SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ मार्कण्डध्रुवलोमशप्रभृतयः सृष्टाः प्रभूतायुषः ।।२४।। હે વિધાતા બંધુ! તું ખરેખર! બધા યાચકજનો સાથે સદા વેરભાવ રાખે છે, કારણકે જગતના જીવનરૂપ એવા વિક્રમ, શાલિવાહન, મુંજ અને ભોજ વિગેરે રાજાઓને તેં અત્યંત લાંબી આવરદાવાળા ન બનાવ્યા અને માર્કડ, ધ્રુવ, લોમશ વિગેરેને લાંબી આવરદાવાળા બનાવ્યા. ર૪ll भवन्ति नम्रास्तरवः फलोद्गमैनवाम्बुभिर्भूरिविलम्बिनो घनाः। अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः स्वभाव एवैष परोपकारिणाम् _રબો. ફળોની ઉત્પત્તિ થતાં વૃક્ષો નમ્ર બને છે, નવીન જળથી મેઘ અત્યંત નીચે નમી જાય છે, સમૃદ્ધિથી સપુરુષો સદા અનુદ્ધત(નમ્ર) રહે છે, એ : પ્રમાણે પરોપકારી પુરુષોનો આ સ્વભાવ જ છે. રપા भ्रान्तं देशमनेकदुर्गविषमं प्राप्तं न किञ्चित्फलम्, त्यक्त्वा जातिकुलाभिमानमुचितं सेवा कृता निष्फला । भुक्तं मानविवर्जितं परगृहेष्वाशङ्कया काकवत्; तृष्णे जृम्भसि पापकर्मनिरते नाद्यापि सन्तुष्यसि ।।२६।। અનેક કિલ્લાઓથી વિષમ એવા દેશમાં ભ્રમણ કર્યું છતાં કંઈ ફળ પ્રાપ્ત ન થયું, પોતાની જાતિ અને કુલાભિમાન તજી દઈને સેવા કરી તે પણ નિષ્ફળ નિવડી, પારકા ઘરે કાગડાની જેમ માનરહિત થઈને આશંકાથી ભોજન કર્યું છતાં પણ પાપકર્મમાં આસક્ત એવી છે તૃષ્ણા! તું અદ્યાપિ સંતુષ્ટ ન થઈ. રિકા भाग्यवन्तं प्रसूयेथा मा शूरं मा च पण्डितम् । शूराश्च कृतविद्याश्च वने सीदन्ति पाण्डवाः ॥२७॥ હે જનની! તું કોઈ ભાગ્યવંતને જન્મ આપજે, પરંતુ શૂરવીર કે પંડિતને જન્મ આપીશ નહિ. જુઓ, શૂરવીર અને વિદ્વાન પાંડવો વનમાં સીદાય છે. ર૭l
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy