SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ नहि खलजनसेवां प्रार्थयत्युन्नतात्मा । तनु तृणमुपभुङ्क्ते न क्षुधार्त्ताऽपि सिंहः पिबति रुधिरमुष्णं प्रायशः कुञ्जराणाम् ॥ ८४ ॥ ઉન્નતાત્મા પુરુષ ધનહીન હોય વા સ્વદેશથી ભ્રષ્ટ થયેલ હોય છતાં તે દુર્જન સેવાનો સ્વીકાર કરવા ચાહતા નથી. કારણકે સિંહ ક્ષુધાથી પીડિત છતાં તે લેશ પણ ઘાસની દરકાર ન કરતાં પ્રાયઃ હસ્તીઓના ઉષ્ણ રુધિરને પીવે છે. ૮૪૦ असाधुः साधुर्वा भवति खलु जात्यैव पुरुषो, न सङ्गाद्दौर्जन्यं न हि सुजनता कस्यचिदपि । प्ररूढे संसर्गे मणिभुजगयोर्जन्मजनिते; मणिनहिर्दोषान् स्पृशति न तु सर्पो मणिगुणान् ।।८५ ।। પુરુષ પોતાની જાતિને લીધે જ સંજ્જન કે દુર્જન બને છે, પણ સંગથી કોઈને સુજનતા કે દુર્જનતા પ્રાપ્ત થતી નથી. કારણકે મણિ અને સર્પનો, જન્મથી સંસર્ગ હોવા છતાં સર્પના દોષ મણિમાં આવતા નથી અને મણિના ગુણ સર્પમાં આવતા નથી. II૮૫. अत्यार्यमतिदातार-मतिशूरमतिव्रतम् । प्रज्ञाभिमानिनं चैव श्रीर्भयान्नोपसर्पति ।। ८६ ।। પોતાની મર્યાદાને મૂકી દેનાર, અતિ દાતાર, અતિ શૂર, વ્રતનું ઉલ્લંઘન કરનાર તથા પોતાની પ્રજ્ઞાનું અભિમાન કરનાર એવા પુરુષ પાસે જાણે ભય પામતી હોય તેમ લક્ષ્મી આવતી નથી. ૫૮૯।। अर्थार्थी जीवलोकोऽयं श्मशानमपि सेवते । जनितारमपि त्यक्त्वा निःस्वं गच्छति दूरतः ।। ८७ ।। લોકો દ્રવ્યના લોભથી શ્મશાનને પણ સેવે છે, અને પોતાનો પિતા પણ જો નિર્ધન હોય, તો તેનો દૂરથી જ ત્યાગ કરી દે છે. I૮૭ના ૧૮
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy