SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ વનરાજ(સિંહ) પોતે મારેલ અને મદજળથી આર્ટ થયેલ હસ્તીઓથી જ પોતાનું ગુજરાન ચલાવે છે, તેમ પોતાના તેજથી જગતને અંજાવનાર મહાપુરુષો અન્ય પાસેથી પોતાનો ઉત્કર્ષ ઇચ્છતા નથી. પ૭ मज्जन्तोऽपि विपत्पयोधिगहने निःशङ्कधैर्यावृताः, कुर्वन्त्येव परोपकारमनिशं सन्तो यथाशक्ति वै । राहोरुग्रकरालवक्रकुहरग्रासाभिभूतोऽप्यलं; .. રઃ હિં રોતિ મુવિનં પ્રાસાવશેષ : ૧૮ વિપત્તિના અગાધ સમુદ્રમાં ડુબવા છતાં નિશંક વૈર્યને ધારણ કરનારા સંતજનો તો નિરંતર યથાશક્તિ પરોપકાર કર્યા જ કરે છે. જુઓ, રાહુના ભયંકર મુખમાં સપડાયા છતાં ચંદ્રમા પોતાના શેષ કિરણોથી જગતજનોને અત્યંત આનંદ પમાડે છે. પ૮. महीपतेः सन्ति न यस्य पार्थे, , ___ कवीधरास्तस्य कुतो यशांसि । भूपाः कियन्तो न बभूवुरुर्त्यां; | નાના નાનાતિ નોકરિ તેવાનું છે? જે રાજાની આગળ કવીશ્વરો હાજર નથી, તેનો યશોવાદ ક્યાંથી? કારણકે પૂર્વે આ પૃથ્વી ઉપર કેટલાએ રાજાઓ થઈ ગયા છે કે જેનું નામમાત્ર પણ હાલમાં કોઈ જાણતું નથી. પહેલા मुक्ताफलैः किं मृगपक्षिणां च मिष्टान्नपानं किमु गर्दभानाम्। अन्धस्य दीपो बधिरस्य गीतं मूर्खस्य किं धर्मकथाप्रसङ्गः મૃગલા અને પક્ષીઓને મુક્તાફળોથી શું? ગધેડાઓને મિષ્ટાન્નપાનથી શું? અંધને દીપકથી શો ફાયદો? અને બહેરાને ગીતથી શું? તેમ મૂર્ખજનને ધર્મકથાથી શો ફાયદો થવાનો હતો? કo – ૨૦૨ – –
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy