________________
ધાડની જેમ આ જરાથી અમે કેમ આક્રાંત થઈ ગયા છીએ. પટા इक्षोरग्रात्क्रमशः पर्वणि पर्वणि यथा रसविशेषः । तद्वत्सज्जनमैत्री विपरीतानां तु विपरीता ॥९॥ શેલડીના સાંઠામાં જેમ ઉપરથી કાતળી કાતળીએ વિશેષ રસ હોયતેમ સજ્જન જનોની મૈત્રી સમજવી અને દુર્જનોની મૈત્રી તે કરતાં વિપરીત સમજવી. હા इन्द्रात्प्रभुत्वं ज्वलनात्प्रतापं क्रोधो यमाद्वैश्रवणाच्च वित्तम्। पराक्रमं रामजनार्दनाभ्यामादाय राज्ञः क्रियते शरीरम् ।।१०।। ઇંદ્ર પાસેથી પ્રભુત્વ, અગ્નિ પાસેથી પ્રતાપ, યમ પાસેથી ક્રોધ, કુબેર પાસેથી ધન તથા રામ અને વિષ્ણુ પાસેથી પરાક્રમ લઈને રાજાનું શરીર બનાવવામાં આવે છે. ૧all इन्दु निन्दति तस्करो गृहपतिं जारो सुशीलं खलः, साध्वीमप्यसती कुलीनमकुलो जह्याज्जरन्तं युवा । विद्यावन्तमनक्षरो धनपतिं नीचश्च रूपोज्ज्वलं;
वैरूप्येण हतः प्रबुद्धमबुधो कृष्टं निकृष्टो जनः ।।११।। તસ્કર ચંદ્રમાને નિંદે છે, જાર ગૃહસ્થને નિંદે છે, દુર્જન સુશીલને અને કુલટા સતી(સાધ્વી)ને નિંદે છે, અકુલીન કુલીનને અને યુવાન ઘરડાને નિદે છે, નિરક્ષર વિદ્યાવંતને તથા નીચ(દરિદ્ર) ધનવંતને, કુરૂપી રૂપવંતને નિદે છે, તેમજ મૂર્ખ સુજ્ઞને તથા નીચ ઉચ્ચની નિંદા કરવા મંડી જાય છે. | ll૧૧.
इदमेव नरेन्द्राणां स्वर्गद्वारमनर्गलम् । यदात्मनः प्रतिज्ञा च प्रजा च परिपाल्यते ।।१२।। રાજાઓને અનિવાર્ય એ જ સ્વર્ગદ્વાર છે કે પોતાની પ્રતિજ્ઞા અને પ્રજાનું બરાબર તેમણે પાલન કરવું. ll૧૨