાઈ રહેવું, એ તો સેંકડો જનોમાં કોઈ વિરલા જ જાણતા હશે. II૩૧॥ उत्तिष्ठ क्षणमेकमुद्वह सखे दारिद्र्यभारं मम, श्रान्तस्तावदहं चिरान्मरणजं सेवे त्वदीयं सुखम् । इत्युक्तं धनवर्जितस्य वचनं श्रुत्वा श्मशाने शवो; →૩ ૪૭
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy