SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૦ પંચસંગ્રહ-૧ સપ્તક, તીર્થંકરનામ, ઉચ્ચગોત્ર અને ચાર આયુ, કુલ અઠ્યાવીસ છે. આ પ્રમાણે સાદિ વગેરે ભંગનો વિચાર કર્યો. હવે કઈ કર્મપ્રકૃતિઓની સત્તાનો કોણ સ્વામી છે? તે કહેવું જોઈએ. તે બે પ્રકારે છે–એક એક પ્રકૃતિ સંબંધ અને પ્રકૃતિના સમૂહ સંબંધે. એટલે કે એક એક પ્રકૃતિની સત્તાનો સ્વામી કોણ ? અને અનેક પ્રકૃતિના સમૂહની સત્તાનો સ્વામી કોણ? તેમાં પહેલાં એક એક પ્રકૃતિની સત્તાનો સ્વામી કહેવા ઇચ્છતાં આ ગાથા કહે છે– दुचरिमखीणभवन्ता निदादुगचोइसाऊणि ॥१३३॥ द्विचरमक्षीणभवान्तानि निद्राद्विकचतुर्दशायूंषि ॥१३३॥ અર્થક્ષણમોહના કિચરમસમય પર્યત, ચરમસમય પર્યત અને ભવના અંતપર્યત જેની સત્તા છે એવી અનુક્રમે નિદ્રાદ્ધિક, જ્ઞાનાવરણાદિ ચૌદ અને ચાર આયુ છે.* ટીકાનુ––અહીં કુરિમ' આદિ પદનો સંબંધ અનુક્રમે કરવો. તે આ પ્રમાણે– ક્ષણમોહ ગુણસ્થાનકના દ્વિચરમ-ઉપન્ય સમય પર્યત નિદ્રાદ્ધિક સત્તામાં હોય છે, ત્યારપછી તેની સત્તા હોતી નથી. તેથી મિથ્યાદષ્ટિથી આરંભી ક્ષણમોહ સુધીના સઘળા જીવો નિદ્રાદ્ધિકની સત્તાના સ્વામી સમજવા. આ પ્રમાણે જે ગુણસ્થાનક સુધી જે પ્રકૃતિઓની સત્તા કહેવામાં આવે તેઓની સત્તાના સ્વામી મિથ્યાષ્ટિથી આરંભી તે ગુણસ્થાનક સુધીના સઘળા જીવો સમજવા. એ પ્રમાણે ક્ષીણમોહગુણસ્થાનકના ચરમસમય પર્યત જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક અને દર્શનાવરણચતુષ્ક એ ચૌદ પ્રકૃતિઓની સત્તા હોય છે, આગળ હોતી નથી. ચારે આયુની પોતપોતાના ભવના અંતસમય પર્યત સત્તા હોય છે, આગળ હોતી નથી. ૧૩૩ तिसु मिच्छत्तं नियमा अट्ठसु ठाणेसु होइ भइयव्वं । सासायणमि नियमा सम्मं भज्जं दससु संत ॥१३४॥ त्रिषु मिथ्यात्वं नियमादष्टसु स्थानेषु भवति भाज्यम् ।। सास्वादने नियमात् सम्यक्त्वं भाज्यं दशसु सत् ॥१३४॥ અર્થ–પહેલાં ત્રણ ગુણસ્થાનકોમાં મિથ્યાત્વ અવશ્ય સત્તામાં હોય છે. ત્યારપછીના આઠ ગુણઠાણે ભજનાએ છે. સાસ્વાદને સમ્યક્ત મોહનીય અવશ્ય સત્તામાં હોય છે, દશ ગુણઠાણે ભજનાએ હોય છે. 1 ટીકાનુ–મિથ્યાષ્ટિ, સાસ્વાદન અને મિશ્ર એ ત્રણ ગુણસ્થાનકોમાં મિથ્યાત્વમોહનીયની સત્તા અવશ્ય હોય છે અને ચતુર્થ ગુણસ્થાનકથી આરંભી ઉપશાન્તમોહ-ગુણસ્થાનક પર્યત ભજનાએ હોય છે, એટલે કે સત્તામાં હોય છે અને નથી પણ હોતી. તે આ પ્રમાણે
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy