________________
કરવું યોગ્ય નથી. (યજ્ઞમાં અમને હોમવા તે યોગ્ય નથી) વળી યજ્ઞમાં મરાયેલા પ્રાણીઓ જો અવશ્ય સ્વર્ગે જ જતા હોય, તો તું તારા મા-બાપ, પુત્રો તથા બાંધવોનો યજ્ઞ કેમ કરતો નથી. II૭૫મા
न द्विषन्ति न याचन्ते परनिन्दां न कुर्वते ।
अनाहूता न चायान्ति तेनाश्मानोऽपि देवताः ।।७६।। જે કોઈની ઉપર દ્વેષ કરતા નથી, કોઈની પાસે જે કંઈ માંગતા નથી, પરનિંદા જે કરતા નથી અને બોલાવ્યા વિના જે આવતા નથી, તેથી તે પાષાણો(પથ્થરાઓ) પણ દેવ કહેવાય છે(મનાય છે). liઙઙા नृणां धुरि स एवैको यः कश्चित्त्यागपाणिना । निर्मार्ष्टि प्रार्थनापांसु-धूसरं मुखमर्थिनाम् ।। ७७ ।। જગતમાં સર્વ પુરુષો કરતાં અગ્રેસર તે જ એક પુરુષ છે, કે જે પોતાના દાન દેવાના હાથથી, પ્રાર્થનારૂપ ધૂળથી કંઈક ઝાંખા થયેલ યાચકોના મુખને સાફ કરે છે. IIeell
૧૫૪