SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ નિરંતર આકાશમાં ભ્રમણ કરાવે છે એવા કર્મને નમસ્કાર થાઓ. (Isl बालको दुर्जनश्चौरो वैद्यो विप्राश्च पुत्रिकाः । अर्थी नृपोऽतिथिर्वेश्या न विदुः सदृशां दशाम् ।।४।। બાલક, દુર્જન, ચોર, વૈદ્ય, બ્રાહ્મણ, પુત્રી, રાજા, અતિથિ અને વેશ્યા – એ સદેશ(સમાન) અવસ્થાને જાણતા નથી. ॥૪॥ बुभुक्षितैर्व्याकरणं न भुज्यते पिपासितैः काव्यरसो न पीयते । न छन्दसा केनचिदुद्धृतं कुलं हिरण्यमेवार्जय निष्फला गुणाः 11411 ક્ષુધાતુર માર્ણસોને વ્યાકરણ ખાવામાં કામ આવતું નથી, પિપાસિત જનો કાવ્યરસથી પોતાની પિપાસા છુપાવી શકતા નથી, તેમજ છંદથી કોઈએ પોતાના કુળનો ઉદ્ધાર કર્યો નથી. માટે હે ભદ્ર! દ્રવ્ય ઉપાર્જન કર, કારણકે તે વિના બધા ગુણો નિષ્ફળ છે. પપ્પા बुद्धेः फलं तत्त्वविचारणं च देहस्य सारं व्रतधारणं च । अर्थस्य सारं किल पात्रदानं वाचः फलं प्रीतिकरं नराणाम् ગદ્દા તત્ત્વનો વિચાર કરવો એ બુદ્ધિનું ફળ છે, વ્રત ધારણ કરવું - એ દેહનો સાર છે, સુપાત્રે દાન આપવું એ- દ્રવ્યનો સાર છે અને મનુષ્યોને પ્રીતિકર થવું-એ વાણીનું ફળ છે. IIઙ बालः प्रायो रमणासक्त-स्तरुणः प्रायो रमणीरक्तः । वृद्धः प्रायश्चिन्तामग्न-स्तदहो धर्मे कोऽपि न लग्नः ।।७।। અહો! બાલક હોય ત્યાં સુધી પ્રાય: રમવામાં આસક્ત હોય છે, તરુણ થતાં તે રમણીમાં આસક્ત બને છે, અને વૃદ્ધ થતાં ચિંતામાં મગ્ન થાય છે, તો પણ બહુ આશ્ચર્યની વાત છે કે કોઈ ધર્મમાં પ્રવૃત્ત થતું નથી.IIII बहूनामप्यसाराणां समुदायो जयावहः । तृणैः सञ्जायते रज्जु- र्बध्यन्ते येन दन्तिनः ।।८।। ૧૭૭
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy