SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમકાર ખેંચે છે, તેટલા વિર્યાણુપ્રમાણ વીર્યવ્યાપાર રોકે છે. આ કિકિરણના પહેલા સમયની ક્રિયા છે. બીજે સમયે પહેલાં ખેંચેલા વીર્યાવિભાગ પરિચ્છેદ-વર્યાણુના ભાગથી અસંખ્યયગુણહીન વિર્યાણુઓના ભાગને ખેંચે છે. અને જીવપ્રદેશોના પહેલે સમયે ખેંચેલા જીવપ્રદેશના અસંખ્યાતમા ભાગથી અસંખ્યાતગુણ ભાગોને એટલે કે અસંખ્યાતા ભાગોને ખેંચે છે. આ પ્રમાણે કિઠ્ઠિઓ કરતો ત્યાં સુધી જાય કે અંતર્મુહૂર્તનો ચરમ સમય આવે. પહેલા સમયે કરાયેલ કિઠ્ઠિઓથી બીજે સમયે કરાયેલ કિઠ્ઠિઓ અસંખ્યય ગુણહીન છે. એ પ્રમાણે શેષ સઘળા સમયોમાં જાણવું. અહીં ગુણકાર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. કર્મપ્રકૃતિ પ્રાભૃતમાં કહ્યું છે કે, “આ પ્રમાણે અંતર્મુહૂર્ત પર્યત પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્યયગુણહીન શ્રેણિએ કિઠ્ઠિઓ કરે, અને અસંખ્યાતગુણ શ્રેણિએ જીવપ્રદેશો ખેંચે. કિઠ્ઠિઓનો ગુણકાર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. પહેલા સમયે કરાયેલ કુલ કિઠ્ઠિઓ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, એ પ્રમાણે બીજા આદિ દરેક સમયોમાં પણ સમજવું. માત્ર સૂચિશ્રેણિનો અસંખ્યાતમો ભાગ નાનો નાનો લેવો. સઘળી કિક્રિઓનો સરવાળો પણ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. આ સઘળી કિઠ્ઠિઓ પૂર્વસ્પર્ધક અને અપૂર્વસ્પર્ધ્વકનો સંખ્યાતમો ભાગમાત્ર છે. કિઠ્ઠિઓ કરવાની ક્રિયા પૂર્ણ થવા છતાં પણ પૂર્વરૂદ્ધકો અને અપૂર્વસ્પદ્ધકો રહે છે, સઘળાંની કિઠ્ઠિઓ થતી નથી. કિષ્ટિ કરવાની ક્રિયા પૂર્ણ થયા પછી પૂર્વસ્પર્ધ્વક અને અપૂર્વપદ્ધકનો નાશ કરે છે. જે સમયે તેઓનો નાશ થયો, તે સમયથી આરંભી અંતર્મુહૂર્ત પર્યત આત્મા કિટ્રિગતયોગ-કિષ્ટિરૂપ યોગવાળો હોય છે. કર્મપ્રકૃતિ પ્રાભૃતમાં કહ્યું છે કે, કિટ્ટિ કરવાની ક્રિયા પૂર્ણ થયા બાદ પૂર્વસ્પદ્ધક અને અપૂર્વરૂદ્ધકનો નાશ કરે, ત્યારપછી અંતર્મુહૂર્ત પર્યંત કિટિરૂપ યોગવાળો હોય છે. તે અંતર્મુહૂર્તમાં કંઈપણ ક્રિયા કરે નહિ, પરંતુ એ જે સ્થિતિમાં રહે. ત્યારપછીના સમયે સૂક્ષ્મ કાયયોગના અવલંબનથી અંતર્મુહૂર્વકાળે સૂક્ષ્મ વચનયોગનો રોધ કરે છે. સૂક્ષ્મ વચનયોગનો રોધ કર્યા પછી અંતર્મુહૂર્ત પર્યત તે જ અવસ્થામાં રહે છે. કોઈ પણ અન્ય સૂક્ષ્મયોગને રોકવાનો પ્રયત્ન કરતો નથી. ત્યારપછીના સમયે . સૂક્ષ્મકાયયોગના અવલંબનથી સૂક્ષ્મમનોયોગને અંતર્મુહૂર્વકાળે રોકે છે. ત્યારપછી પણ અંતર્મુહૂર્ત તદવસ્થ રહે છે. ત્યારપછી સૂક્ષ્મકાયયોગને અંતર્મુહૂર્તકાળે રોકે છે. તે સૂક્ષ્મકાયયોગને રોકવાની ક્રિયા કરતો સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લધ્યાનના ત્રીજા ભેદ ઉપર આરૂઢ થાય છે. આ ધ્યાનના બળથી વદન અને ઉદરઆદિના પોલાણ ભાગ પુરાઈ જાય છે, અને શરીરના એક ૧. પહેલા સમયે અસંખ્યાતી કિઠ્ઠિઓ કરે, બીજે સમયે અસંખ્યાતગુણહીન કરે, એટલે કે પહેલે સમયે એક એક અધિક વીર્યાણવાળી જેટલી વર્ગણાનો ક્રમ તોડે તેટલી તે સમયે કિઠ્ઠિઓ થાય છે. પહેલા સમયે અસંખ્યાતી વર્ગણાઓમાંથી ઉપરોક્ત ક્રમ તોડે છે, માટે અસંખ્યાતી કિઠ્ઠિઓ થાય છે. તેનાથી અસંખ્યાત ગુણહીન વર્ગણામાં બીજે સમયે ક્રમ તોડે છે, એમ ચરમ સમયપર્યત થાય છે. તેથી પહેલા સમયની કિક્રિઓથી પછી પછીના સમયની કિઠ્ઠિઓ અસંખ્યાતમો અસંખ્યાતમો ભાગ માત્ર છે એમ કહ્યું છે. ૨. આપણા શરીરના ત્રણ ભાગમાંથી એક ભાગમાં પોલાણ છે. તે પોલાણમાં આત્મપ્રદેશો હોતા નથી. બાકીના શરીરના સઘળા ભાગમાં હોય છે. જ્યારે શુક્લધ્યાનના ત્રીજા પાયા પર આરૂઢ થાય છે, ત્યારે આત્મપ્રદેશો ખેંચાઈ પોલાણના ભાગ પુરાઈ જાય છે અને શરીરના ત્રણ ભાગમાંથી બે ભાગમાં આત્મા આવી ' જાય છે. એટલે જ મોક્ષમાં બે ભાગ જેટલી અવગાહના હોય છે, અને આકૃતિ અનિર્વચનીય હોય છે.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy