SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૧ પંચમદ્વાર-સારસંગ્રહ અધ્રુવ એમ જઘન્ય રસબંધ ચાર પ્રકારે છે. આ તેતાળીસે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ રસબંધ ચાર મૂળઘાતીકર્મોની જેમ મિથ્યાત્વી સંજ્ઞી-પંચેન્દ્રિયોમાં વારંવાર થતા હોવાથી બન્ને સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. શેષ તોત્તેર પ્રકૃતિઓ અવબંધી હોવાથી જ તેમના જધન્યાદિ ચારે બંધો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. (૨) સ્વામિત્વદ્વાર ક્ષપક સૂક્ષ્મસં૫રાય ચરમસમયે યશઃકીર્તિ, ઉચ્ચગોત્ર અને સાતાવેદનીય એ ત્રણનો અને આઠમા ગુણસ્થાને સ્વબંધ-વિચ્છેદ સમયે દેવદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્વિક, આહારકદ્ધિક, તૈજસ, કાર્મણ, સમચતુંરગ્ન સંસ્થાન, શુભવર્ણચતુષ્ક, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરુલઘુ, નિર્માણ, તીર્થંકર નામકર્મ અને ત્રસ, નવક એ ઓગણત્રીસનો એક સમય ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. કારણ કે આ બધી પ્રકૃતિઓ શુભ છે અને શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ વિશુદ્ધ પરિણામે જ થાય છે અને આ પ્રકૃતિઓના બંધમાં ઉપરોક્ત જીવો જ અતિવિશુદ્ધ છે. ઔદારિકદ્ધિક, મનુષ્યદ્વિક, વજઋષભનારાચ સંઘયણ એ પાંચનો ઉત્કૃષ્ટ રસબંધ અતિવિશુદ્ધ સમ્યગ્દષ્ટિ દેવો કરે છે. કારણ કે આ પાંચે પ્રકૃતિઓ શુભ હોવાથી તેનો ઉત્કૃષ્ટ રસ વિશુદ્ધ પરિણામે જ બંધાય. અને તેવી વિશુદ્ધિમાં વર્જાતા સમ્યગ્દષ્ટિ મનુષ્ય-તિર્યંચો દેવ-પ્રાયોગ્ય જ બંધ કરે છે. તેથી આ પ્રકૃતિઓનો તેઓને બંધ ન થાય અને નારકોને બંધ હોવા છતાં જિનેશ્વરોના કલ્યાણક વગેરેના પ્રસંગોમાં તેમજ સમવસરણાદિમાં પ્રભુની દેશના આદિના શ્રવણમાં તેમજ નંદીશ્વરદ્વીપ આદિનાં શાશ્વત તીર્થોની યાત્રા આદિમાં દેવોને જેવી વિશુદ્ધિ હોય છે તેવી વિશુદ્ધિ પરાધીનતાના કારણે સ્વસ્થાને રહેલ સમ્યગ્દષ્ટિ નારકોને હોતી નથી. તેથી તેમને ઉત્કૃષ્ટ રસબંધ થતો નથી માટે સમ્યગ્દષ્ટિ દેવો જ ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. દેવાયુષનો ઉત્કૃષ્ટ રસબંધ તત્પ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામી અપ્રમત્ત મુનિ જ કરે છે. કારણ કે, અતિવિશુદ્ધ પરિણામે આયુષ્યનો બંધ જ થતો નથી. તેમજ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે જ ઉત્કૃષ્ટ રસ બંધાય છે. દેવાયુની તેત્રીસ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ અનુત્તર વિમાનના દેવોને જ હોય છે અને અનુત્તર વિમાનમાં સંયમીઓ જ જઈ શકે છે. વળી પ્રમત્તથી પણ અપ્રમત્તની વિશુદ્ધિ વધારે હોય છે. અપૂર્વકરણાદિમાં આયુનો બંધ થતો નથી. માટે અન્ય કોઈ જીવો દેવાયુનો ઉત્કૃષ્ટ રસબંધ કરતા નથી. અનંતર સમયે ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી મિથ્યાત્વી સપ્તમ પૃથ્વીનો ના૨ક ઉદ્યોત નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. કારણ કે, આ પુણ્ય પ્રકૃતિ હોવા છતાં તિર્યંચગતિ સાથે જ બંધાય છે. વળી આટલી વિશુદ્ધિએ વર્તતા અન્ય કોઈપણ જીવો તિર્યંચપ્રાયોગ્ય બંધ કરતા જ નથી. માત્ર સપ્તમ પૃથ્વીના નારકોને જ મિથ્યાત્વ અવસ્થામાં તિર્યંચગતિનો ધ્રુવબંધ હોવાથી તેવા વિશુદ્ધ પરિણામે તિર્યંચગતિ સાથે ઉદ્યોત નામકર્મનો ઉત્કૃષ્ટ ૨સબંધ થાય છે. પણ બીજા કોઈ જીવોને થતો નથી. અતિસંક્લિષ્ટ પરિણામી ઈશાન સુધીના દેવો એકેન્દ્રિય જાતિ અને સ્થાવર નામકર્મનો પંચ ૧-૯૬
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy