________________
सर्पिर्दुष्टं किमिदमियता यत्प्रमेही न भुङ्क्ते ॥ २५॥
નરકના સ્થાનરૂપ હિંસાનો ત્યાગ કરવો, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, મૈથુનથી નિવૃત્ત થવું અને સર્વ પ્રકારના સંગથી નિવૃત્ત રહેવું, આવા પ્રકારનો જૈનધર્મ, જો પાપપંકથી ખરડાયેલા જનોને ન રુચે, તો શું પ્રમેહીને(ડાયાબીટીશના દર્દીને) દ્યૂત ન ભાવે, તેથી શું ધૃત(ઘી) ખરાબ છે એમ કહી શકાશે ? ॥૨૫॥
तावद् भयस्य भेतव्यं यावद् भयमनागतम् । आगतं तु भयं दृष्ट्वा प्रहर्तव्यमशङ्कितैः ।। २६ ।।
જ્યાં સુધી ભય આવેલ ન હોય, ત્યાં સુધી જ ભયથી ડરવાનું છે,પણ ભયને માથે આવેલ જોઇને નીડર-દઢ થઇને તેની સામે ઉભા રહેવું.
રફા
तोयं निर्मथितं घृताय मधुने निष्पीडितः प्रस्तरः, पानार्थं मृगतृष्णिकोर्मितरला भूमिः समालोकिता । दुग्धा सेयमचेतनेन जरती दुग्धाशया सूकरी; ષ્ટ यत्खलु दीर्घया धनतृषा नीचो जनः सेवितः ।।२७।। અહો ! અચેતન જેવા મેં ઘીની ખાતર પાણી વલોવ્યું, મધની ખાતર પાષાણ પાલ્યું, જળપાનની ખાતર મૃગતૃષ્ણિકાના તરંગોથી તરલ એવી ભૂમિનું અવલોકન કર્યું, દૂધની ઇચ્છાથી વૃદ્ધ ભુંડણને દોહી અને બહુ ખેદની વાત છે કે ધનની લાંબી ઇચ્છાથી નીચજનની પણ મેં સેવા કરી. I॥૨૭॥ .
तरुमूलादिषु निहितं जलमाविर्भवति पल्लवाग्रेषु । निभृतं यदुपक्रियते तदपि महान्तो वहन्त्युच्चैः ।।२८।।
વૃક્ષોના મૂળીયામાં નાખવામાં આવેલ જળ પલ્લવોના અગ્રભાગપર પ્રગટ થાય છે, તે પ્રમાણે ગુપ્ત રીતે કંઈ ઉપકાર કરવામાં આવે, તો પણ મહાપુરુષો તેને બહુ જ ઉત્કૃષ્ટ સમજીને ધારણ કરે છે. ૨૮
૧૦૯