________________
पादपानां भयं वातात् पद्मानां शिशिराद् भयम् । पर्वतानां भयं वज्रा-त्साधूनां दुर्जनाद् भयम् ॥९॥
વૃક્ષાને વાયુથી ભય રહે છે, કમળોને શીતઋતુ-હિમથી ભય રહે છે, પર્વતોને વજથી અને સાધુઓને દુર્જનથી ભય રહે છે. परीक्षणीयो यत्नेन स्वभावो नेतरे गुणाः । व्यतीत्य हि गुणान् सर्वान् स्वभावो मूनि वर्तते ।।१०।।
બરાબર યત્નપૂર્વક સ્વભાવની જ પરીક્ષા કરવાની જરૂર છે, અન્ય ગુણોની પરીક્ષા કરવાની જરૂર નથી, કારણકે બધા ગુણોને ઓળંગીને સ્વભાવ મગજમાં રહે છે. ૧oll परोपकाराय न कीर्तये न न प्रीतये नो सुकृताय लक्ष्मीः। सुखाय नोक्तं निजबान्धवानां द्यूताद् हृता केवलपातकाय
જુગારથી ગ્રહણ કરેલ લક્ષ્મી પરોપકારમાં કામ આવતી નથી, તેનાથી કીર્તિનો લાભ થતો નથી, પ્રીતિ કે સુકૃતમાં પણ તે કામ આવતી નથી તેમજ પોતાના સ્વજન સંબંધીઓના સુખ નિમિત્તે પણ તેનો ઉપયોગ થઇ શક્તો નથી, પરંતુ માત્ર તે પાતકના નિમિતે જ થાય છે. ll૧૧//
पत्रं नैव यंदा करीरविटपे दोषो वसन्तस्य किं, नोलूकेन विलोक्यते यदि दिवा सूर्यस्य किं दूषणम् । धारा नैव पतन्ति चातकमुखे मेघस्य किं दूषणं;
यद् धात्रा निजभालपट्टलिखितं तन्मार्जितुं कः क्षमः ।।१२।। - કેરડાના વૃક્ષમાં મૂળથી પત્ર જ ન થાય તેમાં વસંતઋતુનો શો દોષ? ઘુવડ પક્ષી દિવસે જોઇ ન શકે તેમાં સૂર્યનો શો દોષ? ચાતકના મુખમાં ધારા ન પડે તેમાં મેઘનો શો દોષ? વિધાતાએ પોતાના લલાટપર જે લેખ લખ્યા છે તેને ભુંસાડવાને કોણ સમર્થ છે? I/૧રી
– ૧૫૭ *